Book Title: Pradyumna Charitra Part 02
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 287
________________ 281. જાણી લેવું. તે અશુભ હોવાથી આ પ્રસંગે અહીં કહેવામાં આવ્યું નથી. હવે શાંબ વિગેરે મુનિઓ ચારિત્ર પાળી તપસ્યા કરવા તત્પર થયા હતા. શ્રી : જીતેંદ્રપ્રભુએ કહેલા યુવા પિપાસાદિ અનેક પરીસહોને તેઓ સહન કરતા હતા, આર્ત તથા રદ્ર ધ્યાનને ત્યાગ કરી, ધર્મ અને શુકલ ધ્યાનને ધરતા તેઓ વિવિધ તપસ્યા કરતા શ્રી નેમિનાથપ્રભુની પાસે આવ્યા. ત્યાં તેમણે નેમિપ્રભુને હાથે ફરીથી દીક્ષા ગ્રહણ કરી. ગુણના સ્થાનરૂપ અને શિયળવંત એવા તે મુનિઓ બાહ્ય અને આત્યંતર એમ છ છ પ્રકારનું તપ આચરતા હતા. ઋતુ માના વિવિધ પરીસહને સહન કરતા હતા, ગુણના મંદિરરૂપ અને ધ્યાન માં તત્પર એવા તે મુનિઓ પિતાના જ્ઞાનરૂપ પ્રકાશ વડે બીજાના અજ્ઞાન અંધકારને દૂર કરતા હતા, ચાર વર્ષે પર્યકાસને ધ્યાન ધરતા તે મુનિઓએ પોતાના ધ્યાનના બળથી ઘાતિ કર્મનો ક્ષય કર્યો. પછી ક્ષપણશ્રેણીમાં આરૂઢ થઈ કાલેકને પ્રકાશ કરનાર કેવળજ્ઞાનને તેઓ પ્રાપ્ત થયા. શ્રી નેમિનાથપ્રભુ ભજનને પ્રતિબંધ કરતાં તેમની સાથે પૃથ્વીમાં વિહાર કરતા P.P. Ac. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293