________________
શાંકરભાષ્યમાં (પા. ૫૮) રેતા - મૂળ પાઠને - સુધાર્યા વિના જ સ્વીકાર્યો છે અને વેતા =પેથિતા (અવલોકન કરનાર; વિન્ to perceive, અવલોકન કરવું; ક્રિયાપદ ઉપરથી તૃ પ્રત્યય લાગતાં વ્યાકરણ શુદ્ધ પાઠ 7 > વેત્તા માટેનો પાઠ !) લગભગ બધા આધુનિક વિદ્વાનોએ વેતા પાઠ સ્વીકાર્યો છે. પણ હાઉશિલ્લે (૧૯૨૭) મૂળ પાઠ વેતા ના બદલે વેત્તા પાઠ સુધાર્યો, અને હૃમે (૧૯૩૧=); મૂળ વેતા પાઠ કાયમ રાખી પાદટિપ્પણીમાં વેત્તા પાઠનું સૂચન કર્યું. રાઉએ (૧૯૬૪) મૂળ પાઠ બદલ્યા વગર વિદ્વત્તાપૂર્ણ સૂચન કર્યું કે વેતા પાઠ મૂળે વિ (to punish, સજા કરવી) ક્રિયાપદ ઉપરથી (fશ્વ + ડ્ર =. ઉપરથી વેતા, સજા કરનાર) ઉદ્દભવ્યું છે. આ પ્રમાણે આ વાક્યનું વિવરણ યથાર્થ જણાય છે (૧૯૯૮/૨ : ઓલિવેલે, xvii).
5. તાન હોવાદૈવ મા પ્રતિસમીયાજોતિ 1 (છાન્દોગ્ય ઉપ. ૧-૧૨-૩ઃ ૧૮૪, ૫૩૭)
તેણે તેમને કહ્યું : સવારે આ સ્થાને જ મારી પાસે આવો.”
મૂળપાઠ ૩પમીયાત; વ્યાકરણ શુદ્ધ પાઠ ૩૫મિયાત. અહીં - ૩પમીયાત પાઠમાં અશુદ્ધ-પાઠ વ્યક્ત કરતા હું (દીર્ઘ સ્વર)ની આદિ શંકરે પણ નોંધ લીધી છે કે સૈર્ણ છાન્દસમૂ. પ્રમાદ્રિ-પાડો વા (પા. ૭૬) (“અહીં-ઈકારમાં દીર્થપણું વૈદિક હોય.... અથવા તો તે (લહિયાઓની) બેદરકારીથી ઉદ્ભવેલો પાઠ હોય”) આવા વિધાન ઉપરથી એમ લાગે છે કે શંકરે અહીં કોઈ હસ્તપ્રતનો જ ઉપયોગ કર્યો છે (પણ આ શાસ્ત્રજ્ઞાન તેને મૌખિક પરંપરાથી પ્રાપ્ત નહોતું થયું). શંકરની આવી નોંધના આધારે વ્યોહતલિંગે તો ૩૧મીયાત મૂળ પાઠને ૩૫મિયાતમાં ફેરવી નાખ્યો. અહીં એ જણાવવું જરૂરી છે કે શંકરને આવા પાઠની મૌલિકતા વિષે શંકા થઈ (સરખાવો =પ્રાપાડો વા) છતાં પણ તેણે તે પાઠ સુધાર્યો નથી. તેવી રીતે લહિયાઓએ પણ તે મૂળ પાઠ કાયમ જ રાખ્યો છે !
૬. સર્વ ત્વિટું બ્રહ્મ તબ્બતનિતિ શાન્ત ૩૫ાણીત (છાન્દોગ્ય ઉપ. ૩-૧૪.૧ : ૨૦૮, ૫૪૪).
“આ બધું (જગત) ખરેખર બ્રહ્મ છે. શાંત થયેલાએ ( શાંત ચિત્તે) તેને નીર્ તરીકે ઉપાસવું જોઈએ.”
' આ વાક્યના તજ્ઞતાન્ પાઠમાં પૂર્વ-પદ તરીકે તત્ શબ્દનો પ્રયોગ એક સમાસ તરીકે છે કે તે તત શબ્દ અહીં નતાન સાથે સંધિમાં એક ભિન્ન પદ તરીકે - બ્રહ્મ પદના સર્વનામ તરીકે – યોજાયો છે, તે વિષે નિર્ણય થઈ શકતો નથી. અહીં તત્ ને બ્રહ્મ ના સર્વનામ તરીકે માન્યું છે. શંકરે આની ઉપરના તેના ભાષ્યમાં તન્ત પાઠને જુદા પદ તરીકે સ્વીકાર્યો છે અને ગતાન પદનો અર્થ કરવામાં તેને મુશ્કેલી પડી હોય એમ લાગે છે; આ નનાન પાઠમાં કેટલાક શબ્દોના આદ્ય-અક્ષરોના સમૂહથી ઉદ્ભવેલો કોઈ એક “શબ્દ” (acronym) હોય એ રીતે શંકરે તેનો અર્થ ઘટાવ્યો છે; જેમકે ગન (જન્મવું) + ની (લય થવું) + મન (શ્વાસ લેવો) આ ત્રણ અક્ષરોના - ક્રિયાપદોના - આદ્ય - અક્ષર - = + + + - મળીને અહીં નવીન શબ્દ અસ્તિત્વમાં આવ્યો ! એટલે કે સર્વ કાંઈ બ્રહ્મમાંથી જન્મે છે (ગન); બ્રહ્મમાં જ લય પામે છે (ની) અને બ્રહ્મથી જીવે છે - શ્વાસ લે છે (મન) (૧૭૩). આજના વિદ્વાનો શંકરના આવા અર્થઘટન સાથે કદાચ સંમત થાય કે ન થાય એ મુદો અહીં મુખ્ય નથી; પણ શંકરે (અને લહિયાઓ પણ) અહીં મૂળ પાઠ નતાન ને વફાદાર રહીને-તેને સુધાર્યા વિના - તેનું વિવરણ કરવા કોશિશ કરી છે, તે અહીં અગત્યનો મુદ્દો છે. પણ વ્યોહતલિંગે (૧૮૮૯૨) નતાન જેવા ક્લિષ્ટપાઠને સુધારીને ત્યાં નાનાનિ (જ્ઞા ક્રિયાપદનું સંભાવના-સૂચક Subjunctive પ્રથમ પુરુષ એકવચન) જેવો પાઠ લીધો; મૂળ તન્નતાનિતિમાં તેણે “તજ્ઞાનાનીતિ" કહ્યું !
(નોંધ : ગનાન શબ્દ અહીં આઘાક્ષરસમૂહ હોય; તેવી શબ્દ-યોજના (acronym) પુરાણા ભારતીય સાહિત્યમાં નવી નથી; જેમ કે
૩૮]
| [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩