Page #1
--------------------------------------------------------------------------
________________
ઋણેન નિરિવર્ત પ્રત્યં યભેન પ્રતિપાત્રયેત્ ” (પ્રાચીન ઉપનિષદોનાં પ્રતિષ્ઠિત પ્રકાશનો પર પ્રકાશ)
બંસીધર ભટ્ટ (યુન્સર, જર્મની)
વિષય ક્રમ
૬૧. પ્રસ્તાવના ૬૨. હસ્તપ્રત પ્રકાશનની પ્રક્રિયા. * $૨.૧ હસ્તપ્રત પ્રકાશનના નીતિ નિયમો -
(૧-૫) ૬૨.૨ હસ્તપ્રતો અને મૂળ શાસ્ત્રગ્રંથ. ૬૨.૩ ઇતર આવશ્યક સામગ્રી. (૧-૪). $૨.૪ મુશ્કેલીઓ અને મર્યાદાઓ
૬૨.૪.૧. : (૧-૩)
૬૨.૪.૧. : (૧-૨) ૬૨.૫. કેટલાંક સૂચનો અને પ્રત્યાઘાતો
(૧-૨) ૬૩. ગ્રંથપાઠોની “કતલ”ની ઐતિહાસિક રૂપરેખા
Ú૩.૧ ઓગણીસમી સદી : ઉત્તરાર્ધ * $૩.૨ વીસમી સદી : પૂર્વાર્ધ.
$૩.૩. વીસમી સદી : ઉત્તરાર્ધ (૧-૫).
$૩.૪. આવશ્યક સ્પષ્ટતા (૧-૩) ૬૪. ઉપનિષદ-પ્રકાશનોની માયાજાળ. 6૪.૧ છા.ઉપ.ના મૂળ પાઠ સાથે છૂટછાટ.
(૧: ૧-૩) (૨ઃ ૧-૨)
$૪. ૨ ઉપનિષદોમાં છંદ-ભંગ, (૧-૫) ૭૪.૩ ઉપનિષદોમાં અપાણિનીય પાઠો.
(૧-૬) છુપ. ઉપસંહાર. (૧-૨) ઉપ.૧. પ્રકાશનમાં અપેક્ષિત પ્રતિજ્ઞા-વચન
(૧-૪). પરિશિષ્ટ ૧. , ઉપનિષદો : “સમીક્ષાત્મક” આવૃત્તિનો ભ્રમ
(૧-૨),
વે (૧-૨) ૨. ઉપનિષદો :
અ (૧-૨)
બ (૧-૩) ૩. સંદર્ભો
૧. મૂળ ગ્રંથના પાઠ વગર
૨. મૂળ ગ્રંથના પાઠ સાથે ૪. વિશિષ્ટ-શબ્દો
૧. અંગ્રેજી
૨. ગુજરાતી ૫. ઉપયોગમાં લીધેલાં સંશોધનો.
સંકેતો ૧. સંશોધન ગ્રંથો (પ્રકાશન વર્ષ - ક્રમે) ૨. સંશોધન ગ્રંથો (શબ્દ-સંકેત-ક્રમે).
(૭: ૧-૪)
$૧. પ્રસ્તાવના
આપણા ભારતનાં પ્રાચીન વૈદિક, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોના ઘણા અગત્યના ગ્રંથો હસ્તપ્રતોના આધારે ઘણી આવૃત્તિઓમાં પ્રકાશિત થયેલા આજે મળી રહે છે. પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ તથા તત્ત્વજ્ઞાન માટે આવશ્યક આધારભૂત ગણાતાં પ્રાચીન મુખ્ય મુખ્ય ઉપનિષદોની, તેમ જ તે તે ઉપનિષદો પર મળી આવતાં પુરાણાં કે આવશ્યક ભાષ્યોની હસ્તપ્રતોના આધારે કોઈ એક પણ સમીક્ષાત્મક આધારભૂત આવૃત્તિ હજી પ્રકાશિત થયેલી જોવામાં આવતી નથી તે ખૂબ ખેદની વાત છે. આજે ઉપનિષદોની અને તે પરનાં ભાષ્યોની જે કોઈ આવૃત્તિઓ મળી આવે છે તે બધી આવૃત્તિઓ જૂની, અસમીક્ષાત્મક પ્રકાશિત ઉપનિષદોના આધારે, અથવા તો તે તે ઉપનિષદોનાં મળી આવતાં અસમીક્ષાત્મક પ્રકાશિત ભાષ્યોના આધારે છપાયેલી હોય છે. ૨૦].
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #2
--------------------------------------------------------------------------
________________
જો કે શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનની (etymological, philqgical) પ્રક્રિયા પૂર્વક ઉપનિષદોનો મૂળ પાઠ કયો હોઈ શકે એવા પ્રકારનાં વિવેચનોના આધારે ઘણા પ્રતિષ્ઠિત વિદ્વાનોએ કેટલાંક ઉપનિષદોની આવૃત્તિઓ હસ્તપ્રતોના કોઈ આધાર લીધા વિના પ્રસિદ્ધ કરી છે, અને તેમની તેવી આવૃત્તિઓને “સમીક્ષાત્મક” ગણાવીને વિદ્વાન-જગતમાં તેઓ એક પ્રકારનો એવો તો ભ્રમ ઊભો કરે છે કે જાણે કે તે ઉપનિષદોની આવૃત્તિઓ તેમણે હસ્તપ્રતોના આધારે પ્રકાશિત કરી હોય !
' આ પ્રકારે પ્રકાશિત ઉપનિષદોની આવૃત્તિઓની તરફેણમાં એ વિદ્વાનો પોતાનાં મંતવ્યો અને વિવેચનો પણ રજૂ કરે છે, અને તેમનાં આવાં વિવેચનોના સમર્થન માટે તેઓ (૧) “મૌલિક સંદર્ભોનો”—મૂળ ગ્રંથમાંથી જ લીધેલા સંદર્ભોનો, કે (૨) “ગૌણ સંદર્ભોનો” – કોઈ અન્ય વિદ્વાનનાં સંશોધનોમાં દર્શાવેલા સંદર્ભોમાંથી સીધે સીધા ઉઠાવી લીધેલા સંદર્ભોનો - પણ આધાર લે છે. તે
નિોંધ : (૧) મૂળ શાસ્ત્રો કે કોઈ અન્ય કૃતિઓ તપાસી, તેમાંથી જ લીધેલા ઉલ્લેખો “મૌલિક” (original) અથવા “પ્રત્યક્ષ” (direct) ગણાય છે. આવા સંદર્ભો સંપૂર્ણ વિશ્વાસલાયક હોતાં, તે સંશોધનકારની વિદ્વત્તાની પુષ્ટિ કરે છે. (૨) અન્ય વિદ્વાનોનાં સંશોધનોમાં દર્શાવેલા સંદર્ભોમાંથી સીધે સીધા કોઈ પોતાનાં સંશોધનોમાં તે સંદર્ભો લઈ લે તો તેવા સંદર્ભો “ગૌણ” (subordinate) કે “પરોક્ષ” (indirect) ગણાય છે. આવા પરોક્ષ/ગૌણ સંદર્ભો સંપૂર્ણ વિશ્વાસલાયક. ગણાતા નથી, તેથી તેવા સંદર્ભોથી સંશોધનકારની વિદ્વત્તા જોખમાય છે. કોઈ અનિવાર્ય સંજોગોમાં – મૂળ શાસ્ત્ર કે કોઈ કૃતિ તાત્કાલિક નહીં મળી આવતાં–જો કોઈને, અન્ય કૃતિમાં કે સંશોધનોમાં દર્શાવેલા સંદર્ભોમાંથી જ સીધેસીધા એક-બે સંદર્ભો લેવા પડે એવી પરિસ્થિતિ સર્જાય તો તેવા પ્રસંગે તે સંશોધનકારે ત્યાં તેના ગૌણ/પરોક્ષ સંદર્ભ સાથે સ્પષ્ટતા કરવી જોઈએ કે એ ગૌણ/પરોક્ષ સંદર્ભ તેણે ક્યાંથી અને શા માટે લીધો ? આવી સ્પષ્ટતાથી વિદ્વાનની પ્રતિષ્ઠા જળવાઈ રહે છે.]
છતાં પણ, આવાં વિવેચનોના પ્રવાહમાં તણાઈ ગયા સિવાય, કે તેવી કોઈ આવૃત્તિ “સમીક્ષાત્મક આવૃત્તિ” છે એવું માની લીધા વિના, કે તે આવૃત્તિ પ્રતિષ્ઠિત વિદ્વાને પ્રકાશિત કરી છે તેવા અહોભાવથી દોરવાઈ ગયા વગર, કે પ્રતિષ્ઠિત વિદ્વાન દોષરહિત હોય એવો ભ્રમ સેવ્યા વિના, સમાન-સંશોધન-ક્ષેત્રના અન્ય વિદ્વાને ઉપર જણાવેલા વિદ્વાનોનાં વિવેચનો તથા તેમાં આપવામાં આવેલા મૌલિક કે ગૌણ સંદર્ભો સંપૂર્ણ રીતે તપાસી લેવા જોઈએ. આમ ન થતાં, આવા જાણીતા થયેલા વિદ્વાનોનું આંધળું અનુસરણ કરનાર સમાનસંશોધન-ક્ષેત્રના અન્ય વિદ્વાનોનાં સંશોધનોમાં ભૂલોની પરંપરા સર્જાય છે. આવી રીતે, ઉપર નિર્દેશ્યા મુજબની ઉપનિષદોની અનેક આવૃત્તિઓ “સમીક્ષાત્મક” છે એવી સર્જાયેલી ભ્રામકતાની પરંપરા પ્રકાશમાં લાવવાનો અમારો અહીં મુખ્ય આશય છે. [૬૨] હસ્તપ્રત પ્રકાશનની પ્રક્રિયા :
જાણીતા વિદ્વાનોએ પ્રકાશિત કરેલી કેટલાંક ઉપનિષદોની જે આવૃત્તિઓ આજે મળી આવે છે તેમાં ભૂલોની પરંપરાનાં દર્શન થતાં રહે છે. ઉપનિષદોની આ આવૃત્તિઓ હસ્તપ્રતોના આધારે, દેશ-વિદેશના સર્વે વિદ્વાનોએ માન્ય ગ્રંથ-પ્રકાશનના આવશ્યક નીતિ-નિયમોના કે કોઈ એવા સિદ્ધાંતના પાલનપૂર્વક પ્રકાશિત થયેલી હોતી નથી. આવા ગ્રંથ-પ્રકાશનના સર્વમાન્ય નીતિ-નિયમોમાંથી કેટલાક મુખ્ય નીતિ-નિયમો અહીં સંક્ષેપમાં જણાવવામાં આવે છે.
[નોંધ : “પ્રકાશન” (publication) =“ગ્રંથને છપાવીને જાહેરમાં પ્રકાશમાં લાવવાની ક્રિયા” અને “આવૃત્તિ” (edition)=“ગ્રંથને છપાવીને પુનરાવર્તન કરવાની ક્રિયા” જેવા શબ્દો અહીં “(છપાયેલો) ગ્રંથ”ના અર્થમાં પણ; અને તે પ્રમાણે “પ્રકાશક”=“(ગ્રંથ) પ્રકાશન કરનાર, મૂળ કારણભૂત વિદ્વાન” તથા “પ્રકાશિત” (વિશેષણ/ક્રિયા-વિશેષણ તરીકે)=“છપાયેલો (ગ્રંથ)”, કે
“છપાયેલી (આવૃત્તિ)” કે “છપાયેલું (પ્રકાશન)” જેવા અર્થમાં યોજયા છે.] હેન ત્રિવિત પ્રચૅ યર પ્રતિપાત્રત ”]
[ ૨૧
Page #3
--------------------------------------------------------------------------
________________
[૬૨.૧] હસ્તપ્રત પ્રકાશનના નીતિ-નિયમો : ૧. (સમીક્ષાત્મક) પ્રકાશન માટે નિશ્ચિત કરેલા ગ્રંથની પ્રાપ્ત થઈ શકે એટલી હસ્તપ્રતોનાં સંકલન. ૨. ' પ્રાપ્ત હસ્તપ્રતોમાંથી આધારભૂત સામગ્રીનું તથા પાઠોનું સંકલન અને પરીક્ષણ (collation). ૩. પ્રાચીન અથવા તો સામાન્ય રીતે પ્રચલિત કે પ્રકાશન યોગ્ય જણાતી કે આદિથી અંત લગી પૂરેપૂરી મળી
આવતી કોઈ એક હસ્તપ્રતની પસંદગી (vulgate). ૪. પ્રકાશન માટે સ્વીકારેલી હસ્તપ્રત સિવાયની અન્ય હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત વિવિધ પાઠાંતરોની પાદ
ટિપ્પણીમાં વિસ્તૃત નોંધ તથા સાથે સાથે તે બધા પાઠાંતરોનું વિવરણ/વિવેચન. પ્રકાશન માટે સ્વીકારેલી હસ્તપ્રતના કોઈપણ પાઠમાં, કોઈપણ પ્રકારે - વ્યાકરણ-વિષયક, ભાષાવિષયક, લિપિ-વિષયક કે છંદ-વિષયક- ફેરફાર નહીં કરવા સતત કાળજી, તેમાં પણ અર્થની, ભાષાની, વ્યાકરણની કે છંદની દૃષ્ટિએ દોષિત જણાતાં કોઈ અપ્રમાણિત કે ક્લિષ્ટ પાઠોને, તથા લેખનમાં (orthography માં) રહી ગયેલા દોષોને, તે જેમ હોય તેમ જ રાખીને, તે જરાપણ સુધાર્યા વિના, તે હસ્તપ્રત પ્રકાશિત કરવી. હસ્તપ્રત-પ્રકાશનના નીતિનિયમોમાં આવા દોષિત, અપ્રમાણિત કે ક્લિષ્ટ
પાઠોને (lectio difficilior) તો તે જેમ હોય તેમ જ રાખવાનો આ પાયાનો સિદ્ધાંત ગણાય છે. આવા * દોષિત પાઠોને બદલે અન્ય કોઈ હસ્તપ્રતમાંથી કોઈ સરળ પાઠ (lectio facilior) મળી આવે તો પણ,
એવી પરિસ્થિતિમાં પ્રાપ્ત અપ્રમાણિત, ક્લિષ્ટ કે દોષિત પાઠને જ મહત્ત્વ આપીને તે પાઠ કાયમ-ફેરફાર કર્યા વિના- રાખવો જોઈએ, તેને કોઈપણ પ્રસંગે સરળ પાઠમાં - પ્રમાણિત પાઠમાં - ન બદલવો જોઈએ.
(આના વિસ્તાર માટે જુઓ, ૨-૪, ૨-૫). [$૨.૨] હસ્તપ્રતો અને મૂળ શાસ્ત્રગ્રંથ :
ખાસ કરીને પ્રાચીન શાસ્ત્રગ્રંથો કોઈ એક વ્યક્તિ દ્વારા, એક સમયે કે એક સ્થળે રચાયેલા હોતા નથી. વળી, તે ગ્રંથો હસ્તપ્રતોમાં રૂપાંતર થયા તે પહેલાં, તે સૌ મૌખિક પરંપરાથી ચાલ્યા આવતા હોવાથી, તેમાં કાળક્રમે, ભાષાભેદે, સ્થળભેદે કે વ્યક્તિભેદે સુધારા-વધારા પણ થતા રહ્યા હોય છે. આવા કોઈ પણ ગ્રંથની સૌથી પ્રાચીન હસ્તપ્રત પણ મૂળ-ગ્રંથને (urtext) તો સંપૂર્ણ રીતે વ્યક્ત કરતી - કરી શકતી - નથી. ધારો કે, કોઈ શાસ્ત્ર-ગ્રંથની સૌથી પ્રાચીન (અથવા તો સૌથી પહેલાં) લખાયેલી હસ્તપ્રત મળી આવે તો તેમાં પણ, તે હસ્તપ્રતની પૂર્વે ચાલી આવેલી મૌખિક પરંપરાના કારણે થયેલા ક્ષેપ-પ્રક્ષેપો/સુધારા-વધારા કે સ્થળ-કાળ-વ્યક્તિભાષા ભેદે થયેલા પાઠાંતરો તો રહેવાના જ ! અને તે પ્રાચીન પહેલી હસ્તપ્રત પણ મૂળ કે આદિ શાસ્ત્ર ગ્રંથને સંપૂર્ણ વ્યક્ત કરી શકતી નથી. ઉપરાંત, તે શાસ્ત્રગ્રંથની અનેક હસ્તપ્રતો પણ સ્થળ-કાળ-વ્યક્તિ-ભાષા ભેદે તે શાસ્ત્રનાં અનેક “સંકલનો” (redactions) અને “અનુકૃતિઓ” (versions) સૂચિત કરે છે. વળી, કોઈપણ શાસ્ત્રગ્રંથના “અસ્તિત્વનો” સમય અને તે શાસ્ત્રગ્રંથની પ્રાપ્ત થતી સૌથી પ્રાચીન હસ્તપ્રતનો સમય, એ બંનેની વચ્ચેના સમયગાળાનું અંતર ખૂબ લાંબું હોય છે. તે સાથે સાથે, એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે, ઘણા શાસ્ત્રગ્રંથો ઉપર મળી આવતાં પ્રાચીન ભાષ્યો, તે તે શાસ્ત્રગ્રંથની પ્રાપ્ત થતી સૌથી પ્રાચીન હસ્તપ્રત કરતાં પણ ઘણું કરીને પુરાણાં હોય છે : જેમકે, કેટલાંક ઉપનિષદો ઉપરનાં આદિ શંકરનાં ભાષ્યો (ઈ.સ. આશરે ૭૦૦, સરખાવો ૧૯૬૪ : હાકર ૨૩૫) તે તે ઉપનિષદોની પ્રાપ્ત હસ્તપ્રતો (આશરે ૧૧મીથી ૧૫મી સદી) કરતાં તો પુરાણાં છે. જો કે હસ્તપ્રતોમાં શાસ્ત્રગ્રંથના વિતરણની આલેખનની પ્રથા, ભાષ્યોમાં શાસ્ત્રગ્રંથ-વિતરણની કે શાસ્ત્રગ્રંથઆલેખનની પ્રથાથી જુદી તરી આવે છે. ભાષ્યો શાસ્ત્ર - વિવરણના આશયથી રચાયાં હોય છે. હસ્તપ્રતોનો આશય મૂળ શાસ્ત્ર-આલેખન પૂરતો જ હોય છે. ભાષ્યોમાંથી સંપૂર્ણ - અખંડિત - શાસ્ત્રગ્રંથ મળી રહેવો મુશ્કેલ છે, તેવું હસ્તપ્રતો વિષે ન કહી શકાય. હસ્તપ્રતો ભલે પ્રાચીન ના હોય, પણ તેમાં આલિખિત (વિતરણ પામેલો) ગ્રંથ પ્રાચીન નથી એવું ન કહી શકાય. અપ્રાચીન હસ્તપ્રતોમાં પણ પ્રાચીન પાઠો તો જળવાઈ રહ્યા હોય
૨૨].
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #4
--------------------------------------------------------------------------
________________
છે (જુઓ આગળ ૨-૫).
આ ઉપરથી એવું સૂચન મળે છે કે શાસ્ત્રગ્રંથોના પુરાણા ભાષ્યકારો પાસે તે તે શાસ્ત્રગ્રંથની ઓછામાં ઓછી એક, અથવા એકથી પણ વધારે હસ્તપ્રતો હોવી જોઈએ. પણ તે આપણને પ્રાપ્ત થઈ શકતી શકી નથી, કે તે વિષે આપણે કોઈ આધારભૂત નિર્ણય કરી શકતા નથી.
નોંધ : આ લેખમાં “વૃત્તિ”, “વિવૃત્તિ”, “વ્યાખ્યા”, “ટીકા”, “ભાષ્ય”, વગેરે જેવી ભિન્ન ભિન્ન સંજ્ઞાઓના બદલે ફક્ત “ભાષ્ય” સંજ્ઞા જ યોજવામાં આવી છે, તેમાં બધા ભાષ્ય
પ્રકારોનો સમાવેશ થઈ શકે છે.] [૬૨-૩] ઇતર આવશ્યક સામગ્રી :
ઉપર જણાવ્યા પ્રમાણે પુરાણાં ભાગો ઉપરાંત, પ્રકાશન માટેના લક્ષ્ય શાસ્ત્રગ્રંથ ઉપરનાં – પુરાણાં હોય કે ન હોય એવાં બીજાં ભાષ્યો, તે ભાષ્યો પરનાં પેટા-ભાખ્યો તથા તે શાસ્ત્રગ્રંથને કેંદ્રમાં રાખી વિકસિત થયેલું અન્ય સાહિત્ય, અને ઈતર શાસ્ત્રગ્રંથો ઉપરનાં પણ ભાષ્યો, પેટાભાષ્યો, વગેરે સર્વ કાંઈ હસ્તપ્રત-પ્રકાશનમાં પાઠાંતર-સંકલનની આવશ્યક માહિતી પૂરી પાડી શકે છે. તે રીતે, અન્ય સાહિત્યના ગ્રંથો પણ પ્રસ્તુત કાર્ય માટે તપાસી જોવા જોઈએ, કારણ કે : ૧. તે શાસ્ત્ર ઉપરનાં ભાષ્યોમાં કે પેટાભાષ્યોમાં પ્રતિબિંબિત થતા, પૂર્વે ગુરુ-શિષ્યની પરંપરામાં ચાલ્યા
આવતા શાસ્ત્રના અર્થ-જ્ઞાનનો | વિવરણનો કે તે શાસ્ત્રના શબ્દાર્થનો આધાર તે શાસ્ત્રગ્રંથને સમજવા કોઈવાર આવશ્યક થઈ પડે છે. આ મુદ્દામાં મૂળ શાસ્ત્રગ્રંથના પાઠાંતરો કરતાં વધારે તે શાસ્ત્રગ્રંથના અર્થનું વિવરણનું વિતરણ સંકળાયેલું છે; જે મહત્ત્વનું ગણાય છે (જુઓ આગળ ૬૨.૪.૨.૧-૨). પોતાનાં ભાષ્યો, પેટાભાષ્યો માટે ભાષ્યકારોએ ઉપયોગમાં લીધેલી લક્ષ્મ શાસ્ત્રગ્રંથની હસ્તપ્રતોમાંથી તેઓ કોઈવાર શાસ્ત્રગ્રંથનાં પ્રતીકો સાથે વિવિધ પાઠાંતરો પણ નોધે છે. આવાં પ્રતીકો અને પાઠાંતરો હસ્તપ્રતોનાં પરીક્ષણ અને સંકલન માટે આવશ્યક થઈ પડે છે. અહીં એ પણ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે, ભાષ્યકારો કોઈપણ જાતના ક્લિષ્ટ કે અપ્રમાણિત પાઠોમાં જરાપણ ફેરફાર કરતા નથી, અને તેમણે ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતને તેઓ હમેશાં વફાદાર રહેતા હોય છે. પુરાણાં ન હોય એવાં ભાષ્યો, પેટાભાષ્યોમાં મળતાં પ્રતીકો અને પાઠાંતરો પણ કોઈવાર કોઈ પુરાણા : ગ્રંથ “સંકલનમાંથી” (redactions માંથી) કે કોઈ પુરાણી ‘‘અનુકૃતિમાંથી” (versions માંથી) આવતાં હોય છે, તેથી આવાં પ્રતીકો અને પાઠાંતરો પણ આવશ્યક થઈ પડે છે. આ રીતે કોઈ ઇતર ગ્રંથમાં કે તેના ભાષ્ય પેટાભાષ્યમાં પ્રકાશન માટે લક્ષ્ય શાસ્ત્રગ્રંથના કોઈ ઉલ્લેખો કે આધાર લેવામાં આવ્યા હોય છે. આવા ઉલ્લેખો ઉપરથી પણ શાસ્ત્રગ્રંથના વિવિધ પાઠાંતરો મેળવી શકાય છે, અને તે હસ્તપ્રતના પ્રકાશનમાં ઉપયોગી થઈ પડે છે. [નોંધ : “ભાષ્યકારો” =ભાષ્યો કે પેટાભાષ્યો રચનારા.] હસ્તપ્રત-પ્રકાશનની પાદ-ટિપ્પણીઓમાં ઉપર ૧-૪માંથી મળી રહેતા પાઠાંતરો પણ અવશ્ય નોંધી લેવા
જોઈએ. [૬ ૨.૪] મુશ્કેલીઓ અને મર્યાદાઓ : [$૨-૪-૧] કોઈ પણ શાસ્ત્રગ્રંથની હસ્તપ્રતો સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોના ભાગ્યે જ કોઈ સંતોષકારક ઉકેલ મળી શકે છે; જેમકે : ૧. કેટલીક વાર હસ્તપ્રતમાં આલેખેલા શાસ્ત્રના કેટલાક પાઠો કે અક્ષરો, લહિયાઓના પ્રમાદને લીધે કે કોઈ
અન્ય કારણે યોગ્ય રીતે વાંચી શકાય એવા નથી હોતા. તેવી હસ્તપ્રથોમાંથી અન્ય હસ્તપ્રતોમાં તે “થેન ત્રિવિત અર્થે યત્રેન પ્રતિપાન '1
[ ૨૩
Page #5
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રગ્રંથની નકલ કરતી વખતે - તે શાસ્ત્રગ્રંથ આલેખતી વખતે- આવા દોષોનું કે દોષિત પાઠોનું
પુનરાવર્તન થતું રહે છે. ૨. કોઈવાર લહિયાઓ જાણી જોઈને મૂળ આદર્શ હસ્તપ્રતના પાઠોને પોતાની હસ્તપ્રતોમાં સુધારા-વધારા.
સાથે આલેખે છે. ૩. કેટલાક લહિયાઓના અક્ષરો (orthography) કોઈવાર મૂળ પાઠ કરતાં કાંઈ જુદો જ પાઠ હોવાની
સંભાવના ઊભી કરે છે.
આવાં કારણોથી પણ લક્ષ્ય શાસ્ત્રગ્રંથના મૌલિક પાઠો વિષે સ્પષ્ટ નિર્ણય લઈ શકાતો નથી કે કયો પાઠ, કઈ હસ્તપ્રતમાં, કયા લહિયા(ઓ)ના દોષોને લીધે અશુદ્ધ થયો છે, અને કયો પાઠ મૂળથી જ અશુદ્ધ જેવો ચાલ્યો આવે છે (જુઓ આગળ ૬૨-૫-૨). [૬૨-૪-૨] વળી, શાસ્ત્રગ્રંથને સમજવા તે ઉપરનાં ભાષ્યોનાં અધ્યયન કરવાથી પણ ભાગ્યે જ કોઈ સંતોષકારક ઉકેલ મળી શકે છે; જેમકે : ૧. ભાષ્યકારોનો મુખ્ય આશય કાંઈક જુદો હોય છે. તેઓ તેમના મતના સિદ્ધાંતો/વિચારો શાસ્ત્ર-સંમત
મનાવવા કે દર્શાવવા અને તે તે સિદ્ધાંતોનાં સમર્થન કરવા શાસ્ત્રના વિધાનોને પણ તેમના મતના ઢાંચામાં ઢાળે છે, તથા શાસ્ત્રના વિધાનોનો યોગ્ય અર્થ ભાગ્યે જ દર્શાવતા હોય છે. ટૂંકમાં, ભાષ્યકારોનાં ભાષ્યો કે પેટાભાષ્યો ભાષ્ય રચનાની આવી રૂઢ પરંપરા મુજબ જ રચાતાં રહ્યાં છે. ઘણીવાર પ્રાચીન શાસ્ત્રગ્રંથોના “અસ્તિત્વના” સમયથી તે, તે ઉપરના ભાગો રચનારા ભાષ્યકારોના સમયની વચ્ચેના સમયગાળાની અનેક સદીઓ દરમિયાન શાસ્ત્રગ્રંથોના વિવરણના (અર્થ કે જ્ઞાનના) વિતરણની મૌખિક પરંપરા તૂટી ગઈ હોય કે તે સળંગ જળવાઈ ન હોય એવું પણ સંભવી શકે છે. આથી આ ભાષ્યકારો તે તે શાસ્ત્રગ્રંથને યથાર્થ સમજીને તેનું યોગ્ય વિવરણ કરવામાં ભાગ્યે જ ફળીભૂત થઈ શક્યા હોય છે.
. આમ છતાં, કોઈપણ હસ્તપ્રતમાં કોઈપણ પ્રકારના સુધારા-વધારા કરવાનો અધિકાર પ્રકાશક-વિદ્વાનને કોઈપણ સંજોગોમાં મળી શકતો જ નથી. [૬૨-૫] કેટલાંક સૂચનો અને પ્રત્યાઘાતો:
શાસ્ત્રગ્રંથો, જેમ કે : ઉપનિષદો ઉપરનાં જે અન્ય ભાષ્યો મળી આવે છે તે, ઉપનિષદો ઉપરનાં આદિ શંકરનાં ભાષ્યો જેટલાં પુરાણાં નહીં હોવાથી તેમના વિષે કશું ન જણાવતાં અહીં ખાસ ઉપનિષદોને તથા તે પરનાં આદિ શંકરનાં ભાષ્યોને વિશેષ મહત્ત્વ આપી- તે દૃષ્ટિબિંદુથી - હસ્તપ્રત પ્રકાશન વિષે વિવેચન કરવામાં આવે છે. ૧. કેટલાંક ઉષનિષદો ઉપરનાં આદિ શંકરનાં ભાષ્યો ( શંકરભાષ્યો) તે તે ઉપનિષદોની મળી આવતી
હસ્તપ્રતો કરતાંય સમયની દૃષ્ટિએ પુરાણાં છે એ ઉપર જણાવ્યું છે (૬૨-૨). આ ઉપરથી માક્સ મ્યુલરે એવી આશા વ્યક્ત કરી કે; જો આપણે શાંકરભાષ્યોમાં આદિ શંકરે પાયાના આધાર તરીકે ઉપયોગમાં લીધેલાં ઉપનિષદો વિષે કાંઈ નિર્ણય પર આવી શકીએ તો ઉપનિષદોની સમીક્ષાત્મક આવૃત્તિ વિષે આપણે કાંઈ નક્કર પરિણામ સાધી શકીએ (જુઓ, ૧૮૭૯ : પા. lxxi). રાઉએ બૃહદારણ્યક ઉપનિષદની કાવ-શાખા વિષે પણ કાંઈક આવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે (જુઓ ૧૯૬૦ : ૨૯૯; ૨૦૦૨ : ભટ્ટ). અલબત્ત, ઉપનિષદો ઉપરનાં આદિ શંકરનાં ભાષ્યોનું આ દૃષ્ટિએ ઘણું મૂલ્યાંકન આંકી શકાય. પરંતુ, જેમ શાંકરભાષ્યોમાં, તેમ હસ્તપ્રતોની પરંપરામાં પણ, તે તે ઉપનિષદશાસ્ત્રના વિતરણની જે કોઈ રીત
૨૪]
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #6
--------------------------------------------------------------------------
________________
જળવાઈ રહી હશે, તે શાંકરભાષ્યો કરતાંય પુરાણી હશે. ઉપરાંત, સામાન્ય દૃષ્ટિએ પુરાણી ન લાગતી હોય એવી હસ્તપ્રતોમાં પણ અત્યંત પ્રાચીન ગણાતા કેટલાક પાઠોનું નિદર્શન મળી રહે છે. વળી, ઉપનિષદો પરનાં શાંકરભાષ્યોની હજી સમીક્ષાત્મક આવૃત્તિઓ પ્રકાશમાં આવી નથી, અને ઉપનિષદો ઉપરનાં બધાં જ શાંકરભાષ્યો આદિ શંકરની રચના છે કે નહીં તે વિષે વિદ્વાનોમાં હજી મતભેદ પ્રવર્તે છે. આ બધું તારવતાં, ઉપનિષદોના પ્રકાશન માટે શાંકરભાષ્યો કરતાં હસ્તપ્રતોનું મૂલ્યાંકન ઓછું ન આંકી શકાય. ગદ્યપ્રચુર ઉપનિષદો ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાચીન ગણાય છે. જ્યારે છંદ-રચનાવાળાં ઉપનિષદોનો રચના-કાળ ગદ્યપ્રચુર ઉપનિષદોની પછી આવે છે. ગદ્યમય કે છંદમય ઉપનિષદોમાં કોઈ કોઈ વાર આવતા છંદોમાં છંદભંગ જેવા પ્રસંગો ઉપસ્થિત થતાં, હસ્તપ્રત-પ્રકાશકો અને સંશોધનકારો ઘણીવાર મુંઝાઈ જાય છે. સ્વાભાવિક રીતે એમ મનાય છે કે, તે તે ઉપનિષદોમાં શરૂઆતમાં રચાયેલા છંદો, છંદશાસ્ત્રના નિયમોના ઉલ્લંઘન કરીને તો ન જ રચાયા હોય. આ કારણે, હસ્તપ્રત-પ્રકાશક કોઈ હસ્તપ્રતમાં આવતા, છંદભંગ કરતા પાઠોને હસ્તપ્રતમાંથી દૂર કરી, તેની જગાએ છંદરચનાના નિયમોના આધારે કોઈ યોગ્ય છંદબદ્ધ થાય એવો પાઠ જો અન્ય હસ્તપ્રતમાંથી મળી આવે તો તે પાઠ સ્વીકારી લે છે અને આવો યોગ્ય છંદબદ્ધ થાય તેવો પાઠ ક્યાંય ન મળે તો પણ આ પ્રકાશકો છંદરચનાના નિયમોના ' ઓથા હેઠળ કેટલાંક ઉપનિષદોમાં આવતી, પણ દોષિત જણાતી છંદભંગ કરતી હોય એવી- છંદરચનામાં પણ સુધારા-વધારા કરે છે ! છંદભંગ થતો હોય ત્યાં છંદમેળ માટે સુધારા-વધારા કરવાનું સરળ અને આવશ્યક છે એવું સ્વાભાવિક રીતે લાગે, છતાં તેવા સુધારા-વધારા કર્યા પહેલાં પ્રકાશકે ખૂબ સંયમ રાખવો જરૂરી છે. દરેક પ્રકાશકે એટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ કે, ભારતીય વિદ્વાન પંડિત લહિયાઓને કે ભાષ્યકારોને આવા છંદભંગ દર્શાવતા છંદો સુધારવાની આવશ્યકતા જણાઈ હોત તો તેમણે જાતે જ તે છંદો ક્યારના યે સુધારી લીધા હોત. એટલે કે, હસ્તપ્રતના પાઠોને સંપૂર્ણ વફાદાર રહી આ પંડિત લહિયાઓએ કે ભાષ્યકારોએ તેવા દોષિત છંદોને પણ સુધારવાનો સ્વચ્છેદ દાખવ્યો નથી. (સરખાવો; માક્સ મ્યુલર૧૮૭૯ : hxxii). એ પણ અહીં નોંધવું જરૂરી છે કે કેટલાક છંદો તેમની ઉત્પત્તિની કે વિકાસની દિશામાં
હોતાં તે તેમની પરિપૂર્ણ દશા કરતાં જુદા પડે છે. ૩. કેટલીક વાર હસ્તપ્રતોમાં વ્યાકરણની દૃષ્ટિએ કેટલાક પાઠ અશુદ્ધ લાગે છે, પરંતુ આ બાબતે એ ધ્યાનમાં
લેવું જોઈએ કે પાશ્ચાત્ય વિદ્વાનો કરતાં સામાન્ય રીતે ભારતીય પંડિત લહિયાઓ કે ભાષ્યકારો પાણિનિનું (સંસ્કૃત) વ્યાકરણ કંઈક વધારે સારી રીતે સમજતા હોય છે. આ લહિયાઓએ/ભાષ્યકારોએ હસ્તપ્રતોમાં આવતા અપાણિનીય-સંસ્કૃત વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ-લાગતા પાઠોને શુદ્ધ પાઠોમાં સુધારવા પ્રયાસ કર્યા જ હોત. આ ઉપરાંત, આપણે સૌ એ પણ અનુભવીએ છીએ કે પ્રાચીન ભારતીય ભાષ્યકારોએ કોઈ પણ રીતે હસ્તપ્રતોમાં આવતા આવા કેટલાક અપાણિનીય પાઠો સુધારી લેવાનો સ્વરછંદ આદર્યો નથી. ઊલટું, તેઓ તો હમેશાં હસ્તપ્રતોમાં આલિખિત શુદ્ધ કે અશુદ્ધ પાઠને વફાદાર રહ્યા છે. તે રીતે લહિયાઓનું પણ સમજવું. આ સંદર્ભમાં કેટલીક બાબતો અમે ઉપર (થુર-૪-૧) જણાવી છે. વૈદિક/ઉપનિષદ સાહિત્યમાં કેટલાં યે સંસ્કૃત રૂપો તે તે સ્થળ અને સમયની લોકભાષામાંથી આવતાં હોવાથી તે વ્યાકરણની દૃષ્ટિએ અસામાન્ય કે અશુદ્ધ લાગે, તથા તે પાણિનિના નિયમોથી સહેજે અપ્રમાણિત ગણાય. રિચર્ડ સેલોમને (૧૯૮૧, ૧૯૯૧) અને માધવ દેશપાંડેએ (૧૯૯૩) આ વિષય ઉપર વિદ્વત્તાપૂર્ણ પ્રકાશ પાથર્યો છે. વૈદિક સાહિત્યથી પરિચિત ભારતીય ભાષ્યકારો હસ્તપ્રતોમાં આવતા વ્યાકરણ-વિરુદ્ધ પાઠોને સામાન્ય
રીતે છીન્દસ કે વૈદિક-રૂપ તરીકે જણાવે છે. ઉપરાંત, આ ભાષ્યકારો પણ મૌખિક વિતરણ થયેલા “જન નિશ્વિત ગ્રન્થ યન પ્રતિપાત્રત '1
[ ૨૫
Page #7
--------------------------------------------------------------------------
________________
ગ્રંથોના કે હસ્તપ્રતોમાં આલિખિત ગ્રંથોના કોઈપણ પાઠને સંપૂર્ણ વફાદારીપૂર્વક સાચવી રાખવાની સતત સાવચેતી દાખવે છે; તે ઉપર જણાવ્યું છે. છતાં, આવા ભાષ્યકારો આવાં દરેકે દરેક “અપાણિનીય” જણાતાં સંસ્કૃત રૂપોને છાન્દસ ગણાવી સંતોષ પામતા નથી, પરંતુ તેમાંના કેટલાંક અપાણિનીય રૂપો તે શાસ્ત્રગ્રંથમાં રહેલા મૂળ શુદ્ધ રૂપમાંથી વિકૃત થયાની શંકા પણ વ્યક્ત કરે છે. આવી પરિસ્થિતિમાં તેવા અપાણિનીય પાઠો પણ નહીં સુધારીને તેઓ હસ્તપ્રતને વફાદાર રહ્યા છે.
" [નોંધ : ઉપનિષદોની પ્રાચીન હસ્તપ્રતોના પાઠોને વફાદાર રહેવા વિષે પ્રસ્તુત લેખમાં પ્રસંગવશ કરવામાં આવતા આદિ શંકરના નામના ઉલ્લેખો, અન્ય ભારતીય ભાષ્યકારોમાં જણાઈ આવતી હસ્તપ્રત-વફાદારીની પરંપરાના એક પ્રતિનિધિ તરીકેનું પણ સૂચન કરે છે. આને અનુલક્ષીને પ્રસ્તુત લેખમાં કોઈ કોઈ વાર “ભાષ્યકાર/ભાષ્યકારો” કે “ભાષ્ય/ભાષ્યો”
જેવા સામાન્ય શબ્દ-પ્રયોગ કરવામાં આવ્યા છે.] વળી, હસ્તપ્રતમાં કોઈક ઠેકાણે આવતો “અશુદ્ધ’’ જેવો પાઠ, જો બીજે ક્યાંક (તે જ હસ્તપ્રતમાં કે અન્ય હસ્તપ્રતોમાં શાસ્ત્રગ્રંથોમાં પણ ઘણીવાર મળી રહેતાં, શુદ્ધ પાઠને બદલે તે “અશુદ્ધ” જેવો પાઠ જ હસ્તપ્રત-પ્રકાશનમાં સ્વીકારી લેવો જોઈએ. આવા “અશુદ્ધ” જેવા પાઠોનાં પરીક્ષણ કરવા હસ્તપ્રત-પ્રકાશકે અન્ય શાસ્ત્રગ્રંથોનાં પણ અધ્યયન કરવાં રહ્યાં ! ૪. હસ્તપ્રત-પ્રકાશકને કોઈ પાઠ અશુદ્ધ લાગે તો તે વિષે શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના આધારે પૂરતાં કારણો
દર્શાવી તેના મતે કયો પાઠ “શુદ્ધ” હોઈ શકે, વગેરે પ્રકારના વિવેચનથી તેણે તે અશુદ્ધ-પાઠ માટેની પાદ-ટિપ્પણીમાં જ - તે જ પાના પર સ્પષ્ટતા કરવી જોઈએ, અથવા તો અન્ય પ્રકરણમાં કે પ્રસ્તાવનામાં તેનું વિવેચન કરવું જોઈએ. પરંતુ તેવા અશુદ્ધ લાગતા પાઠોને મૂળ ગ્રંથ આલેખનમાં તો કોઈપણ
સંજોગોમાં સુધારવા ન જોઈએ. ૫. ઉત્તમ ગ્રંથ-પ્રકાશન માટે દેશ-વિદેશમાંથી પ્રાપ્ત થઈ શકે એટલી લગભગ બધી-હસ્તપ્રતોનું સંકલન થાય
તે ખૂબ આવકાર-દાયક છે. આવાં, ગ્રંથ-પ્રકાશનના આધારે થતાં સંશોધનો પણ આધારભૂત ગણાય છે. સામાન્ય રીતે મધ્યમ કદના એક કે બે શાસ્ત્રગ્રંથો માટે હસ્તપ્રતોનાં આવાં સંકલનાદિ કાર્ય એક વિદ્વાનથી સફળ થઈ શકે. પરંતુ, ખૂબ પ્રચલિત કે બૃહતુ-કાય (ઉદાહરણાર્થે; રામાયણ, મહાભારત વગેરે) અથવા તો સામૂહિક (ઉદાહરણાર્થે; બધા વેદો, બધાં કે મુખ્ય-મુખ્ય ઉપનિષદો, વગેરે) શાસ્ત્રગ્રંથોની બધી હસ્તપ્રતોનાં સંકલનાદિ કાર્યમાં એક કરતાં વધારે વિદ્વાનોની આવશ્યકતા અનિવાર્ય બને છે. મોટે ભાગે તો કોઈ સંસ્થા જ લાંબી સમય-મર્યાદા અને અઢળક ખર્ચ માગી લેતાં આવાં પ્રકાશન કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. તો, મર્યાદિત કે અપર્યાપ્ત હસ્તપ્રતોની સામગ્રી દ્વારા થયેલું, શાસ્ત્રગ્રંથોનું પ્રકાશન કેટલે અંશે પ્રમાણભૂત ગણી શકાય ? ગ્રંથની મૌલિકતા, પુનઃરચના પર નિર્ભર ઐતિહાસિક ગ્રંથ-અધ્યયન/સંશોધન માટે તો આ પ્રકારનાં ગ્રંથ-પ્રકાશનો પૂરતાં નથી, એ એક નવું સત્ય છે. આ દૃષ્ટિએ આવાં ગ્રંથ-પ્રકાશનો સંપૂર્ણ પ્રમાણભૂત/સમીક્ષાત્મક ન ગણાય. કારણ કે, આ પ્રકાશનોમાં ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોમાંથી તે ગ્રંથનું જે આદર્શ-ચિત્ર ઉપસી આવ્યું તેના કરતાં તે ગ્રંથનું કદાચ કોઈ જુદું જ આદર્શ-ચિત્ર, ઉપયોગમાં નહીં લીધેલી અન્ય હસ્તપ્રતોમાંથી ઉપસી આવે એવી સંભાવનાને પૂરો અવકાશ છે, જો કે આવાં પ્રકાશનો સંપૂર્ણ પ્રમાણભૂત તો ન ગણાય, પણ “ભ્રામક” પણ ન ગણાય ! જો કે અપર્યાપ્ત પણ પુનરાવર્તિત (repeated) ન થતી હોય એવી હસ્તપ્રતોના આધારે થયેલાં એક કરતાં વધારે ગ્રંથપ્રકાશનોના સમૂહના એકમથી પ્રમાણભૂતતાની માત્રા વધી જાય છે, અને કદાચ આવું એકમ સંપૂર્ણ પ્રમાણભૂત થાય એવું પણ સંભવે ! ઉદાહરણ તરીકે : ધારો કે કુલ દસ હસ્તપ્રતોના આધારે થયેલું એક ગ્રંથ-પ્રકાશન; એ રીતે તેવાં કુલ ત્રણ ગ્રંથ-પ્રકાશનોના સમૂહના એક એકમમાં પ્રમાણભૂતતાની માત્રા
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #8
--------------------------------------------------------------------------
________________
વધી જાય. તે લક્ષ્ય ગ્રંથની, ધારો કે તે કુલ ત્રીસેક હસ્તપ્રતોથી વધારે હસ્તપ્રતો ક્યાંય ના હોય તો તે એકમ સંપૂર્ણ પ્રમાણભૂત થઈ શકે છે. (આવાં એકમમાં ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોમાંથી મોટાભાગની હસ્તપ્રતો પુનરાવર્તિત થતી હોય તો પ્રમાણભૂતતાની માત્રા વધી જતી નથી.) કાંઈક વિષયાન્તર થતું હોવા છતાં અહીં એક બાબતે વિદ્વાન પ્રકાશકોનું ધ્યાન દોરવું આવશ્યક થઈ પડે છે. ફોટોસ્ટેટ-ઝેરોક્સ (Photostat-Xerox) કે કોમ્યુટર જેવી આધુનિક વિજ્ઞાને આપેલી સગવડોમાં હસ્તપ્રતોની ફોટોસ્ટેટ-કોપીઓ (copies, નકલો) ઘેર બેઠાં પણ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ આવી કોપીઓનો ઉપયોગ હસ્તપ્રતોમાં આલેખેલા પાઠોમાં ઘણીવાર શંકા ઉપજાવે છે. પ્રાચીન હસ્તપ્રતો ઘણીવાર ઉધેઈથી કે કોઈ જીવજંતુથી કંઈક ખવાઈ જતાં, તેમની કેટલીક પ્રતોમાં (folios) અનેક કાણાં પડી ગયાં હોય છે, જેથી તે હસ્તપ્રતોના કેટલાક પાઠ કે અક્ષરો સ્પષ્ટ વાંચી શકાતા નથી કે તે નાશ પામ્યા હોય છે. આવી પરિસ્થિતિમાં ફોટોસ્ટેટ-કોપીઓમાં તેવી હસ્તપ્રતોનાં મૂળે ઉધઈ વગેરેથી પડેલાં કાણાં કોઈ વિકૃત પાઠો - અનુસ્વાર કે વિસર્ગ જેવાં ચિહ્નો - હોય એવો ભ્રમ ઉપજાવે છે. આવો ભ્રમ દૂર કરવા હસ્તપ્રત-પ્રકાશકે ફોટોસ્ટેટ-કોપીઓની સાથે સાથે મૂળ હસ્તપ્રતોને પણ કાળજીથી તપાસી લેવી જોઈએ.
નોંધ : અમે આ સંશોધન લેખમાં ઉપનિષદોના સંદર્ભો ૧૯૯૮/૨ (જુઓ : પરિશિષ્ટ ૫.૧)માંથી આપ્યા છે. તેનાં પાનાંની સંખ્યા બે વાર આવે છે; પ્રથમ મૂળ ઉપનિષદ-ગ્રંથના સંદર્ભ માટેની પાના-સંખ્યા અને પછી તે સંદર્ભ પર આવતાં વિવેચનના કે નોંધના પાનાની સંખ્યા. આ ૧૯૯૮/ર આવૃત્તિમાં ઉપનિષદો અને તે પરની નોંધો નીચેની તારવણી મુજબ આવે
મૂળ ઉપનિષદ અને તેનો
તે ઉપનિષદ ઉપર કેટલીક અંગ્રેજીમાં અનુવાદ
વિવેચનાત્મક નોંધો પાનાં.
પાનાં. બૃ. ઉપ. ૨૯-૧૬૫
૪૮૭-૫૩૨ છા.ઉપ. ૧૬૬-૨૮૭
૫૩૨-પ૭૧ તૈત્તિરીય ઉપ. ૨૮૮-૩૧૩
પ૭૧-૫૭૮ ઐતરેય ઉપ. ૩૧૪-૩૨૩
પ૭૮-પ૮૧ કૌષીતકિ ઉપ. ૩૨૪-૩૬૧
૫૮૧-૫૯૬ કેન ઉપ. ૩૬૩-૩૭૧
પ૯૬-૫૯૯ કઠ ઉપ. ૩૭૨-૪૦૩
૫૯૯-૬૧૧ ઈશ ઉપ. ૪૦૫-૪૧૧
૬૧૧-૬૧૩ શ્વેતાશ્વતર ઉપ. ૪૧૩-૪૩૩ ૬૧૪-૬૨૮ મુંડક ઉપ. ૪૩૪-૪૫૫
૬ ૨૯-૬૩૬ ૧૧. પ્રશ્ન ઉપ. ૪પ૬-૪૭૧
૬૩૬-૬૪૧ ૧૨. માંડૂક્ય ઉપ. ૪૭૩-૪૭૭
૬૪૧. આ પ્રમાણે અન્ય સંદર્ભ માટે પણ સમજવું કે પ્રથમ ગ્રંથ સંદર્ભ આપ્યા પછી તરત પાનાની સંખ્યા દર્શાવી છે]. [૬૩] ગ્રંથપાઠોની “કતલ”ની ઐતિહાસિક રૂપરેખા :
કેટલાક પ્રકાશકો તેમના હસ્તપ્રત-પ્રકાશન માટે આવશ્યક અન્ય ગ્રંથોનું અને ભાષ્યોનું અધ્યયન કરતા
“Bર ત્રિવૃિતં સ્વં યત્નન પ્રતિનિત ']
[ ૨૭.
Page #9
--------------------------------------------------------------------------
________________
નથી, અથવા તો મૂળ ગ્રંથ અને તે પરનાં ભાષ્યોમાં મળતા પાઠાંતરોનું યોગ્ય અધ્યયન કે વિવેચન કરવાનું ટાળે છે; અને હસ્તપ્રતોમાં મળતા પાઠોને સુધારી-વધારી તેમણે સ્વચ્છેદે કરેલા સુધારા-વધારાવાળા પાઠો સાથે જ તે ગ્રંથ-પ્રકાશનો પ્રકાશિત કરે છે. આવાં પ્રકાશનોમાં હસ્તપ્રત-ગ્રંથના કેટલાયે પાઠોની “કતલ” થઈ જાય છે. એક રીતે આ બધાં પ્રકાશનો “આધુનિક (ક્યાંય અસ્તિત્વ નહીં ધરાવતી એવી, આજના સ્વચ્છંદી પ્રકાશકની પોતાની કલ્પિત) હસ્તપ્રત”ના આધારે પ્રકાશિત થયેલ ગણી શકાય. આ પ્રકાશક અહીં “પ્રકાશક” મટીને તેની “આધુનિક હસ્તપ્રતનો” “(આધુનિક) લહિયો” બની બેસે છે. તેના આવા અપ્રમાણભૂત ગ્રંથના આધારે થતાં અન્ય વિદ્વાનોનાં સંશોધનો પણ પ્રમાણભૂત ગણાતાં નથી. આ પ્રકાશનો સંશોધનોમાં “રોગચાળાના વાયરસ” ફેલાવે છે અને ગ્રંથ-પાઠોની “કતલની” એક “અસ્વસ્થ” પરંપરાને જન્મ આપે છે.
જો કે આવા પ્રકાશકે તેના ગ્રંથ-પ્રકાશનમાં કેટલાક પાઠોના સુધારા-વધારા કર્યા હોય તે નિમિત્તે તેની પ્રસ્તાવનામાં કે અન્ય ઠેકાણે ક્યાંય સ્પષ્ટતા કરી હોય તો પણ તેના ગ્રંથ-પ્રકાશન માટે સર્વમાન્ય નીતિ-નિયમોના ભંગ કર્યાના દોષ દૂર થતા નથી. ગ્રંથ-પ્રકાશનમાં આવી સ્પષ્ટતાથી મૂળ ગ્રંથના પાઠો સાથે ચેડાં કરવાની છૂટછાટ મળી જતી નથી. ક્યાંક સ્પષ્ટતાવાળું આવું પ્રકાશન પણ ઘણા વિદ્વાનોમાં ભ્રમ ઊભો કરે છે. આવી “માયા-જાળ” ઊભી કરવાનું દરેક પ્રકાશક-વિદ્વાન ટાળે તે જરૂરી છે.
કેટલાક વિદ્વાન પ્રકાશકોએ ઉપનિષદોની હસ્તપ્રતોમાં મળતા કોઈ કોઈ “દૂષિત” પાઠોને (જુઓ ઉપર (૬૨૪-૧) ઉપનિષદ પ્રકાશનમાં અવરોધ-રૂપ ગણ્યા. સાથે સાથે ભાગ્યો કે ભાષ્યકારો વિરુદ્ધ (જુઓ હૃ૨-૪૨) પ્રવર્તતા પૂર્વગ્રહમાં તેઓ પીડાતા રહ્યા, અને આવા ભાષ્યકારોએ તેમનાં ભાષ્યોમાં ઉપનિષદોની મળતી હસ્તપ્રતોના પાઠો, સુધારો-વધારો કર્યા વિના જાળવી રાખીને જે માન ઉપજાવે એવી જવાબદારી દર્શાવી છે તેને આ વિદ્વાન પ્રકાશકો ઘડીભર ભૂલી ગયા, ઉપનિષદોનાં પ્રકાશનમાં તેઓ ભાષ્યોની અક્ષમ્ય અવગણના કરતા થયા. 1 ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રગ્રંથોમાં ઉપનિષદ-શાસ્ત્રનો ઊંચો દરજ્જો અને તેમાં વણાયેલી આધ્યાત્મિક, તત્ત્વજ્ઞાનપરક વિચારધારાનું મહત્ત્વ વિચારતાં, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં ખાસ કરીને યૂરપના સંસ્કૃતજ્ઞ વિદ્વાનોએ કેટલાંક ઉપનિષદોના પ્રાચીન પાઠોને શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનથી તારવી કાઢીને તે તે ઉપનિષદોની “સમીક્ષાત્મક આવૃત્તિઓ” તૈયાર કરી, જે મૂળે અસમીક્ષાત્મક ગણી શકાય ! [૬૩-૧] ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ :
આ પ્રકારે ઉપનિષદોની આવૃત્તિઓ પ્રકાશિત કરનારા વિદ્વાનોમાં ડચ-જર્મન વિદ્વાન ઓટો બોહતલિંગનું (૧૮૭૫-૧૯૦૪) નામ માધ્યદિન-શાખાની બૃહદારણ્યક (=ઍ.) ઉપનિષદની (=ઉપ. ૧૮૮૯/૧૯) અને - છાન્દોગ્ય (છા.) ઉપ.ની (૧૮૮૯)૨) આવૃત્તિઓના પ્રકાશક તરીકે આગળ પડતું છે. | શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો આધાર લઈ બોલતલિંગે ૧૮૮૯માં બૃહદારણ્યક (માધ્યદિન-શાખા) અને છાન્દોગ્ય ઉપનિષદોની પ્રકાશિત કરેલી આવૃત્તિઓને “સમીક્ષાત્મક” તો જણાવી, પણ વિચિત્રતા તો એ છે કે તે “બંને આવૃત્તિઓમાં
૧. હસ્તપ્રત-પ્રકાશનના નીતિ-નિયમોને અનુસરીને કોઈપણ હસ્તપ્રતોનો આધાર લેવામાં આવ્યો
નથી, ૨. દર્શાવેલા પાઠાંતરો માટે પ્રાપ્ત હસ્તપ્રતોનાં કાળજીપૂર્વકનાં પરીક્ષણનો આધાર કે શક્ય એટલી
બધી હસ્તપ્રતોના સંકલનનો આધાર પણ લીધો નથી અને ૩. કોઈ હસ્તપ્રતો મેળવવા કંઈપણ પ્રયત્ન કર્યો નથી.
હસ્તપ્રતોના આધારે “ગ્રંથ-પ્રકાશનની” માયા-જાળમાં અહીં વ્યોહતલિગે “ગ્રંથ-પુનઃરચનાનું” (textual-reconstruction) કાર્ય કર્યું છે. ગ્રંથ-પ્રકાશન તરીકે આ બે ઉપનિષદોની આવૃત્તિઓ પ્રમાણભૂત ગણાતી નથી. (ઓલિવેલે : ૧૯૯૮/૨ : XV). ૨૮]
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #10
--------------------------------------------------------------------------
________________
[૬૩-૨] વીસમી સદી : પૂર્વાર્ધ :
વ્યોહતલિંગની ૧૮૮૯માં ઉપર્યુક્ત બે ઉપનિષદોની આવૃત્તિઓ પ્રકાશિત થઈ ત્યારથી ઉપનિષદોની કેટલીક પ્રકાશિત થતી આવૃત્તિઓમાં ઉત્તરોત્તર થતી ભૂલોની પરંપરાનો- ઉપનિષદોની પ્રકાશિત પૂર્વવર્તી આવૃત્તિઓ માટે કહેવાતી પ્રમાણભૂતતાની માયાજાળનો - પ્રારંભ થયો. છતાં આવાં બધાં પ્રકાશનોને સૌ પ્રકાશકોએ “સમીક્ષાત્મક” ગણાવ્યાં છે !
નિોંધ : પરિશિષ્ટ : ૫.૧માં દર્શાવેલાં ઉપનિષદ પ્રકાશનોનાં શીર્ષકોમાં યોજેલા “સમીક્ષાત્મક” શબ્દ ઉપરથી સ્પષ્ટ થશે કે તે તે આવૃત્તિઓના પ્રકાશકો જ તેમની આવૃત્તિઓને સમીક્ષાત્મક” ગણાવે છે ! આ સિવાય ઓટો શ્રાડરની, ઉપનિષદોના સમૂહની પ્રકાશિત
આવૃત્તિ (૧૯૧૨) સાચેસાચ સમીક્ષાત્મક ગણી શકાય એવી છે.] પરંતુ ઉપનિષદોની ઈતર આવૃત્તિઓ કરતાં વધારે તો વ્યોહતલિંગની ઉપર્યુક્ત બે આવૃત્તિઓમાં, તે રીતે હેર્ટીલની ૧૯૨૪માં પ્રકાશિત મુંડક ઉપનિષદની આવૃત્તિમાં અને હાઉશિલ્ડની ૧૯૨૭માં પ્રકાશિત કરેલી શ્વેતાશ્વતર ઉપનિષદની આવૃત્તિમાં શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો આધાર લેવાતો ગયો. શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના આધારે પાઠાંતરોની કલ્પના તથા આયોજન, ગ્રંથ-અધ્યયન અને તે ગ્રંથની પુનઃરચના માટે આવશ્યક થઈ પડે છે, તે “મૂળ-ગ્રંથ” તૈયાર કરવાની એકમાત્ર પ્રક્રિયા છે. પરંતુ, તેવા પાઠાંતરોને ગ્રંથ-પ્રકાશનમાં દર્શાવવું અયોગ્ય “ ગણાય છે. શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના આધારે દર્શાવેલા પાઠાંતરો હસ્તપ્રતોમાં સમાંતર મળી આવતા હોય એવું ભાગ્યે જ હોય છે. આવા પાઠાંતરોને હસ્તપ્રતોના આધારે થતા ગ્રંથ-પ્રકાશનમાં સ્થાન આપતાં તે અનેક પ્રકારનો ભ્રમ ઊભો કરે છે કે, જાણે કે એ ગ્રંથ-પ્રકાશકની આવૃત્તિ હસ્તપ્રતોના આધારે જ અસ્તિત્વમાં આવી છે, જેથી અન્ય વિદ્વાનોમાં આવી આવૃત્તિઓની યોગ્યતા- અયોગ્યતા ચર્ચાસ્પદ થઈ જાય છે. કોઈ વાર એક પ્રકાશને આવા કલ્પી કાઢેલા, પાદ-ટિપ્પણીમાં સૂચવેલા, સ્વીકારવા યોગ્ય લાગતા વિદ્વત્તાપૂર્ણ પાઠાંતરને, બીજા કોઈ પ્રકાશકો, બેદરકારીપૂર્વક ભૂલથી એક “સ્વીકૃત” પાઠાંતર તરીકે પોતાના ગ્રંથ-પ્રકાશનમાં સમાવી લે છે. પરિણામે આવો કલ્પિત પાઠ પણ મૂળ ગ્રંથના પાઠ તરીકે ચાલુ થઈ જાય છે, અને તે ભૂલની પરંપરા સર્જે છે !
| શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના જાણીતા વિદ્વાન વ્હિટની પણ સ્પષ્ટ જણાવે છે કે : હસ્તપ્રતોના આધાર વિના ફક્ત શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના બળે મૂળ ગ્રંથની આવૃત્તિ જરાપણ વિશ્વાસ કરવા લાયક ઠરતી નથી (૧૮૮૯). ફક્ત સ્વીકૃત હસ્તપ્રતના આધારે અને બીજી હસ્તપ્રતોમાંથી પાઠાંતરો દર્શાવીને જ કે તેમાં ફેરફાર કર્યા વિના જ મૂળ ગ્રંથનું પ્રકાશન થવું જોઈએ (૨-૫). [૬૩-૩] વીસમી સદી : ઉત્તરાર્ધ
વીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ કેટલાંક ઉપનિષદોની છપાયેલી આવૃત્તિઓ પણ પ્રમાણભૂત તો નથી જ. તેમાંની કેટલીક આવૃત્તિઓ તો તેમની પૂર્વે છપાયેલી (ઉપનિષદોની) આવૃત્તિઓના આધારે, અને તે પણ છાપખાનામાં તેમને છાપતાં રહી ગયેલી ભૂલો (printing mistakes) અને તેમના પ્રકાશકોએ દર્શાવેલા નર્યા કાલ્પનિક પાઠાંતરો સહિત જ પ્રકાશિત થઈ છે ! તે નીચેનાં ઉદાહરણો ઉપરથી સ્પષ્ટ થશે.
૧. લિમયે અને વાડેકરે તેમની ૧૯૫૮માં અઢાર ઉપનિષદોના સમૂહ રૂપે પ્રકાશિત કરેલી આવૃત્તિમાં તેઓ જણાવે છે કે : બૃહદારણ્યક અને શ્વેતાશ્વતર ઉપનિષદોની પ્રાચીન હસ્તપ્રતો ઠેક-ઠેકાણે દૂષિત લાગતી હોય છે, પણ તે ઉપનિષદોની અન્ય છપાયેલી આવૃત્તિઓ તે હસ્તપ્રતો કરતાં સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી તેમનો આ આવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવ્યો (સરખાવો : ૧૯૫૮ : લિમયે-વાડેકર : vi) તેમ છતાં પણ આ પ્રકાશકોએ તે તે હસ્તપ્રતોમાં દૂષિત જણાતા પાઠાંતરો જો તેમની આ આવૃત્તિમાં નોંધ્યા હોત તો તે બધા અન્ય વિદ્વાનોને ખૂબ ઉપકારક થઈ પડત. પરંતુ આ પ્રકાશકોએ એમ કર્યું નથી એ જાણીને ખૂબ ખેદ થાય છે.
આજના વિદ્વાનો લિમયે-વાડેકરની આ આવૃત્તિ સામાન્ય રીતે એક પ્રમાણભૂત આવૃત્તિની જેમ
શેન ત્રિવિતં યત્રેન પ્રતિપાયે ”]
[૨૯
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉપયોગમાં લે છે. સેલોમનને મુંડક ઉપનિષદ અને પ્રશ્ન ઉપનિષદ ઉપરનાં પોતાનાં વિદ્વત્તાપૂર્ણ અધ્યયન અને સંશોધન માટે લિમયે-વાડેકરની આવી અસમીક્ષાત્મક આવૃત્તિ ઉપર આધાર રાખવો પડ્યો તે માટે સેલોમને ખેદની લાગણી પણ વ્યક્ત કરી છે (૧૯૯૧ : ૪૮).
૨. ફેંગે તેની ૧૯૬૯માં પ્રકાશિત થયેલી કૌષીતકિ ઉપનિષદની આવૃત્તિ માટે ટ્યૂબિંગનમાંથી (જર્મની) મળી આવેલી ફક્ત એક જ હસ્તપ્રતનો આધાર લીધો, પણ તે આવૃત્તિમાં દર્શાવેલા પાઠાંતરો તો તેની પૂર્વે છપાયેલી આ ઉપનિષદની કેટલીક આવૃત્તિઓમાંથી જ સીધા ઉઠાવ્યા !
૩. વૈદિક વામય અને ઉપનિષદૂ-શાસ્ત્રના જાણીતા જર્મન વિદ્વાન વિહેલ્મ રાઉના માર્ગદર્શન નીચે માઉએએ પોતાના શોધ-નિબંધ (doctoral thesis) તરીકે કાવ-શાખાના બૃહદારણ્યક ઉપનિષદના ફક્ત પ્રથમ અધ્યયનની, સ્વરાંકન (accents) સહિતની એક આવૃત્તિ (૧૯૭૬) માટે સૌથી વધારે હસ્તપ્રતોના આધાર લીધાનો દાવો કર્યો. પરંતુ તેણે ત્રણ હસ્તપ્રતો ભારતમાંથી અને બીજી ત્રણ હસ્તપ્રતો યૂરપમાંથી; એમ ફક્ત (કુલ) છ જ હસ્તપ્રતોની સાથે સાથે બીજી સાત છપાયેલી આવૃત્તિઓને પણ ઉપયોગમાં લીધી ! આ પ્રકાશનમાં સ્વરાંકનને મહત્ત્વ આપવા સ્વરાંકનો દર્શાવતી આ છ જ હસ્તપ્રતો મળી આવવાથી એણે ઇતર-સ્વરાંકન વગરની-હસ્તપ્રતોને ઉપયોગમાં લેવાનું યોગ્ય ન ગયું. આમ છતાં માઉએએ આવી-સ્વરાંકન વગરની હસ્તપ્રતોમાંથી ફક્ત પાઠાંતરો નોંધ્યા હોત તો આ આવૃત્તિ વિશેષ પ્રમાણભૂત થઈ શકી હોત ! (જુઓ ઓલિવેલે : ૧૯૯૮/૨ xv). , ૪. અપર્યાપ્ત હસ્તપ્રતોના આધારે પ્રકાશિત છતાં માઉએની ઉપર્યુક્ત આવૃત્તિને “સમીક્ષાત્મક” માની અમેરિકન વિદ્વાન પેરેઝ કૉફીએ ૧૯૯૪માં તેના શોધ-નિબંધ માટે કાવ-શાખાના બૃહદારણ્યક ઉપનિષદના ફક્ત બીજા અધ્યયનની સ્વરાંકનો સાથેની આવૃત્તિમાં, માઉએએ તેની આવૃત્તિમાં ઉપયોગમાં લીધેલી છે હસ્તપ્રતોને, તથા તે ઉપરાંત એક વધારાની હસ્તપ્રતને ઉપયોગમાં લીધી. આમ આ આવૃત્તિ પણ અપર્યાપ્ત ફક્ત સાત જ - હસ્તપ્રતોના આધારે તૈયાર થઈ.
માઉએએ તથા કૉફીએ બહદારણ્યક ઉપનિષદની તેમની આવી આવૃત્તિઓ માટે શક્ય એટલી અન્ય હસ્તપ્રતો ભારતમાંથી કે બીજાં સ્થળોમાંથી મેળવવા કોઈ પ્રયાસ આદર્યો હોય એમ લાગતું નથી.
૫માક્સ મ્યુલરે સો વર્ષ ઉપર જે બે હસ્તપ્રતો પોતાના પ્રકાશનમાં ઉપયોગમાં લીધી હતી તે બે, અને ફક્ત તે બે જ હસ્તપ્રતોના આધારે, પણ સૌથી વધારે પ્રમાણમાં તો તે ઉપનિષદની છપાયેલી અન્ય આવૃત્તિઓનો આધાર લઈ ઓબરલીઝે ૧૯૯૫માં શ્વેતાશ્વતર ઉપનિષદના પ્રથમ અધ્યાયની આવૃત્તિ પ્રકાશિત કરી. આવી આવૃત્તિ પ્રમાણભૂત ગણાય જ નહીં તે નિર્વિવાદ છે. [૬૪-૩] આવશ્યક સ્પષ્ટતા : ,
૧. ઓગણીસમી-વીસમી સદીનાં બધાં ઉપનિષદ-પ્રકાશનો સંપૂર્ણ અપ્રમાણભૂત હતાં તેવું તો ન જ માની શકાય. ઉદાહરણ તરીકે ઓટો શ્રાડરનું ૧૯૧૨માં પ્રકાશિત, કેટલાંક વીસ ઉપનિષદોના સંગ્રહનું પ્રકાશન સાચે જ સમીક્ષાત્મક | પ્રમાણભૂત ગણાવી શકાય.
૨. આજના પ્રતિષ્ઠિત વિદ્વાનોમાં જે કોઈની ઉપનિષદોની આવૃત્તિઓ તાજેતરમાં પ્રકાશિત થઈ હોય એમાં, ઉપનિષદ-શાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન પેટ્રિક ઓલિવેલેની ૧૯૯૮માં પ્રસિદ્ધ થયેલી બાર પ્રાચીન ઉપનિષદોના સમૂહની આવૃત્તિ વિશેષ ધ્યાન ખેંચે છે. આ આવૃત્તિમાં દરેક ઉપનિષદનું પ્રસ્તાવના તરીકે વિદ્વત્તાપૂર્વક વિવરણ, પછી એક પાના પર તે ઉપનિષદ-ગ્રંથ અને તેની સામેના (જમણી-બાજુના) પાના પર અંગ્રેજીમાં તેનો શબ્દશઃ અનુવાદ; આમ બાર ઉપનિષદોના ગ્રંથ અને અનુવાદ આપી દીધા પછી, અંતે તે તે ઉપનિષદો સંબંધી જયાં ત્યાં પાદ-ટિપ્પણીઓ તથા લગભગ બધા પ્રતિષ્ઠિત ભારતીય કે પાશ્ચાત્ય-વિદ્વાનોનાં લગભગ બધાં પ્રકાશનોમાંથી તથા સંશોધન-લેખોમાંથી આવશ્યક પાઠાંતરો, ભાષાંતરો, ઇત્યાદિ ઉપર વિદ્વત્તાપૂર્ણ સમીક્ષાત્મક નોંધો સાથે ૩૦].
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #12
--------------------------------------------------------------------------
________________
ભરચક માહિતી રજૂ કરવામાં આવી છે. (ઓલિવેલેએ તેની ૧૯૯૬ની આવૃત્તિ ઉપરથી આ આવૃત્તિ વિસ્તૃત કરી છે.)
આ આવૃત્તિ કોઈપણ હસ્તપ્રતના આધારે તૈયાર નહીં કરી હોવાથી ઓલિવેલેએ જાતે જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેની આ આવૃત્તિ “સમીક્ષાત્મક” નથી (xv). વળી, મૂળ ઉપનિષદ-ગ્રંથના પાઠોમાં પણ સુધારા કર્યા નથી છતાં છંદ અને સ્વર-સંધિ વિષે તથા કૌષીતિક ઉપનિષદ વિષે તેણે જે કાંઈક નજીવા-નગણ્ય સુધારા કર્યા છે તેનો તેણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે (xvi, xviii). હસ્તપ્રતોના આધાર વગર, પણ ઉપનિષદ શાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાનોએ વ્યક્ત કરેલા ગહન સંશોધનાત્મક-વિચારોનાં આધારે પ્રકાશિત, છતાં ઉપનિષદોના પાઠ પાઠાંતરોને વફાદાર રહી તે પર વિશદ વિમર્શ સાથેની આ આવૃત્તિ રસ ધરાવનારા દરેક વિદ્વાને ઉપયોગમાં લેવા જેવી છે.
૩. ઉપનિષદોની પ્રકાશન પરંપરાનાં વિવિધ પાસાંનું અને તેના ઇતિહાસનું વિસ્તૃત વિવેચન આ લેખમાં શક્ય નથી. ઓલિવેલેએ તાજેતરમાં જ પ્રસ્તુત વિષય પર વિશેષ પ્રકાશ પાથરી, પ્રતિષ્ઠિત વિદ્વાનોએ ફેલાયેલી તેમનાં ઉપનિષદ-પ્રકાશનો સંબંધી “સમીક્ષાત્મકતાની' માયાજાળનું વિદ્વાનોને પરમ જ્ઞાન આપ્યું કે “તેવું રત્નત સમીક્ષાત્મમ્' આ ઉપનિષદ-પ્રકાશન સમીક્ષાત્મક-‘રજત” - નથી.” આવાં કેટલાંક અપ્રમાણભૂત ઉપનિષદ-પ્રકાશનોમાં દર્શાવેલા ગ્રંથો-પાઠો, વગેરેનું અહીં ઓલિવેલેના આધારે (૧૯૯૬, ૧૯૯૮/૧, ૧૯૯૮/ ૨) પણ વિશદતાથી વિવેચન કરવામાં આવે છે. (આના વિસ્તાર માટે ઓલિવેલેની ૧૯૯૮ની આવૃત્તિનું અધ્યયન કરવું જરૂરી છે.) અહીં ૧૯૯૮/૨ માંથી લીધેલા સંદર્ભો માટે જુઓ પરિશિષ્ટ ઃ ૫.૧. [§૪] ઉપનિષદ-પ્રકાશનોની માયાજાળ :
[F૪.૧] છા.ઉપ.ના મૂળ પાઠ સાથે છૂટછાટ
૧. બ્યોહતલિંગની ૧૮૮૯માં પ્રકાશિત o.ઉપ. (માધ્યદિન-શાખા)ની આવૃત્તિ કરતાં ય ખાસ તો તેની તે જ વર્ષે પ્રકાશિત છા. ઉપ.ની આવૃત્તિ ઉપનિષદોનાં અધ્યયન માટે એક આદર્શ આવૃત્તિ થઈ પડી (૧૯૯૮/૨. xvi), ગ્રંથ પ્રકાશનના સામાન્ય નિયમોની તદ્દન ઉપેક્ષા કરી છા.ઉપ.ના પ્રકાશનમાં બ્યોહતલિંગે ‘ઊલટી” રીતો અજમાવી ! તેને ગ્રંથના જે મૂળ પાઠો યોગ્ય ના લાગ્યા તે પાઠોના સ્થાને તેણે તેના કલ્પિત પાઠો મૂક્યા અને શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના આધારે કેટલાક સુધારા-વધારા પણ મૂળ ગ્રંથમાં જ રજૂ કર્યા, તથા ગ્રંથના તે તે મૂળ પાઠો તેણે પાદ-ટિપ્પણીઓમાં ( તે તે પાના પર જ નોંધ્યા), અથવા તો તે બધા પાઠો તે ગ્રંથ સંપૂર્ણ થઈ ગયા પછી- સામાન્ય રીતે કોઈ વાચક-વિદ્વાનને તરત દૃષ્ટિગોચર પણ ન થાય એવા સ્થળે તે આવૃત્તિના છેક અંતિમ સ્થાને નોંધરૂપે દર્શાવ્યા ! ઉપરાંત, છા.ઉપ.ના મૂળગ્રંથમાં ઠેક-ઠેકાણે તેણે સુધારા કર્યા; જેમકે :
(૨) પુતવાત્મ્યમ્ ના બદલે તદ્દાત્મ્યમ્ (સરખાવો ૧૯૮૬..., ૨૦૦૧. ૪૮),
(૨) સોમ્ય ના બદલે સૌમ્ય,
(૩) અધિવૈવતમ્ ના બદલે અધિવેવતમ્.
બ્યોહતલિંગ જણાવે છે કે તેને આવા પાઠ પ્રથમવાર મહાભારતાદિ ગ્રંથોમાં જ દૃષ્ટિગોચર થયા, તેથી તેણે તે અહીં રજૂ કર્યા ! પરંતુ બ્યોહતલિંગની આકરા શબ્દોમાં સમીક્ષા કરતાં વ્હિટનીએ (૧૮૯૦/સ. ૪૧૨) જણાવ્યું કે જો તેવા પાઠ ઉપનિષદોમાં ન મળતા હોય તો તે પાઠ ઉપનિષદોમાં રજૂ ન કરવા જોઈએ.
વળી, તેણે કોઈની ઉક્તિના સંદર્ભમાં આવતા રૂતિ જેવા શબ્દ-પ્રયોગ જે મૂળ ગ્રંથમાં જ્યાં જ્યાં આવતા હોય ત્યાંથી તેવા શબ્દપ્રયોગ કોઈવાર કાઢી નાખ્યા અને કોઈ વિષયનો ફકરો પૂરો થયાનું લાગતાં ત્યાં તેણે રૂતિ શબ્દ ઉમેર્યો. વ્હિટનીએ આ બાબતે પણ બ્યોહતલિંગની ટીકા કરી છે (૧૮૯૦/સ. ૪૦૯). જો કે આવા કૃતિ જેવા સુધારા-વધારાથી મૂળ ગ્રંથનો અર્થ ભાગ્યે જ વિકૃત થતો હોય. પરંતુ તેથી મૂળ ગ્રંથના પાઠો “જ્હન નિચ્છિત ગ્રન્થ યભેન પ્રતિપાતયેત્ ॥']
[ ૩૧
Page #13
--------------------------------------------------------------------------
________________
સાથે આવાં ચેડાં કરવાનો કોઈ પણ વિદ્વાનને અધિકાર મળતો નથી.
૨. બ્યોહતલિંગે ૧૮૮૯માં પ્રકાશિત ‰.ઉપ.ની અને છા.ઉપ.ની આવૃત્તિઓમાં અનેક કલ્પિત પાઠોના સુધારા-વધારા કર્યા પછી તેણે તે વિષે કાંઈ જુદા જ વિચારો વ્યક્ત કરવા લેખો લખ્યા, જેની ઓલિવેલેએ (૧૯૯૮/૨) અનેક સ્થળે પ્રસંગવશ નોંધ પણ લીધી છે, જેમ કે :
(૧)મૂળપાઠ પ્યાસમ્ (છા.ઉપ.૧.૬.૭ : ૧૦૬, ૫૩૬) ના બદલે તેની આવૃત્તિમાં (૧૮૮૯) વિલાસનમ્, (જુઓ વ્હિટની. ૧૮૯૦. ૪૧૩). પણ તેના લેખમાં (૧૮૯૭/૨-૧૨૭) ભાષર્ માન્યું !
(૨) મૂળ પાઠ રૂતિ ને (બે વાર ઃ છા.ઉપ.૩.૧૧-૬, ૨૦૪, ૫૪૩) તેની આવૃત્તિમાંથી (૧૮૮૯) દૂર કર્યા; પણ તેના લેખમાં (૧૮૯૭/૨.૮૭) કૃતિ ને મૂળ પાઠ તરીકે મંજૂર રાખ્યું (સરખાવો ઃ ૨.૧.૫; ૨.૫.૩૪, તથા ૧૯૯૮/૨. xvi).
૩. બ્યોહતલિંગની, આવા સ્વરછંદી સુધારા-વધારા-વાળી ઉપનિષદની આવૃત્તિએ, તેનો ઉપયોગ કરનારા અન્ય ઘણા વિદ્વાનોને તે ઉપનિષદના અનેક પાઠો-પાઠાંતરો અને મૂળ ગ્રંથ-પાઠ બાબતે ભ્રમમાં રાખ્યા; જેમકે :
મિત્યુતક્ષરમુળીથમુપાસીત । (છા.ઉપ. ૧.૪.૧ : ૧૭૪, ૫૩૪)
‘‘ઓમ્ એવા આ અક્ષરની જેમ ઉગીથની ઉપાસના કરવી જોઈએ.’’ અહીં બ્યોહતલિંગે કલ્પી લીધું કે છા.ઉપ. ૧.૧.૧(૧૭૦, ૫૩૩)ને અનુસરીને હસ્તપ્રતોમાં અને પૂર્વે રચાયેલી આવૃત્તિમાં સૌથમ્ પાઠ ઉમેરવામાં આવ્યો છે; તેથી તેણે તેની આવૃત્તિમાં દ્રીથર્ પાઠ દૂર કર્યો અને તે માટેનું કારણ તેણે ત્યાં-તે જ પાના પરની પાટિપ્પણીમાં ન જણાવતાં તેની આ છા.ઉપ.ની આવૃત્તિના અંતે નોંધમાં તેનું કારણ જણાવ્યું !
બ્યોહતલિંગની આવી છા.ઉપ.ની આવૃત્તિના આધારે, પણ મોટે ભાગે બ્યોહતલિંગે આપેલી નોંધો વાંચ્યા વગર જ, સેનાર્ટે ૧૯૩૦માં છા.ઉપ.નો (ફ્રેંચ ભાષામાં) અનુવાદ પ્રકાશિત કર્યો. તેમાં બ્યોહતલિંગના સુધારેલા પાઠ (ઓમિત્યંતક્ષરમુપાસીત) ને સેનાર્ટે છા.ઉપ.નો મૂળ ગ્રંથ-પાઠ માની લીધો, અને એ પાઠમાં આવતા અક્ષરમ્ પદમાં કોઈ વિશેષણ ખૂટતું હોય એવી શંકાથી સેનાર્ટ વ્યગ્ર થયો. આ પહેલાં સેનાર્ટે તેના ૧૯૦૯ના લેખમાં જણાવેલું કે વૈદિક સાહિત્યમાં ૩૫+ઞસ્ ક્રિયાપદનો અર્થ “(સાદર) ઉપાસના કરવી” (venerate) એવો જ નહીં, પણ તે શારીરિક, વિધિપરક અને આધિભૌતિક સમાનતા સૂચવતો કોઈ અર્થ પણ ધરાવે છે. આ ઉપરથી સેનાર્ટે ઓમ્ પદમાં છા.ઉપ. ૧.૧.૧માં આવતા ઉત્નીથમ્ પદની સમાનતાનું સૂચન •કર્યું. (જુઓ ૧૯૯૮/૨ છ ૫૩૪-૫૩૫).
૧૮૮૯ની પોતાની આવૃત્તિઓમાં રજૂ કરેલા (‰.ઉપ.અને છા.ઉપ.ના) કલ્પિત પાઠો કાંઈક અયોગ્ય છે એવું જણાતાં, બ્યોહતલિંગે ફરીથી તે વિષેના તેના વિચારો એવા સામયિકમાં (જુઓ ૧૮૯૦, ૧૮૯૭/૧, ૧૮૯૭/૨) પ્રકાશિત કર્યા કે જે ભાગ્યે જ અન્યત્ર જાણીતું થયું હશે કે અન્ય વિદ્વાનોને પરિચિત હશે. આના લીધે સેનાર્ટ પણ ઉપર જણાવ્યા પ્રમાણે ભ્રમમાં રહ્યો !
૪. ગવાર્યતાટ્ વેનધીત્વ યથાવિધાન ગુરો: હ્રાંતિશેષેળ મિસમાનૃત્ય.... (છા.ઉપ. ૮-૧૫-૧,
૨૮૬, ૫૭૧)
‘‘વિધાનપૂર્વક ગુરુ માટેનાં (દૈનિક) કર્મોમાંથી બાકી રહેલા સમયે વેદનું અધ્યયન કરી આચાર્યના કુળમાંથી (ઘેરથી) પાછા ફરીને.'
૩૨ ]
શંકરે તેના છા.ઉપ.ના ભાષ્યમાં અહીં મૂળ પાઠ અતિશેષે માટે અતિશિષ્ટઃ પદનો ઉપયોગ કર્યો છે (... ર્મ યર્તવ્ય તત્-ત્વા... યોઽતિશિષ્ટઃ નિ:... પા. ૫૫૨)
[ સામીપ્ટ : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #14
--------------------------------------------------------------------------
________________
અહીં વ્યોહતલિગે શાંકરભાષ્યના આધારે મતિ
ના બદલે #
–ાવિશેષેખ જેવો પાઠ
સુધાર્યો.
જો કે ગૌતમ-ધર્મસૂત્રમાં (૧-૩.૬) તિશેખ જેવો આધારભૂત મૂળ પાઠ મળી આવે છે, અને ગૌતમ-ધર્મસૂત્રની આવૃત્તિ તો ૧૮૭૬માં સ્ટેન્ડલરે પ્રકાશિત કરી હતી, છતાં પણ વ્યોહતલિંગે તે પ્રત્યે ધ્યાન ન આપતાં તેની ૧૮૮૯ની છા.ઉપ.ની આવૃત્તિમાં ઉપર જણાવ્યા મુજબનો ફેરફાર કર્યો, અને લગભગ આઠ વર્ષ બાદ (૧૮૯૭/૧, ૧૮૯૭/૨) અજાણ્યા સામયિકોમાં લેખ લખી તેણે પોતાની ભૂલોનો એકરાર કર્યો. તેનાર્ટને આ બાબતનો ખ્યાલ ન આવતાં (૧૯૩૦, ૧૨૧) અહીં (છા.ઉપ. ૮-૫૧-૧) મૂળ પાઠ અને બોહતલિંગના સુધારેલા પાઠનો નિર્ણય લેવામાં તેને મુશ્કેલી ઊભી થઈ. છેવટે બોહતલિંગના ત્વવિગેરે જેવા સુધારેલા પાઠ માટે સેનાટૅ - તિશેખા જોડી દીધું, જેમકે :
आचार्यकुलाद्वेदमधीत्य यथाविधानं गुरोः कर्म कृत्वा [अतिशेषेण] अभिसमावृत्य... (१९३० :१२१).
. અલ્લેવ તતો મૂય તિ | (છા.ઉપ.૩.૧૧.૬. ૨૦૪, ૫૪૩) અહીં બોલતલિંગે રૂતિ પદ દૂર કર્યું અને તેના લેખમાં (૧૮૯૭/૧. ૮૨) આ તિ પદની યોગ્યતા માન્ય રાખી. એનાર્ટ આ બાબતે પણ અજ્ઞાત
રહ્યો.
૬. ... પ્રધ્યાયીતામનદ્ધાક્ષ:... (છા.ઉપ. ૬-૧૪.૧. ૨૫૬, ૫૬૨) વ્યોહતલિંગે તેની આવૃત્તિમાં (૧૦૬) આ મૂળ પાઠ સુધારીને તેના સ્થાને પ્રધાવેત જેવો પાઠ કલ્પી લીધો, અને ૧૮૯૭/૨ (૧૨૮)માં પ્રઢાવેત જેવો પાઠ સૂચવ્યો. હિટનીએ (૧૮૯૦)સ. ૪૧) મૂળ પાઠને જ આધારભૂત માની બોહતલિંગના પ્રધાન પાઠને અયોગ્ય ગણ્યો. (જુઓ ઓલિવેલે ૧૯૯૮/૨ : પ૬૨). ૭. આવોત્તેવ કામે લૂંથાત્ (છા.ઉપ. ૪.૯.૨ : ૨૨૨, ૫૫૧)
પણ, મારી ઇચ્છાએ (=હું તો ઇચ્છે કેભગવાન્ (જાતે) જ (મને) કહે (શીખવે).”
(૧) અહીં વ્યોહતલિંગને શાને (.સપ્તમી વિભક્તિ એકવચન) પદ તથા તે ઉપરનું શાંકરભાષ્યનું વિવરણ (બે છાએ = મમ-છાયામ્ પા. ૨૩૨); બંને સ્વીકારવા જેવાં ન લાગ્યાં, જેથી આ મૂળ વાક્યના શબ્દોને/પદોને જુદી રીતે વિભક્ત કરીને, પણ કુશળ રીતે થોડાક ફેરફાર સાથે નવો પાઠ રજૂ કર્યો, જેમકે
... વિ છે મે .. (મૂળ પાઠ) ... વિમ્ + અ + મે ... (બોહતલિંગનો પાઠ)
આમ “પાર્વાહ્ન + શ્વમ્ + વ્રયા" વાક્ય રચી તેનો અર્થ કર્યો “Jadoch konnte der Erhabene, aber auch nur er allein, es auf diese Weise verkunden.” “પણ ભગવાન, અને ફક્ત તે એક જ મને આ રીતે તે ઉપદેશી શકે.”
(૨) લહિયાઓ હસ્તપ્રતોમાં શબ્દો/પદોને છૂટાછૂટા નહીં લખતાં ખીચોખીચ (સંહિતા-રૂપે) લખીને ગ્રંથ-આલેખન કરે છે; તે મુજબ આ મૂળ વાક્યને (માવાસ્વેવમેન્રયા) લહિયાઓની દેવનાગરી લિપિના અક્ષરોમાં (orthography) તપાસતાં, તેમાંના મે પદમાં, ની મા-સૂચવતી માત્રામાં (1) તથા તે રીતે જો ની કો-સૂચવતી માત્રામાં (1) કાંઈ ફેર જણાતો નથી. આથી અહીં શાને ના બદલે મે પાઠ પણ વાંચી શકાય. વળી, કોઈવાર વ્યંજન પર કરેલું અનુસ્વારનું બિંદુ પણ તે વ્યંજન ઉપર - સૂચવતી માત્રા (જેમકે તં; તમ્ અથવા તે) હોય એવી શંકા ઉપજાવે છે. (દક્ષિણ ભારતની લિપિની હસ્તપ્રતોમાં વ્યંજન ઉપરના અનુસ્વારનું બિંદુ અને વ્યંજન ઉપર ઈ-સૂચવતી માત્રા; બંનેના ભેદ સ્પષ્ટ તરી આવે છે.) ડૉયસનને અહીં મે પદનું શાંકરભાષ્યનું વિવરણ (જુઓ ઉપર) તથા વ્યોહતલિંગનો કૌશલપૂર્ણ સુધારો, બંને યોગ્ય ન લાગ્યાં. પરંતુ તેણે
“Èન નિશ્વિતં યત્નન પ્રતિપત્નિ
']
[ ૩૩
Page #15
--------------------------------------------------------------------------
________________
(ડૉયસને) સુધારો કર્યા વિના તેની પાદ-ટિપ્પણમાં અને મૂળ પાઠના બદલે છા૫ પાઠનું સૂચન કર્યું. (ામ = “bitte" please, ૧૮૯૭, ૧૨૪. પાંદટિપ્પણ ૧). સેનાŽ વ્યોહતલિંગનો સુધારો તો ના સ્વીકાર્યો, પરંતુ, મૂળ પાઠ વાગે અને ડૉયસને સૂચવેલો પાઠ મં; તે બંને વિષે તે કોઈ નિર્ણય પણ ન કરી શક્યો (૧૯૩૦ : ૫૩)
(૩) લિમયે-વાડેકરે ૧૯૫૮માં પ્રકાશિત અઢાર ઉપનિષદોની એક આવૃત્તિમાં બધા પાઠાંતરો મોટે ભાગે ઉપનિષદોની અન્ય પ્રકાશિત આવૃત્તિઓમાંથી અથવા તો તે તે આવૃત્તિઓમાં પ્રકાશકોએ કરેલાં સૂચનોસુધારા ઉપરથી દર્શાવ્યા છે. આ બંને પ્રકાશકોએ છા.ઉપ. ૪-૯-૨માં આવતો #ામે મૂળ પાઠ તો સ્વીકાર્યો, પણ એમ લાગે છે કે ડૉયસને સૂચવેલો ગ્રામ પાઠ કોઈ હસ્તપ્રતનો એક સાચેસાચ પાઠાંતર હોય તે રીતે તેમણે તે વારં પાઠને પાદ-ટિપ્પણીમાં રજૂ કર્યો. ઉપરાંત, તેમણે વ્યોહતલિંગના કાલ્પનિક પાઠને પણ મહત્ત્વ આપ્યું ! લિમયે-વાડેકરે નોંધેલા કેટલાય પાઠાંતરો વેબરમાં (૧૯૬૪) મળતા નથી અને વ્યોહતલિંગની (૧૮૮૯/૧, ૧૮૮૯)૨) આવૃત્તિઓમાં પણ મળતા નથી; ઉદાહરણ તરીકે ખૂ.ઉપ. ૪.૫.૪ ઉપરાંત, બૃ.ઉપ. (માધ્યદિનશાખા) : ૪.૪-૨૩-૨૫ અને ૫.૫.૧ જેવા પાઠાંતરો (જુઓ ૧૯૯૮/૨. xvii નોંધ : ૫-૬).
(૪) બેડેકર-પળસળેએ ૧૯૮૦માં સાઈઠ ઉપનિષદોના જર્મન-ભાષામાં થયેલા ડૉયસનના અનુવાદને (૧૮૯૭) અંગ્રેજીમાં ભાષાંતરરૂપે એક આવૃત્તિમાં પ્રકાશિત કર્યા. તેમાં તેમણે (૧૯૮૦.૧૨૬) ડૉયસને સૂચવેલો + પાઠ (છા.ઉપ.૪-૯.૨) પાદ-ટિપ્પણીમાં એ રીતે નોંધ્યો કે જાણે કે તે = પાઠ કોઈ હસ્તપ્રતમાં સાચેસાચ પાઠાંતર તરીકે મળ્યો હોય ! આ એ પાઠ ડૉયસનનું સૂચન-માત્ર છે; કોઈ પાઠાંતર નથી; એ સ્પષ્ટ કરવાની અહીં જરુર નથી. અહીં તો મુખ્ય મુદ્દો એ છે કે એક વિદ્વાનના ગ્રંથ-પ્રકાશનમાં થયેલી ભૂલ અન્ય વિદ્વાનોનાં પ્રકાશનોમાં પણ કેવી ભ્રામક પરંપરા જન્માવે, તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે ! વર્ષ પાઠ, સૂચન મટીને પાઠાંતર થઈ ગયો ! [૬૪.૨] ઉપનિષદોમાં છંદ-ભંગ :
આલ્સટોર્સે તેના ૧૯૫૦માં પ્રકાશિત કઠ ઉપનિષદની છંદ-રચના વિષેના લેખમાં એવી આશા વ્યક્ત કરી કે કઠ-ઉપનિષદના છંદોના મૂળ પરંપરાગત પાઠ પાદ-ટિપ્પણીમાં દર્શાવી તે તે છંદોની પુનઃરચનાવાળી કોઈ આધુનિક આવૃત્તિ તૈયાર થવી જોઈએ (૧૯૫૦-૬૨૦; નોંધ ૧). પરંતુ માકસ ચૂલરે તો છંદમાં પણ કોઈપણ જાતના સુધારા-વધારાનો વિરોધ કર્યો છે (૧૮૭૯ - xxii), જ્યારે કેટલાક વિદ્વાનો છંદબદ્ધ ઉપનિષદોમાં આવતા છંદોમાં કોઈવાર છંદભંગ કરતા પાઠ (metri-causa) નિયમિત છંદમાં બદલવાનું સાહસ પણ કરે છે.
પદ્યમય ઉપનિષદો સમયની દૃષ્ટિએ ગદ્યમય ઉપનિષદ જેટલાં પ્રાચીન ગણાતાં નથી. આવાં પદ્યમય ઉપનિષદોમાં આવતા છંદો કોઈ જુદા જ નીતિ-નિયમોનું અનુસરણ કરતા હોય છે. તેમાં કોઈક પાઠ: આલિખિત છતાં તે પાઠના ઉચ્ચાર પ્રાકૃતમાં-લોકભાષામાં-થતા હોય છે. આæદોર્ડે આ વિષય પર મહત્ત્વનું સંશોધન કર્યું છે. તેણે જણાવ્યું કે છંદમાં આવતા મવત જેવા સંસ્કૃતમાં આલિખિત પાઠોને, છંદભંગ જેવું લાગતાં, ત્યાં અવતના બદલે બોતિ જેવું પ્રાકૃત-લોકભાષીય ઉચ્ચારણ કરવાથી છંદબદ્ધતા જળવાઈ રહે છે. આમ કરવાથી મૂળ ગ્રંથ-પાઠના બદલે બીજો પાઠ સુધારી દેવાની પ્રવૃત્તિ ટાળી શકાઈ (૧૯૯૮/૨. Xvi). આમ છંદદોષ જેવું જણાતાં તેને છંદ-બદ્ધ કરવા પ્રાકૃત-લોકભાષાના ઉચ્ચારણ સંબંધી નીચે મુજબ તારવણી કાઢી શકાય :
સંસ્કૃતમાં આલેખેલા પદનો પ્રાકૃતમાં ઉચ્ચાર . - વ .. .. .. ‘વ ૨. - તિ ... .. .. 'તિ રૂ. - મવતિ .. .. .. બોતિ
આ બાબતે કેટલાંક ઉદાહરણો જોવાથી વધારે સ્પષ્ટતા થશે. ૩૪].
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #16
--------------------------------------------------------------------------
________________
૧. સમિવ મર્ત્ય: પચ્યતે સંસ્થમિવાનાયતે પુનઃ ।
(કઠ ઉ૫. ૧-૬ : ૩૭૪, ૬૦૦)
“મરણશીલ (મનુષ્ય) અનાજની જેમ પાકે છે (અને) અનાજની જેમ ફરીથી જન્મે છે.” અહીં આ અનુષ્ટુલ્ છંદના બંને પાદમાં એક-એક અક્ષર વધારે છે; બંનેમાં આઠ-આઠના બદલે નવ-નવ અક્ષરો છે. પણ આ બંને પાદમાં આવતા સંસ્કૃત વ પાઠનો પ્રાકૃત વ ઉચ્ચાર કરવાથી આ છંદ નિયમિત બની રહે છે, (૧૯૫૧ : આલ્સદોર્ફ : ૬૨૫); જેમકે :
सस्यं व मर्त्यः पच्यते, सस्यं वाजायते पुनः ।
૨. યસ્ત્વવિજ્ઞાનવાદ્ ભવતિ.... (કઠ ઉપ. ૩.૫ : ૩૮૮, ૬૦૭)
“જે વિજ્ઞાનવાન્ હોય છે.’
આ અનુષ્ટુભ છંદના પાદમાં એક અક્ષર વધારે છે; આઠના બદલે નવ છે; પણ ભવતિ સંસ્કૃત પદનું પ્રાકૃતમાં -મોતિ-ઉચ્ચારણ કરવાથી આ છંદ નિયમબદ્ધ બને છે : (૧૯૫૧ : આલ્સદોર્ફ : ૬૨૬, ૬૩૪); જેમકે :
यस्त्वविज्ञानवान् भोति;
રૂ. વળી, આલ્સદોર્ડે (૧૯૫૦ : ૬૨૩) જણાવ્યું કે : કેટલીક અનિયમિત છંદ-રચનામાં આવતી બાહ્ય સંધિથી જોડાયેલાં પદોને છૂટાં પાડીને - તેમનો વિગ્રહ કરીને - સંધિ વગર જ ઉચ્ચાર કરવાથી આવા છંદો નિયમિત કરી શકાય છે; આવું ઉચ્ચારણ પણ પ્રાકૃત-લોકભાષામય ગણાય છે; જેમકે :
वैश्वानरः प्रविशत्यतिथिर्ब्राह्मणो गृहान् ।
(કઠ ઉ૫. ૧-૭ : ૩૭૪, ૬૦૧)
“બ્રાહ્મણ અતિથિ (સર્વે પુરુષોમાં) અગ્નિ જેમ ગૃહોમાં પ્રવેશે છે.”
આ અનુષ્ટુન્ના પ્રથમ પાદમાં નિયમિત આઠ અક્ષરોના બદલે સાત અક્ષરો આવે છે. આવતાં બે પદોનો – પ્રવિશત્યતિથિનો- સંધિ વગર ઉચ્ચાર કરવાથી તે નિયમિત છંદ બની રહે છે, वैश्वानरः प्रविशति, अतिथिर्ब्राह्मणो गृहान् ।
પણ તેમાં જેમકે :
(નોંધ : હસ્તપ્રતોના લહિયાઓ પણ ઘણીવાર સંધિના પ્રયોગો સ્વતંત્ર રીતે કરે છે, અથવા સંધિના નિયમોનું કડક પાલન કર્યા વગર આલેખન કરે છે.)
૪. ખાસ કરીને ઉપરનાં ૧-૩ ઉદાહરણોમાં-અનુષ્ટુલ્ છંદોમાં આલ્સદોર્યનાં સૂચનો ઉપયોગી નીવડે છે. પરંતુ અન્ય પ્રકારના છંદો અનિયમિત જણાતાં, તેમને નિયમિત કરવાની મુશ્કેલી ભાગ્યે જ દૂર થઈ શકે છે. (૧૯૫૧, ૬૨૭); જેમકે :
एतमग्नि तवैव प्रवक्ष्यन्ति जनासः ॥ (કઠ ઉપ. ૧.૧૯ : ૩૭૮, ૬૦૨) “લોકો તારા (પોતાના નામે) જ આ અગ્નિને જણાવશે (ઓળખશે).’’
આ છંદના પાદમાં અગિયાર અક્ષરોના બદલે ચૌદ અક્ષરો આવ્યા છે. આવી પરિસ્થિતિ “સુધારવા” માકસ મ્યુલરે (૧૯૮૪), બ્યોહતલિંગે (૧૮૯૦ : ૧૩૪) અને શાર્પેન્ટિઅરે (૧૯૨૯) : આ પાદમાં આવતા તવૈવ પાઠને પ્રક્ષિપ્ત માન્યો; પણ ગાર્બેએ (૧૯૦૯ : ૪૭, ૩૯૯) અને આલ્સદોર્ફે તવૈવ પદને મૂળપાઠ તરીકે સ્વીકાર્યુંઃ તેમાં આલ્સદોર્ફ રાઉને (૧૯૭૧ : ૧૭૩) અનુસરીને અત્તિ અને (તલૈવ માંથી) વ પદોને પ્રક્ષિપ્ત માની દૂર કર્યાં; અને આ છંદને નિયમિત કર્યો.
“દેન તિષ્ઠિત પ્રત્યં યત્નન પ્રતિપાયેત્ ॥']
...
[ ૩૫
Page #17
--------------------------------------------------------------------------
________________
૫. તો મદ ૩થે પ્રતિષ્ઠાં દૃષ્ટવા પૃત્યા થી નરિતોડત્યસ્ત્રાક્ષ: (કઠ ઉપ. ૨.૧૧; ૩૮૨,
૬૦૫)
“હે નચિકેતા, મોટા વિશાળ પ્રશંસામય આધારને જોઈને, ધીર (તે) મક્કમતાથી (ડગ્યા વગર તેને) ત્યજી દીધો.”
આ છંદને નિયમિત કરવા બોહતલિંગે તેમાંથી તૃષ્ટવા પદ દૂર કર્યું. (૧૮૯૦: ૧૪૨), પણ આલ્સટોર્સે (૧૯૫૦ : ૬૨૮) ટૂછવા પદ રાખીને ધૃત્ય પદ દૂર કર્યું : ઉપરનાં ૪-૫ ઉદાહરણોમાં છંદ-ભંગ દૂર કરવા મૂળ ગ્રંથમાંથી- છંદમાંથી - કોઈ મૂળ પાઠ (જેમકે તવૈવ કે ન કે કૂદવા કે ધૃત્ય, ઇત્યાદિ) કાઢી નાખવાથી એક એવો ભ્રમ ઊપજે છે કે જાણે કે તે મૂળગ્રંથમાં જ - છંદમાં જ - પ્રથમથી તે તે કાઢી નાખેલા પાઠો નહોતા ! આવો સુધારા-વધારા કરવાનો સ્વરછંદ ટાળવો જોઈએ (૬૨-૫.૪ અને ૨.૬).
વળી, કેટલાક વિદ્વાનો સોળુ જેવા પાઠને સૌણ પાઠમાં સુધારવામાં ગ્રંથ-પાઠ બદલાતો નથી એવું માને છે. પણ, આવો સોથ પાઠ દરેક હસ્તપ્રતમાં અને પ્રાચીન ઉપનિષદોમાં પણ મળી આવતો હોય તો તેને બદલવાની જરૂર પણ નથી.
વાજસનેયિ-સંહિતાના ૫૦મા અધ્યાયરૂપે રહેલા ઈશ ઉપનિષદમાં આવતા ત્રણ (૧૨-૧૩-૧૪) છંદભંગ કરતા છંદો તે જ ઈશ-ઉપનિષદની માધ્યદિન શાખામાં અને કાવ-શાખામાં પણ (બંને ય શાખામાં) જરાપણ ફેરફાર વગર સમાન પુનરાવર્તન પામ્યા છે; તે તે સ્થળોએ પણ તે જાણે કે છંદભંગ કરતા હોય એ રીતે આલિખિત રહ્યા છે. આવા પ્રસંગોમાં છંદપાઠ સુધારવામાં સાહસ છે (સરખાવો થીમ. ૧૯૬૫ : ૯૮), પ્રાચીન છંદોના નીતિનિયમો કે તેમની માત્રા વિષે (scanning) કે રચના વિષે તથા તે સમયના ભાષા-લોકભાષાના ઉચ્ચારણ વિષે કોઈ નિર્ણય લીધા વિના છંદ-ભંગ લાગતા છંદો નિયમિત કરવા માટે તેમને સુધારવા-બદલવાનું યોગ્ય નથી. મુંડક ઉપનિષદની હેર્ટીલની (૧૯૨૪) આવૃત્તિમાં તથા શ્વેતાશ્વતર ઉપનિષદની હાઉશિલ્ડની (૧૯૨૭) આવૃત્તિમાં છંદ નિયમિત કરવાના બહાને થયેલા સુધારા-વધારા અન્ય વાચક વિદ્વાનોને ભ્રમમાં નાખે તેવા રહ્યા છે ! [૬૪.૩] ઉપનિષદોમાં અપાણિનીય પાઠો :
સેલોમને મુંડક ઉપનિષદની (૧૯૮૧) અને પ્રશ્ન ઉપનિષદની (૧૯૯૧) ભાષાનાં અધ્યયન કરી ઉપનિષદ-કાલીન લોકભાષા પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. તે મુજબ ઉપનિષદોના અપ્રમાણભૂત કે અપાણિનીય લાગતા પાઠ મૂળે તે લૌકિક સંસ્કૃત કે પ્રાકૃત લોકભાષાના પાઠ છે, તે નિશ્ચિત થાય છે. ઉપનિષદોના પાઠ પ્રથમ દૃષ્ટિએ અશુદ્ધ જણાય તો પણ આદિ શંકરે ઉપનિષદો ઉપરનાં તેનાં ભાષ્યોમાં તેવા અશુદ્ધ જણાતા પાઠ સુધારવાનો પ્રયાસ કર્યા વિના તેમને છાસ કે પ્રમવશ જણાવીને પણ મૂળપાઠને કાયમ રાખીને જ- તેમનાં વફાદારીપૂર્વક વિવરણ કર્યા છે અને લહિયાઓએ પણ તેવા પાઠ સુધાર્યા નથી (૨.૫.૩). સેલોમનના આવા ઉત્તમ સંશોધનના પરિણામે મુંડક ઉપનિષદમાં અને પ્રશ્ન ઉપનિષદમાં પ્રાચીન કાળના ક્ષત્રિય વર્ગમાં બોલાતી પ્રાકૃત-લોકભાષામાં સંસ્કૃતના છૂટાછવાયા રહી ગયેલા સંકેતોનાં દર્શન થાય છે. અશુદ્ધ કે અપાણિનીય લાગતા પાઠો પણ સુધારવામાં કેવું સાહસ રહ્યું છે તે નીચે જણાવવામાં આવે છે : ૧. ... તમિશ્ર પ્રતિષ્ઠાને સર્વ ઇવ પ્રતિકને ! (પ્રશ્ન ઉપ. ૨-૪; ૪૬૦, ૬૩૮)
“... અને તે સ્થિર થતાં- આધાર તે - બધા જ આધાર લે છે.”
મૂળ પાઠ : પ્રતિકને , પણ વ્યાકરણ શુદ્ધ પાઠ પ્રતિક. અહીં પ્રતિષ્ઠત્તે પાઠ લહિયાઓના લેખન-દોષનું પરિણામ “લેખન-લાઘવ” (haplography : લખવામાં સરળ રહે તે રીતે મૂળ પાઠને કાંઈ જુદી રીતે આલેખવો, તે) નથી, પરંતુ તે પાઠ આ ઉપનિષદના રચનારા(ઓ)ની મૌલિક લોકભાષામાંથી ઉદ્ભવેલો
૩૬ ]
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #18
--------------------------------------------------------------------------
________________
મૂળ પાઠ છે : તે “ઉચ્ચાર-લાઘવ” (haplology : બોલવામાં સરળ થઈ પડે એ રીતે મૂળ શબ્દનો થતો કાંઈ જુદો ઉચ્ચાર) છે ! તે મૂળ પાઠ આ ઉપનિષદના શાંકરભાષ્યમાં (પા. ૨૫૩) પણ સચવાયો છે. પંદરમી-સોળમી સદીના રંગરામાનુજના (પા. ૧૧૫) આ ઉપનિષદ ઉપરના ભાગ્યમાં (વ્યાકરણશુદ્ધ) પ્રતિછન્ત પાઠના બદલે શાંકરભાષ્યમાં જળવાઈ રહેલો પ્રતિકને પાઠ વધારે આધારભૂત અને પ્રાચીન છે તેવું સેલોમને જણાવ્યું અને વ્યોહતલિંગે આ પાઠનો સુધારો કર્યો હતો તેનો વિરોધ પણ કર્યો (૧૯૯૧ : ૧૩, ૬૪-૭૦).
(નોંધ : “ઉચ્ચાર-લાઘવ” દર્શાવતા કેટલાક શબ્દો સંસ્કૃતમાં તથા પ્રાકૃતમાં વ્યવહારમાં વણાઈ ગયેલાં મળી આવે છે; જેમકે મનવઘ (સંસ્કૃત); અનવન (પ્રાકૃત/પાલિ); તથા મવદ્ય અને અવq. આ રીતે આધુનિક લોકભાષામાં પણ એવા શબ્દો મળી રહે છે; જેમકે - નર્ક < નરક; સ્વર્ણ < સુવર્ણ ; સ્મરણાર્થે > સ્મર્ણાર્થે વગેરે. અહીં એ દર્શાવવાની જરૂર નથી કે આ
બધા “ઉચ્ચાર-લાઘવ” શબ્દો શુદ્ધ નથી.) ૨. ... સ વાર્તા તે તત્ર તત્ર ! (મુંડક ઉપ. ૩.૨.૨, ૪૫૦, ૩૬૫)
“... તે ઈચ્છાઓના લીધે ત્યાં ત્યાં (આમ તેમ) જન્મે છે.”
મૂળ પાઠ #ામમ: પણ વ્યાકરણ-શુદ્ધ : મૈ:
વ્યાકરણ-વિરુદ્ધ ભાસતા મૂળે તૃતીય વિભક્તિ બહુવચનના આ મૂળ પાઠ ગ્રામમિ: (“ઇચ્છાઓ દ્વારા”)ને હેર્ટીલે (૧૯૨૪) fમ: પાઠ કરી, સુધારી મૂળ પાઠને તથા તેના અર્થને પણ બદલી કાઢ્યા ! આવો એ પ્રમાણભૂત લાગતો #ામ: પાઠ બૌદ્ધ-સંસ્કૃતમાં પણ જોવા મળે છે (એજર્ટનઃ ૪.૫૩-૫૪; અને ૧૯૮૧ : ૯૪).
ઉપનિષદોનાં પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં વ્યાકરણ - વિરુદ્ધ ભાસતા મૂળગ્રંથ-પાઠોને વ્યાકરણના ઢાંચામાં ગોઠવવા યુરપ કે પશ્ચિમના વિદ્વાનોએ કરેલા સુધારા-વધારાથી તો તે તે ઉપનિષદોની હસ્તપ્રતોમાં અને તે તે ઉપરના ભાગોમાં હજી પણ મૂળ-સ્વરૂપે સચવાઈ રહેલા રહ્યા-સહ્યા લોકભાષામય સંસ્કૃત પાઠોનો આધાર પણ આપણે ગુમાવી બેસીશું !
૩. વિનાનનું વિજ્ઞાન ભવતે નાતિવાલી (મુંડક ઉપ., ૩.૧.૪ : ૪૪૮, ૬૩૪)
"Understanding this, one becomes a knower. There is no superior speaker" (14. ૧૯૩૧)
(=આ જાણીને તે વિદ્વાન થાય છે. તેનાથી કોઈ ઉત્તમ વાદ કરનાર નથી.)
અહીં માતે પાઠ સામાન્ય રીતે અશુદ્ધ લાગે છે. આથી છાન્દોગ્ય ઉપનિષદ ૭.૧૫.૪ (૨૬૮, પ૬૬)ને અનુસરીને વ્યોહતલિંગે (૧૯૦૧=૮) તેને વ્યાકરણ-શુદ્ધ પર્વત પાઠમાં સુધાર્યો. પરંતુ પરંપરાગત ગ્રંથ-પાઠને સુધાર્યા વિના જ રાઉએ (૧૯૬૫) આ વાક્યના શબ્દોને જુદી રીતે યોજયા; જેમ કે
વિજ્ઞાન વિદ્વાનુભવોનાતિવાવી લહિયાઓનું હસ્તપ્રતમાં સંહિતારૂપે આલેખન; સરખાવો ઉપર ૪.૧.૭.૧-૨).
विजानन् विद्वान् भव तेन+अतिवादी
તું જાણનાર, વિદ્વાનુ; અને તેથી અતિવાદી (વાદમાં આગળ પડતો) થા.” (જુઓ ૧૯૯૬; ૨૭૪) ૪. ... સાક્ષી વેતા વેવતો નિગઢ I (શ્વેતાશ્વતર ઉપ., ૬.૧૧ : ૪૩૦, ૬૨૭). “(દેવ)... સાક્ષી, શિક્ષા કરનાર (દંડનાર, સજા કરનાર), એકલો અને નિર્ગુણ છે.”
ઈન નિવૃતં પ્રચું યત્રેન પ્રતિપાત્ ''].
[ ૩૭
Page #19
--------------------------------------------------------------------------
________________
શાંકરભાષ્યમાં (પા. ૫૮) રેતા - મૂળ પાઠને - સુધાર્યા વિના જ સ્વીકાર્યો છે અને વેતા =પેથિતા (અવલોકન કરનાર; વિન્ to perceive, અવલોકન કરવું; ક્રિયાપદ ઉપરથી તૃ પ્રત્યય લાગતાં વ્યાકરણ શુદ્ધ પાઠ 7 > વેત્તા માટેનો પાઠ !) લગભગ બધા આધુનિક વિદ્વાનોએ વેતા પાઠ સ્વીકાર્યો છે. પણ હાઉશિલ્લે (૧૯૨૭) મૂળ પાઠ વેતા ના બદલે વેત્તા પાઠ સુધાર્યો, અને હૃમે (૧૯૩૧=); મૂળ વેતા પાઠ કાયમ રાખી પાદટિપ્પણીમાં વેત્તા પાઠનું સૂચન કર્યું. રાઉએ (૧૯૬૪) મૂળ પાઠ બદલ્યા વગર વિદ્વત્તાપૂર્ણ સૂચન કર્યું કે વેતા પાઠ મૂળે વિ (to punish, સજા કરવી) ક્રિયાપદ ઉપરથી (fશ્વ + ડ્ર =. ઉપરથી વેતા, સજા કરનાર) ઉદ્દભવ્યું છે. આ પ્રમાણે આ વાક્યનું વિવરણ યથાર્થ જણાય છે (૧૯૯૮/૨ : ઓલિવેલે, xvii).
5. તાન હોવાદૈવ મા પ્રતિસમીયાજોતિ 1 (છાન્દોગ્ય ઉપ. ૧-૧૨-૩ઃ ૧૮૪, ૫૩૭)
તેણે તેમને કહ્યું : સવારે આ સ્થાને જ મારી પાસે આવો.”
મૂળપાઠ ૩પમીયાત; વ્યાકરણ શુદ્ધ પાઠ ૩૫મિયાત. અહીં - ૩પમીયાત પાઠમાં અશુદ્ધ-પાઠ વ્યક્ત કરતા હું (દીર્ઘ સ્વર)ની આદિ શંકરે પણ નોંધ લીધી છે કે સૈર્ણ છાન્દસમૂ. પ્રમાદ્રિ-પાડો વા (પા. ૭૬) (“અહીં-ઈકારમાં દીર્થપણું વૈદિક હોય.... અથવા તો તે (લહિયાઓની) બેદરકારીથી ઉદ્ભવેલો પાઠ હોય”) આવા વિધાન ઉપરથી એમ લાગે છે કે શંકરે અહીં કોઈ હસ્તપ્રતનો જ ઉપયોગ કર્યો છે (પણ આ શાસ્ત્રજ્ઞાન તેને મૌખિક પરંપરાથી પ્રાપ્ત નહોતું થયું). શંકરની આવી નોંધના આધારે વ્યોહતલિંગે તો ૩૧મીયાત મૂળ પાઠને ૩૫મિયાતમાં ફેરવી નાખ્યો. અહીં એ જણાવવું જરૂરી છે કે શંકરને આવા પાઠની મૌલિકતા વિષે શંકા થઈ (સરખાવો =પ્રાપાડો વા) છતાં પણ તેણે તે પાઠ સુધાર્યો નથી. તેવી રીતે લહિયાઓએ પણ તે મૂળ પાઠ કાયમ જ રાખ્યો છે !
૬. સર્વ ત્વિટું બ્રહ્મ તબ્બતનિતિ શાન્ત ૩૫ાણીત (છાન્દોગ્ય ઉપ. ૩-૧૪.૧ : ૨૦૮, ૫૪૪).
“આ બધું (જગત) ખરેખર બ્રહ્મ છે. શાંત થયેલાએ ( શાંત ચિત્તે) તેને નીર્ તરીકે ઉપાસવું જોઈએ.”
' આ વાક્યના તજ્ઞતાન્ પાઠમાં પૂર્વ-પદ તરીકે તત્ શબ્દનો પ્રયોગ એક સમાસ તરીકે છે કે તે તત શબ્દ અહીં નતાન સાથે સંધિમાં એક ભિન્ન પદ તરીકે - બ્રહ્મ પદના સર્વનામ તરીકે – યોજાયો છે, તે વિષે નિર્ણય થઈ શકતો નથી. અહીં તત્ ને બ્રહ્મ ના સર્વનામ તરીકે માન્યું છે. શંકરે આની ઉપરના તેના ભાષ્યમાં તન્ત પાઠને જુદા પદ તરીકે સ્વીકાર્યો છે અને ગતાન પદનો અર્થ કરવામાં તેને મુશ્કેલી પડી હોય એમ લાગે છે; આ નનાન પાઠમાં કેટલાક શબ્દોના આદ્ય-અક્ષરોના સમૂહથી ઉદ્ભવેલો કોઈ એક “શબ્દ” (acronym) હોય એ રીતે શંકરે તેનો અર્થ ઘટાવ્યો છે; જેમકે ગન (જન્મવું) + ની (લય થવું) + મન (શ્વાસ લેવો) આ ત્રણ અક્ષરોના - ક્રિયાપદોના - આદ્ય - અક્ષર - = + + + - મળીને અહીં નવીન શબ્દ અસ્તિત્વમાં આવ્યો ! એટલે કે સર્વ કાંઈ બ્રહ્મમાંથી જન્મે છે (ગન); બ્રહ્મમાં જ લય પામે છે (ની) અને બ્રહ્મથી જીવે છે - શ્વાસ લે છે (મન) (૧૭૩). આજના વિદ્વાનો શંકરના આવા અર્થઘટન સાથે કદાચ સંમત થાય કે ન થાય એ મુદો અહીં મુખ્ય નથી; પણ શંકરે (અને લહિયાઓ પણ) અહીં મૂળ પાઠ નતાન ને વફાદાર રહીને-તેને સુધાર્યા વિના - તેનું વિવરણ કરવા કોશિશ કરી છે, તે અહીં અગત્યનો મુદ્દો છે. પણ વ્યોહતલિંગે (૧૮૮૯૨) નતાન જેવા ક્લિષ્ટપાઠને સુધારીને ત્યાં નાનાનિ (જ્ઞા ક્રિયાપદનું સંભાવના-સૂચક Subjunctive પ્રથમ પુરુષ એકવચન) જેવો પાઠ લીધો; મૂળ તન્નતાનિતિમાં તેણે “તજ્ઞાનાનીતિ" કહ્યું !
(નોંધ : ગનાન શબ્દ અહીં આઘાક્ષરસમૂહ હોય; તેવી શબ્દ-યોજના (acronym) પુરાણા ભારતીય સાહિત્યમાં નવી નથી; જેમ કે
૩૮]
| [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #20
--------------------------------------------------------------------------
________________
૧. “મનાપૂર્તિા ” શબ્દ નિ + નારદ્ર + V1 + ઉતા + સૂર્ય + ૮ પુરાણોમાં નામોના આઘાક્ષર-સમૂહરૂપે યોજાયો છે !
૨. “વિગ" શબ્દ સુર + વિનય + પમ્પ પીટકના આદ્યાક્ષરસમૂહરૂપે બૌદ્ધ સાહિત્યમાં જોવા મળે છે ! (૧૯૯૯ : ૧૬૦ ના આધારે).
આધુનિક ભાષાઓમાં આવા આદ્યાક્ષરસમૂહ શબ્દો મળી રહે છે : જેમકે
૧. “અટિરા - Atira” શબ્દ Ahmedabad + Textile + Industrial + Research + Association ના આદ્ય અક્ષરોના સમૂહરૂપે યોજાયો છે.
૨. અંગ્રેજીમાં “રડાર-Radar” શબ્દ Radio + Detecting + And + Ranging શબ્દોના આદ્ય અક્ષરોનો સમૂહ છે.)
છા. ઉપ. ૩.૧૪.૧ માં આવતો નનાન શબ્દ કદાચ આપણને “અર્થ-હીન” લાગવા છતાં તે કદાચ “આર્ષ” પણ હોય (hapax ?). મોર્ગનરોથે (૧૯૫૮) તેનું એક હસ્તપ્રતમાં તન્નતાનીતિ એવો પાઠાંતર નોંધ્યો છે. ડૉયસને (૧૮૯૭) છાન્દોગ્ય ઉપનિષદના આ વાક્યના ભાષાંતર દરમિયાન નોંધ્યું છે કે આવા “અર્થહીન” શબ્દોની કંઈક સ્પષ્ટતા - તેમનો કાંઈક અર્થ - તો ઉપનિષદોની તાત્ત્વિક વિચારસરણીના સંદર્ભમાં જ સંભવી શકે છે. નતાન ની જેમ; તિ (બુ.ઉપ., ૨-૩-૬ : ૬૬, ૫૦૧-૫૦૨), ૬ (બૃ.૧પ., ૫.૨ : ૧૩૨, ૫૨૩) વિરમ્ (બૃ.ઉપ,, ૫.૧૨ : ૧૩૬, પ૨૪), સંયદા (છા.ઉપ. ૪.૧૫.૨ : ૨૨૪, ૫૫૧), રૂદ્ર (ઐતરેય ઉપ., ૧-૩, ૧૪ : ૩૨૦, પ૭૯-૫૮૦), તદનમ્ (કન ઉપ. ૪-૬ : ૩૭૦, ૫૯૯) વગેરે શબ્દોનાં અર્થઘટન પણ મુશ્કેલ છે.
ઉપનિષદોના સમયમાં આઘાક્ષરસમૂહ શબ્દોની યોજના હશે કે નહીં તે વિષે કોઈ સંશોધનના અભાવે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. [૬૫] ઉપસંહાર :
૧. ઉપર્યુક્ત (૪.૧-૬) વિવેચનના આધારે સ્પષ્ટ થાય છે કે ઉપનિષદોનાં પ્રકાશનોની બાબતમાં પાશ્ચાત્ય કે યૂરપના વિદ્વાન-પ્રકાશકો કરતાં તે તે ઉપનિષદોની હસ્તપ્રતોના પંડિત-લહિયાઓ અને તે તે ઉપનિષદોના ભાષ્યકારો (ખાસ : આદિ શંકર) ગ્રંથના મૂળપાઠને વધારે વફાદાર રહ્યા છે (૬૨.૩.૨). છતાં વિચિત્રતા તો એ છે કે પાશ્ચાત્ય વિદ્વાનો આ લહિયાઓની અને ભાષ્યકારોની આવી વફાદારીને શંકાથી મૂલવે છે અને તેમની આકરી ટીકા પણ કરે છે !
એ સાચું કે પાશ્ચાત્ય વિદ્વાનો શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો મુખ્ય આધાર લે છે, પણ અહીં- તેમનાં ઉપનિષદ-પ્રકાશનોમાં શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો દોષ નથી; દોષ છે તે વિદ્વાનોના ગ્રંથ-પાઠ સુધારવામાં; ગ્રંથપ્રકાશનમાં શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો ઉપયોગ ન થવો જોઈએ; પણ તેના ઉપયોગના ઓથા હેઠળ મૂળ ગ્રંથ-પાઠ સુધારવામાં આ વિદ્વાનોએ મોટી ભૂલ આદરી છે. હસ્તપ્રતોના આધારે ગ્રંથ-પ્રકાશન સંપૂર્ણ થઈ ગયા પછી તે મૂળ ગ્રંથના અધ્યયન માટે, તેમાંથી આદિ કે મૂળ ગ્રંથની (ur-text, proto-text) ખોજ માટે શબ્દ-વ્યુત્પત્તિવિજ્ઞાનની અને ફક્ત શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનની જ આવશ્યક્તા રહે છે. આલ્સટોર્સે કહ્યું છે કે (... dad die Indologie der festen Boden der Sanskrit-Philologie niemals verlassen darf - 1959-99) વિદ્વાનોએ સમગ્ર ભારતીય વિદ્યાઓનાં સંશોધનોમાં મૂળ પાયાની આધારશિલા ગણાતા શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનની કોઈપણ સંજોગોમાં ઉપેક્ષા ન કરવી જોઈએ. મૂળ ગ્રંથ-પ્રકાશનમાં જ તે ગ્રંથના મૂળ પાઠોનો સુધારો-વધારો કરવા શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો કે અન્ય પ્રકારની વિદ્વત્તાનો ઉપયોગ તદ્દન અયોગ્ય છે. ગ્રંથ-પ્રકાશનમાં તો મૂળ પાઠને વફાદાર રહેવું જ જોઈએ; અને તેમાં પણ જે ક્લિષ્ટ, અશુદ્ધ લાગતા પાઠોને (lectio difficilior) તો કાયમ જ રાખવા, તથા તેવા ક્લિષ્ટ પાઠને બદલે ક્યાંય સરળ પાઠ (lectio facilior) મળી આવે તો પણ ક્લિષ્ટ પાઠને “થેન ત્રિવિત પળે યભેન પ્રતિપાનિત ”]
[ ૩૯
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પસંદ કરવો જોઈએ; આવા ગ્રંથ-પ્રકાશનના મૂળ પાયાના સિદ્ધાંતનું (ડુ૨.૨.૫) કડક પ્રતિપાલન થવું જોઈએ. (જુઓ ૨.૪; અને ૨.૫.૧-૫). આવા પાયાના સિદ્ધાંતને નહીં અનુસરીને ઉપનિષદ-પ્રકાશકોએ જે ભ્રમજાળ ફેલાવી હતી તેની આછી રૂપરેખા ઉપર દર્શાવી છે.
૨. કેટલાક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ પ્રકાશિત કરેલાં, ઉપર જણાવ્યા મુજબનાં “સમીક્ષાત્મકતાનો” ભ્રમ સર્જનારાં ઉપનિષદ-પ્રકાશનો અન્ય વિદ્વાનોના સંશોધન માટે પૂરતાં પ્રમાણભૂત થતાં નથી, એ સાચું. પણ, આવી હકીકતથી એ બધાં પ્રકાશનોનું મૂલ્યાંકન ઓછું આંકવું ન જોઈએ. આ પ્રતિષ્ઠિત વિદ્વાનોની વિદ્વત્તાનાં ભારોભાર સૂચક મંતવ્યો, વિવેચનો, કેટલાક પાઠાંતરો, તેમનાં ભાષાંતરો, ઇત્યાદિમાં ભાવિ-સંશોધનોનાં અનેક દૃષ્ટિબિંદુનાં ઉદ્ભવ-સ્થાન સમાયેલાં છે તથા તેમાં વિદ્વત-ગમ્ય અનેરી દિશાનાં સૂચન પણ મળી રહે છે. દરેક વિદ્વાને આવાં પ્રકાશનોની કહેવાતી સમીક્ષાત્મકતાની માયાજાળમાં મુગ્ધ થયા વગર મુક્ત રહી- સ્વતંત્ર રીતે - તેમનાં પણ અધ્યયન કરવાં જ રહ્યાં. [૬પ.૧] પ્રકાશનમાં અપેક્ષિત પ્રતિજ્ઞા-વચન :
હસ્તપ્રત-પ્રકાશકે નીચે જણાવેલી મુખ્ય જવાબદારીઓને ધ્યાનમાં રાખવી જોઈએ.
૧. મૌખિક પરંપરા દરમિયાન જેમ જે શાસ્ત્રગ્રંથ વિતરણ થતો ગયો, તે પ્રમાણે જ લહિયાઓએ પણ આદિથી અંત સુધી, સતત કાળજીપૂર્વક, કોઈપણ સુધારા-વધારા કર્યા વગર, વફાદારીથી, જેમ તે શાસગ્રંથનું હસ્તપ્રતોમાં આલેખન કર્યું, તે રીતે જ પ્રકાશકે પણ હસ્તપ્રતના સર્વે પાઠો જેમ હોય તેમ જ રાખીને, તેમાં કોઈપણ સુધારા-વધારા કર્યા વગર, આદિથી અંત સુધી સતત કાળજીપૂર્વક તે શાસ્ત્રગ્રંથનું (હસ્તપ્રતનું) પ્રકાશન કરી, તેણે તે શાસ્ત્રગ્રંથની ચાલી આવેલી મૌખિક વિતરણની પરંપરામાં અનુસ્મૃત વિશ્વસનીયતાનું માન, તથા તેવી પરંપરાથી જળવાઈ રહેલા અને લહિયાઓએ તેમને હસ્તપ્રતો-રૂપે આલેખેલા તે જ શાસ્ત્રગ્રંથના આલેખનની પરંપરામાં પણ જણાઈ આવતી વિશ્વસનીયતાનું માન પણ જાળવવું જોઈએ. પ્રકાશકે આવી અદ્દભુત પ્રક્રિયાના ફળસ્વરૂપ હસ્તપ્રતોને સંપૂર્ણ રીતે વફાદાર રહી, તેમાં આલિખિત શાસ્ત્રગ્રંથનું સંપૂર્ણ સંરક્ષણ કરવું જ રહ્યું !
૨. હસ્તપ્રતોના આધારે, હસ્તપ્રતોના પાઠોને સંપૂર્ણ વફાદાર રહીને પ્રકાશિત કરેલા શાસ્ત્રગ્રંથની આવૃત્તિ સંપૂર્ણ વિશ્વાસલાયક ગણાય છે, અને તે શાસ્ત્રગ્રંથનાં સંશોધનો માટે આવા પ્રકારની આવૃત્તિ એકમાત્ર આવશ્યક આધાર થઈ પડે છે. આવું ગ્રંથ-પ્રકાશન સંશોધનો માટે એક પાયાની આધારશિલા બની રહે છે, તે સંશોધનો માટેનું પ્રથમ સોપાન છે. આવાં ગ્રંથ-પ્રકાશનો તે ગ્રંથનાં સંશોધનોની સફળતાનો આધાર છે. હસ્તપ્રતપ્રકાશનમાં આવશ્યક નીતિ-નિયમોનું થોડુંક પણ ઉલ્લંઘન, તે પ્રકાશનની સક્ષમતા અને વિદ્વાન સંશોધનકારોનો તે પ્રકાશન પ્રત્યેનો વિશ્વાસ ડગાવી દે છે. ગ્રંથ-પ્રકાશન વિશ્વાસલાયક મટી “વિશ્વાસઘાતક”ના બને તે તેના પ્રકાશકે વિચારવું રહ્યું !
૩. હસ્તપ્રતના લહિયાઓ અને ભાષ્યકારો મૂળ શાસ્ત્રગ્રંથના પાઠોને વફાદાર રહેવાની જેટલી ચીવટ અને જવાબદારી ધરાવતા હતા, તેના કરતાં પણ હજારો-ગણી વધારે ચીવટ અને જવાબદારી રાખી આજના વિદ્વાન પ્રકાશક ગ્રંથ-પ્રકાશનનું કાર્ય સફળ પાર પાડવું જોઈએ. આજના પ્રકાશકની જવાબદારી ઘણી વધી જાય છે. તેનું સમીક્ષાત્મક પ્રમાણભૂત ગ્રંથ-પ્રકાશન પ્રકાશિત થતાં, તે દેશ-વિદેશના હજારો વિદ્વાનોના હાથમાં “હસ્તપ્રતમાં આલેખેલા ગ્રંથ મુજબ જ, વફાદારીપૂર્વક પ્રકાશિત થયેલા” એક ગ્રંથ તરીકે જઈ પડે છે. હસ્તપ્રત પ્રકાશનના નીતિ-નિયમોના પ્રતિપાલન દ્વારા થયેલું ગ્રંથપ્રકાશન જ પ્રમાણભૂત ગણાય છે, હસ્તપ્રત-પ્રકાશક પોતાની જવાબદારી સમજે અને સુધારા-વધારાવાળું તેનું હસ્તપ્રત-પ્રકાશન “પ્રમાણભૂત” હોય એવા ભ્રમમાં અન્ય વિદ્વાનોને રાખવાના/રાખ્યાના દોષથી તે મુક્ત બને.
૪. ઉપનિષદો જેવાં શાસ્ત્રોના આધુનિક પ્રકાશકોએ લગભગ દરેક હસ્તપ્રતોના અંતે, લહિયાઓએ નોંધેલા (scribal-remarks), ભારતીય લહિયાઓની પરંપરામાં પ્રચલિત બે શ્લોકોને ધ્યાનમાં લેવા ઘટે. તેમાંના એક શ્લોકમાં લહિયો તેની વફાદારી સ્પષ્ટ કરે છે કે : તેણે મૂળ ગ્રંથમાં જેવું જોયું તેવું જ આ હસ્તપ્રતમાં ૪૦].
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #22
--------------------------------------------------------------------------
________________
લખ્યુંપછી તે શુદ્ધ હોય કે અશુદ્ધ; તેમાં કાંઈ અશુદ્ધ જણાય તો તે બાબતે તેનો જરાપણ દોષ નથી :
यादृशं पुस्तकं दृष्टवा तादृशं लिखितं मया ।
यदि शुद्धमशुद्धं वा मम दोषो न विद्यते ॥ તેમાંના બીજા એક શ્લોકમાં આ લહિયો જણાવે છે કે આ ગ્રંથને હસ્તપ્રતમાં જેમ જણાયું તેમ જ વફાદારીપૂર્વક આલેખવા માટે શરીર નીચું વાળવામાં તેની પૂંઠ, કેડ અને ગરદન તૂટી ગયાં, માથું નીચે નમાવ્યું, દૃષ્ટિ ફાડી (થંભાવી) રાખી; આમ ખૂબ કષ્ટ વેઠીને તેણે આ ગ્રંથ આલેખ્યો; તેથી આ ગ્રંથનું દરેકેદરેક વિદ્વાને કાળજીપૂર્વક રક્ષણ કરવું જોઈએ. (તેમાં સુધારા-વધારા કર્યા વગર, તે ગ્રંથ જેમ છે તેમ વફાદારીપૂર્વક કાયમ રાખવો જોઈએ) :
भग्नपृष्टिकटिग्रीवः स्तब्धदृष्टिरधोमुखः ।। कष्टेन लिखितं ग्रन्थं यत्नेन प्रतिपालयेत् ॥
પરિશિષ્ટ : ૧
આ સંશોધન લેખમાં દર્શાવેલાં, ઉપનિષદોનાં “સમીક્ષાત્મક” (critical, kritische) આવૃત્તિનો ભ્રમ : ઉપજાવતાં, વિદ્વાનોએ પ્રકાશિત કરેલાં પ્રકાશનો (ઉપનિષદો કે તેમનાં ભાષાંતર કે ઉપનિષદો પર લેખો) :
* ફક્ત એક કે બે કે ત્રણ ઉપનિષદ માટેનાં પ્રકાશનો : (૧) મૂળ ઉપનિષદ અને તેનું ભાષાંતર
૧, ૧૮૮૯/૧ : બોહતલિંગ બૃહદારણ્યક ઉપનિષદ (માધ્યદિન-શાખા) ૨. ૧૮૮૯૨ : વ્યોહતલિંગ- છાન્દોગ્ય ઉપનિષદ. ૩. ૧૮૯૦ : વ્યોહતલિંગઃ કઠ, ઐતરેય અને પ્રશ્ન ઉપનિષદ. ૪. ૧૯૨૪ : હેર્ટલ : મુંડક ઉપનિષદ.
૧૯૨૭ : હાઉશિલ્ડ : શ્વેતાશ્વતર ઉપનિષદ
૧૯૨૮-૨૯ શાપેન્ટિઅર : કઠ ઉપનિષદ ૭. ૧૯૩૦ : સેના/ : છાન્દોગ્ય ઉપનિષદ ૮. ૧૯૩૪ : સેના/ : બૃહદારણ્યક ઉપનિષદ ૯. ૧૯૫૮ : મોર્ગનરોથ : છાન્દોગ્ય ઉપનિષદ ૧૦. ૧૯૬૯ : ફૈઝ : કૌષીતકિ ઉપનિષદ ૧૧. ૧૯૭૬ : માઉએ : બૃહદારણ્યક ઉપનિષદ અધ્યાય ૧ (કાવ-શાખા) ૧૨. ૧૯૯૪ : પેરેઝ : બૃહદારણ્યક ઉપનિષદ અધ્યાય ૨ (કાવ-શાખા) ૧૩. ૧૯૯૫ : ઓબરલીઝ - શ્વેતાશ્વતર ઉપનિષદ અધ્યાય ૧ ફક્ત ભાષાંતર સાથે : ૧. ૧૯૬૪: રાઉ. શ્વેતાશ્વતર ઉપનિષદ. ૨. ૧૯૬૫ : રાઉ : મુંડક ઉપનિષદ, ૩. ૧૯૭૧ : રાઉ : કઠ ઉપનિષદ ઉપનિષદ સંબંધી લેખો. ૧, ૧૮૯૭/૧ : વ્યોહતલિંગ
૨. ૧૮૯૭/૨ : ખ્યોહતલિંગ “ન નિશ્વિતં ગ્રન્થ યત્રેન પ્રતિપાન ]
[૪૧
Page #23
--------------------------------------------------------------------------
________________
૩. ૧૯૦૧ : વ્યોહતલિંગ ૪. ૧૯૦૯ : સેના/
૫. ૧૯૫૧ : આલ્સદોફ (કઠ ઉપનિષદ) જ ઘણાં ઉપનિષદોના એક મોટા સંગ્રહરૂપે પ્રકાશનો. (૧) ફક્ત મૂળ ઉપનિષદો (ભાષાંતર વિના)
૧. ૧૯૫૮ : લિમયે-વાડેકર (કુલ ૧૮ ઉપનિષદોનો સંગ્રહ) (૨) ઉપનિષદોનાં ફક્ત ભાષાંતર
૧. ૧૮૯૭ : ડૉયસન (૬૦ ઉપનિષદોનું જર્મન ભાષાંતર) ૨. ૧૯૩૧ : હ્યુમ (૧૩ ઉપનિષદોનું અંગ્રેજી ભાષાંતર) ૩. ૧૯૮૦ : બેડેકર - પળસુળે : (૬૦ ઉપનિષદોનું અંગ્રેજી ભાષાંતર : મૂળ ૧૮૯૭ :
ડૉયસન : જર્મન ભાષાંતરનું આ અંગ્રેજી ભાષાંતર છે.) પરિશિષ્ટ - ૨ આ સંશોધન લેખમાં વિવેચનો માટે ઉપયોગમાં લીધેલાં ઉપનિષદો.
. ફક્ત એક કે બે કે ત્રણ ઉપનિષદો માટેનાં પ્રકાશનો : (૧) મૂળ ઉપનિષદ અને તેનું ભાષાંતર ૧. બૃ. ઉપ. (માધ્યદિન-શાખા)
૧૮૮૯૧ : બોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે.
૧૯૩૪ : સેના/ ફ્રેંચ ભાષાંતર સાથે. ૨. બુ.ઉપ. (કાવ-શાખા) :
૧૯૭૬ : માઉએ. અધ્યાય ૧ : જર્મન ભાષાંતર સાથે.
૧૯૯૪ : પેરેઝ : અધ્યાય ૨ : અંગ્રેજી ભાષાંતર સાથે. ૩. છા.ઉપ.
૧૮૮૯૨ : બોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૩૦ : સેનાટ : ફ્રેંચ ભાષાંતર સાથે. ૧૯૫૮: મોર્ગનરોથ : જર્મન-ભાષાંતર સાથે. ૧૯૮૬ : બેરેટન : અધ્યાય ૬.૮-૧૬; અંગ્રેજી ભાષાંતર સાથે (લેખ)
૨૦૦૧ : ભટ્ટ : અધ્યાય ૬.૮-૧૬ : ગુજરાતી ભાષાંતર સાથે (લેખ) ૪. કઠ ઉપ.
૧૮૯૦ : વ્યોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે. ૧૯૨૮: શાપેન્ટિયર : અંગ્રેજી અનુવાદ સાથે. ૧૯૨૯J
૧૯૫૧ : આલ્સદોફ : (અમુક જુદા જુદા મંત્રો); અંગ્રેજી ભાષાંતર સાથે (લેખ) ૫મુંડક ઉપ.
૧૯૨૪ : હેર્ટલ : જર્મન ભાષાંતર સાથે.
૧૯૮૧ : સેલોમન : (અમુક જુદા જુદા ખંડો/વાક્યો) અંગ્રેજી ભાષાંતર સાથે (લેખ) ૬. પ્રશ્ન ઉપ.
૧૮૯૦ : બોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે.
૧૯૯૧ : સેલોમન : (અમુક જુદાં જુદાં વાક્યો); અંગ્રેજી ભાષાંતર સાથે (લેખ) ૪૨]
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #24
--------------------------------------------------------------------------
________________
૭. શ્વેતાશ્વતર ઉપ.
૧૯૨૭ : હાઉશિલ્ડ : જર્મન ભાષાંતર સાથે.
૧૯૯૫ : ઓબરલીઝ : અધ્યાય ૧; જર્મન ભાષાંતર સાથે. ૮. ઐતરેય ઉપ.
૧૮૯૦ : બોહતલિંગ : જર્મન ભાષાંતર સાથે. ૯. કૌષીતકિ ઉપ.
૧૯૬૯ : ફૈઝ : જર્મન ભાષાંતર સાથે. ૧૦. ઈશ ઉપ.
૧૯૬૫ : થીમે : અંગ્રેજી ભાષાંતર સાથે. (૨) ફક્ત ભાષાંતર સાથે :
૧. શ્વેતાશ્વતર ઉપ. ૧૯૬૪ : રાઉં. જર્મન ભાષાંતર. ૨. મુંડક ઉપ. ૧૯૬૫ : રાઉ : જર્મન ભાષાંતર.
૩. કઠ ઉફ. : ૧૯૭૧ : રાઉ : જર્મન ભાષાંતર. 4. ઘણાં ઉપનિષદોના એક મોટા સંગ્રહરૂપે પ્રકાશનો : નોંધ : ઉપનિષદોનાં નામ તથા ક્રમ : ૧. બૃહદારણ્યક ઉપ.
૮. ઇશ ઉપ. ૨. છાન્દોગ્ય ઉપ.
૯. શ્વેતાશ્વતર ઉપ. ૩. તૈત્તિરીય ઉપ.
૧૦. મુંડક ઉપ. ૪. ઐતરેય ઉપ.
૧૧. પ્રશ્ન ઉ૫.' ૫. કૌષીતકિ ઉપ.
૧૨. માંડૂક્ય ઉપ. ૬. કેન ઉપ.
૧૩. મૈત્રાયણીય ઉપ. ૭. કઠ ઉપ.
આ મુખ્ય ઉપ. સિવાય અન્ય ઉપ.નાં નામ અહીં દર્શાવવાની જરૂર નથી. (૧) મૂળ ઉપનિષદો અને તેમનાં ભાષાંતર સાથે સાથે :
૧૯૯૮/૨ : ઓલિવેલ : અંગ્રેજી ભાષાંતર સાથે; કુલ ૧-૧૨ ઉપનિષદો (ક્રમમાં ફેરફાર). (૨) ફક્ત મૂળ ઉપનિષદો (ભાષાંતર વિના)ઃ
૧. ૧૯૧૨ : શ્રાડર : કુલ ૧-૧૨ ઉપનિષદો (ઉપર દર્શાવેલાં ઉપથી જુદાં) ૨, ૧૯૫૮ : લિમયે-વાડેકર : કુલ ૧૮ ઉપનિષદો (૧-૧૩ + અન્ય પાંચ : ક્રમમાં ફેરફાર)
અંગ્રેજી ભાષાંતર. (૩) ઉપનિષદોનાં ફક્ત ભાષાંતર ૧. ૧૮૭૯ : માસ મ્યુલર : ભાગ ૧ : કુલ પાંચ ઉપનિષદોનું (૨, ૪, ૫, ૬, ૮ : ક્રમમાં
ફેરફાર, જુઓ ૧૯૮૧ : Reprint અંગ્રેજી ભાષાંતર. ૨. ૧૮૯૪ : માક્સ મ્યુલર : ભાગ ૨ : કુલ સાત ઉપનિષદોનું (૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૩ : ક્રમમાં ફેરફાર) અંગ્રેજી
ભાષાંતર. જુઓ ૧૯૮૪ Reprint - Max Muller. ૩. ૧૮૯૭ : ડૉયસન. કુલ ૬૦ ઉપનિષદોનું (ઉપરનાં ૧-૧૩; ક્રમમાં ફેરફાર સાથે સમાઈ
જાય છે. બાકીનાં ઉપનિષદો માટે મૂળ આવૃત્તિ જોવા વિનંતી); ૧૮૯૭ : ડૉયસનના જર્મન
ભાષાંતરના અંગ્રેજી ભાષાંતર માટે જુઓ ૧૯૮૦ : બેડેકર-પળસુળે. “જેન ત્રિવિત પ્રર્શ્વ વન પ્રતિપાત ”].
[ ૪૩
Page #25
--------------------------------------------------------------------------
________________
સમાઈ જ
૪. ૧૯૩૧ : હ્યુમ. કુલ ૧૩ ઉપનિષદોનું (૧-૧૩ ક્રમમાં ફેરફાર) અંગ્રેજી ભાષાંતર. ૫. ૧૯૫૦ : બેડેકર-પળસુળે. કુલ ૬૦ ઉપનિષદોનું (ઉપરનાં ૧-૧૩ ક્રમમાં ફેરફાર સાથે
સમાઈ જાય છે. બાકીનાં ઉપનિષદો માટે મૂળ આવૃત્તિ જોવા વિનંતી) : મૂળ ૧૮૯૭ :
ડૉયસન : જર્મન ભાષાંતરનું આ અંગ્રેજી ભાષાંતર છે. ૬. ૧૯૮૧ : ૧૮૭૯ : માક્સ મ્યુલર : ભાગ ૧ નું પુનર્મુદ્રણ. | (જુઓ ૧૮૭૯ : માક્સ મ્યુલર ભાગ ૧) ૭. ૧૯૮૪ : (૧૮૮૪: માક્સ મ્યુલર ભાગ ૨નું પુનર્મુદ્રણ. | (જુઓ ૧૮૮૪ : માક્સ મ્યુલર ભાગ ૨)
૮, ૧૯૯૬ : ઓલિવેલે : કુલ બાર ઉપનિષદોનું (૧-૧૨, ક્રમમાં ફેરફાર) અંગ્રેજી ભાષાંતર. પરિશિષ્ટ ૩ સંદર્ભ :
(૧) આ સંશોધન-લેખમાં ઉપનિષદોનાં અને તે સંબંધી ગ્રંથોનાં વિવેચનો આવરી લેતા સંદર્ભો. (મૂળગ્રંથના પાઠ વગર) ઈશ. ઉપ.
(૭-૧૫.૪) $૪.૩.૩. ૧૨]
(૮-૧૫.૧) $૪.૧.૪ ૧૩ | $૪.૨.૫
પ્રશ્ન ઉપ. ૧૪]
(૨૪) $૪.૩.૩. ઐતરેય ઉપ.
બૃહદારણ્યક ઉપ. (૧.૩.૧૪) ૬૪.૩.૬
(૨.૩.૬) ૪.૩.૬ કઠ ઉપ.
(૪.૪.૨૩-૨૫) (સાણંદિન) (૧.૬) $૪.૨.૧
$૪.૧.૭.૩ (૧.૭) ૬૪.૨.૩
(૪.૫.૪) $૪.૧ ૭.૩ (૧.૧૯) $૪.૨.૪.
(૫.૨) $૪.૩.૬. (૨.૧૧) $૪.૨.૫
(૫.૫.૧) (માધ્યદિન) (૩.૫) ૪. ૨.૨
A $૪.૧ ૭.૩. કેન ઉપ.
(૫.૧૨) ૬૪.૩.૬ (૪.૬) $૪.૩.૬.
મુંડક ઉપ. છાન્દોગ્ય ઉપ.
(૩.૧.૪) $૪.૩.૩. (૧.૧.૧) ૬૪.૧.૩
(૩.૨.૨.) $૪.૩.૨. (૧.૬.૧) ૪.૧.૩
શ્વેતાશ્વતર ઉપ. (૧.૬,) $૪.૧.૨
(૬.૧૧) ૬૪.૩.૪. (૧.૧૨.૩) $૪.૩.૫
ગૌતમ ધર્મસૂત્ર (૩.૧૧.૬) $૪.૧.૨
(૧.૩.૬) $૪.૧.૪. $૪.૧.૫
રંગરામાનુજ ભાષ્ય (૩.૧૪.૧) ૬૪.૩.૬
પ્રશ્ન ઉપ. (૨.૫) ૪.૩.૧. (૪.૯.૨) $૪.૧.૭.૧-૪
શાંકરભાષ્ય (૪.૧૫.૨) $૪.૩.૬
૧. છાન્દોગ્ય ઉપ. (૧.૧૨.૩) ૬૪.૩.૫ (૬.૮-૧૬) $૪.૧.૧.
(૩.૧૪.૧) ૬૪.૩.૬ (૬.૧૪.૧) ૬૪.૧.૬.
(૪.૯.૨) $૪.૧.૭.૧
૪૪]
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #26
--------------------------------------------------------------------------
________________
(૨) પ્રશ્ન ઉપ. (૨.૪) ૬૪.૩.૧.
(૩) શ્વેતાશ્વતર ઉપ. (૬-૧૧) §૪.૩.૪.
(૮-૧૫.૧) §૪.૧.૪.
(૨) આ સંશોધન-લેખમાં મળતા ઉપનિષદોના સંદર્ભો (મૂળ ગ્રંથના પાઠ સાથે).
આચાર્યાર્ વેમથીત્ય યથાવિધાન ગુરો: હ્રાંતિશેષેળાભિક્ષમાવૃત્ય... I છાન્દોગ્ય ઉ૫. ૮.૧૫.૧)
$૪.૧.૪.
‘“વન્દ્ર” (ઐતરેય ઉ૫. ૧.૩.૧૪) Ś૪.૩.૬.
તાત્મ્યમ્... 1 છાન્દોગ્ય ઉ૫. ૬.૮-૧૬) Ś૪૮૧.૧.
તદેવ તતો મૂય કૃતિ । (છાન્દોગ્ય ઉ૫. ૩.૧૧.૬) ઠુ૪.૧.૫ તનિ તથૈવ પ્રવૃત્તિ નનાસ:... I (કઠ ઉપ. ૧.૧૯) §૪.૨.૪ ઓમિત્યુતરક્ષરમુદ્રીથમુપાસીત । (છાન્દોગ્ય ઉ૫. ૧.૪.૧) હુ૪.૧.૩. વ્યાસમ્ ... । છાન્દોગ્ય ઉપ. ૧.૬.૭) §૪.૧.૨ तद्वनम् ... | (કેન ઉ૫. ૪.૬) Ś૪.૩.૬
તથિ પ્રતિષ્ઠમાને સર્વ વ પ્રતિષ્ઠત્તે । (પ્રશ્ન ઉપ.૨.૪) Ś૪.૩.૧. તાન્ હોવાવેદૈવ મા પ્રાતરવસમીયાતેતિ । (છાન્દોગ્ય ઉ૫. ૧.૧૨.૩) §૪.૩.૫. “વ-ટૂ-ટૂ' (બૃહદારણ્યક ઉપ. ૫.૨) §૪.૩.૬
નેતિ નેતિ... (બૃહદારણ્યક ઉપ. ૨.૩.૬) Ś૪.૩.૬
प्रध्मायीताभिनद्धाक्ष: ... । (છાન્દોગ્ય ઉપ. ૬.૧૪.૧) §૪.૧.૬. મળવાસ્ત્રેવ મે ામે બ્રૂયાત્ । (છાન્દોગ્ય ઉ૫. ૪.૯.૨) §૪.૧.૭ યસ્ત્વવિજ્ઞાનવાન્ મતિ... I (કઠ ઉપ. ૩.૫) §૪.૨.૨. વિજ્ઞાનન્ વિદ્વાન્ મવ તેનાતિવાવી । (મુંડક ઉ૫. ૩.૧.૪) Ś૪.૩.૩. ‘“વિ-ર-મ્'' (બૃહદારણ્યક ઉપ. ૫.૧૨) §૪.૩.૬.
વૈશ્વાનર: પ્રવિશત્યતિથિ ઊંઘળો ગૃહાન્ । (કઠ ઉપ. ૧.૭) §૪.૨.૩. સામભિ નાંવતે તત્ર તંત્ર । (મુંડક ઉપ. ૩.૨.૨) §૪.૩.૬.
સમિવ મર્ત્ય: પદ્મતે સમિવાનાયતે પુનઃ । (કઠ ઉપ. ૧.૬) Ś૪.૨.૧. ‘‘સંયદામ’(છાન્દોગ્ય ઉ૫. ૪.૧૫.૨) §૪.૩.૬
સાક્ષી શ્વેતા વ્હેવતો નિર્તુળ શ્ચ । (શ્વેતાશ્વતર ઉ૫. ૬.૧૧) §૪.૩.૪.
સ્તોમમહદ્ગુરુમાયં પ્રતિષ્ઠાં રૃ. ધૃત્યા ધીરો નષિતોઽત્યન્નાક્ષી: ॥ (કઠ ઉપ. ૨.૧૧) §૪.૨.૫.
પરિશિષ્ટ - ૪
વિશિષ્ટ-શબ્દો (ખાસ પસંદગીપૂર્વક)
(૧) અંગ્રેજી શબ્દો (સંદર્ભ માટે જુઓ (૨) ગુજરાતી શબ્દ-સૂચિ)
Accent - જુઓ : સ્વરાંકન.
Acronym - જુઓ - “આઘાક્ષરસમૂહ”. શબ્દ
“હેન ભિવિત પ્રë યત્નન પ્રતિપાતયેત્ ।'']
[ ૪૫
Page #27
--------------------------------------------------------------------------
________________
Atira - અટિરા; જુઓ : “આદ્યાક્ષરસમૂહ”-શબ્દ. Collation - જુઓ : પાઠ-સંકલન Copy - જુઓ : ફોટોસ્ટેટ. Edition - જુઓ : “આવૃત્તિ”. Etymology - જુઓ : શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાન. Folio - જુઓ : પ્રત. Hapax - જુઓ : “આર્ષ” Haplography - જુઓ : “લેખન-લાઘવ” Haplology - જુઓ : “ઉચ્ચાર-લાઘવ” Indirect (citation) : જુઓ : ગૌણ-સંદર્ભ lectio difficilior - જુઓ : ક્લિષ્ટ-પાઠ lectio facilior - જુઓ : સરળ-પાઠ metri causa : જુઓ : છંદભંગ Original (citation) : જુઓ “મૌલિક” સંદર્ભ Orthography - જુઓ : “લેખન” Philology - જુઓ - શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાન.
Photostat : જુઓ : ફોટોસ્ટેટ Proto-Text : જુઓ “મૂળ-ગ્રંથ” Publication : જુઓ “પ્રકાશન” Radar - જુઓ : “આઘાક્ષરસમૂહ” - શબ્દ Redaction - જુઓ : (ગ્રંથ)સંકલન” Scanning - જુઓ : માત્રા (પ્રમાણ). Scribal Remark - જુઓ : પરંપરા
(લહિયાઓની). Subordinate (citation) - જુઓ :
ગૌણસંદર્ભ. Textual Reconstruction - જુઓ : ગ્રંથ
પુનઃરચના Ur-Text - જુઓ : “મૂળગ્રંથ” Version - જુઓ : “અનુકૃતિ” Vulgate - જુઓ : હસ્તપ્રત-પસંદગી Xerox - જુઓ : ફોટોસ્ટેટ.
. (૨) ગુજરાતી શબ્દો (કૌંસમાં દર્શાવેલા આંક આ લેખના ફકરા સૂચવે છે.) અટીરા : જુઓ, “આધાક્ષરસમૂહ”
૩.૪) (૪.૩) (૫.૧) અનવદ્ય: (૪.૩.૧)- શબ્દ
ગદ્ય-પ્રચુર : જુઓ, ગદ્યમય (ઉપ.) અનુકૃતિ” (૨.૨) (૨.૩.૩.)
ગદ્યમય (ઉપ.): (૨.૫.૨) (૪.૨.) અનુસ્વાર-વિસર્ગ : (૨.૫.૬) ૪.૧.૭.૨)
ગૌણ-સંદર્ભ : (૧) અપાણિનીય : જુઓ, (ક્લિષ્ટ-પાઠ
ગ્રંથ-પુનઃરચના : (૩.૧) (૩-૨). અર્થ-જ્ઞાન-વિતરણ : (૨.૩.૧)
ગ્રંથ-વિતરણ : (૨-૨) (૫.૧.૧.) અવદ્ય : (૪.૩.૧.) (૨.૪.૨.૨.)
“(ગ્રંથ) સંકલન” : (૨.૨) (૨-૩.૩.) અશુદ્ધ : જુઓ, ક્લિષ્ટ-પાઠ
છંદભંગ : (૨.૫.૨) (૪.૨) (૪.૨.૫.) અસ્વસ્થ પરંપરા – (૩)
છંદમય (છંદબદ્ધ) : જુઓ, પદ્યમય (ઉપ.) “આઘાક્ષરસમૂહ”-શબ્દ : (૪.૩.૬).
જીવજંતુ : જુઓ, ઉધઈ આધારશિલા : (૫.૧.૨).
ઝેરોક્સ : જુઓ, ફોટોસ્ટેટ “આધુનિક-લહિયો” : (૩)
ટીકા : જુઓ, “ભાષ્ય” આધુનિક-હસ્તપ્રત' : (૩)
દક્ષિણ ભારતીય (લિપિ) : (૪.૧ ૭.૨) “આર્ષ” (૪.૩.૬).
દૂષિત (પાઠ) : જુઓ ક્લિષ્ટ-પાઠ “આવૃત્તિ” : જુઓ, “પ્રકાશન”
દેવનાગરી લિપિ : (૪.૧.) (૪.૧ ૭.૨). “ઉચ્ચાર-લાઘવ” : (૪.૩.૧).
નરક નર્ક : (૪.૩.૧) ઉધઈ : (૨.૫.૬)
પદ્યમય (ઉપ.) (૨.૫.૨) (૪.૨). “કતલ” : (૩).
પરોક્ષ-સંદર્ભ : જુઓ, ગૌણ-સંદર્ભ કાવ-શાખા : “૨.૫.૧) (૩.૩ ૩.) (૩.૩.૪.).
પરંપરા (લહિયાઓની) : (૫.૧.૪) કોપી : જુઓ, ફોટોસ્ટેટ
(પાઠ)-સંકલન (પરીક્ષણ : (૨-૧-૨) (૨-૩.૨) ક્લિષ્ટ | સરળ-પાઠ : (૩) (૨-૧-૫) (૨-૩-૨) (૨-૫૪૬ ]
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #28
--------------------------------------------------------------------------
________________
“પ્રકાશક” : જુઓ “પ્રકાશન”. “પ્રકાશન” : (૨)
પ્રકાશિત” : જુઓ “પ્રકાશન” પ્રત : (૨.૫.૬) પ્રતીક : (૨.૩.૨). ફોટોસ્ટેટ : (૨.૫.૬) બૃહતુ-કાય (૨.૫.૫). “ભાષ્ય” : (૨. ૨) (૨.૫.૩) “ભાષ્યકારો” : (૨.૩.૪) (૨.૫) મધ્યમ-કદ : (૨.૫.૫) માત્રા (પ્રમાણ) : (૪.૧.૭.૨.) (૪.૨.૫) માધ્યદિન-શાખા : (૩.૧) (૪.૧.૧) (૪.૧.૭.૩)
(૪૨.૫). માયા-જાળ: (૩) (૩.૧) (૩.૪.૩) (૪)(૫.૧) (૫.૨) “મૂળ-ગ્રંથ” : (૨.૨) (૩.૨) (૫.૧). મૌલિક-સંદર્ભ : (૧). રડાર : જુઓ, “આધાક્ષરસમૂહ”-શબ્દ “લેખન” - (૨.૧.૫) (૨.૪.૧.૩) (૪.૧.૭.૨) લેખન-લાઘવ” - (૪-૩.૧)
લોકભાષા- (૨.૫.૩)(૪.૨) (૪.૨.૧) (૪.૨.૫)
(૪.૩) (૪.૩.૨) વાજસનેયિ-સંહિતા : (૪.૨.૫) વાયરસ : (૩). વિકૃત-પાઠ : (૨.૫.૬) (૪.૧.૧) વિશ્વાસઘાતક : (૫.૧.૨.) વિવૃત્તિ : જુઓ, “ભાષ્ય” વૃત્તિ : જુઓ “ભાષ્ય”. વ્યાખ્યા : જુઓ “ભાષ્ય” શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાન : (૧) (૨.૫.૪) (૩.૧)
(૩.૨) (૪.૧.૧) (૫.૧) “સમીક્ષાત્મક(તા)” : (૧) (૨) (૨.૫.૫) (૩)
(૩.૨) (૩.૨.૪) (૩.૪.૨.૩) (૫.૨). સરળ-પાઠ : જુઓ, ક્લિષ્ટ-પાઠ સુવર્ણ > સ્વર્ણ : (૪.૩.૧). સંપૂર્ણ પ્રમાણભૂત : (૨.૫.૫). સ્મરણાર્થે > સ્મર્ણાર્થે : (૪.૩.૧) સ્વરાંકન : (૩.૩.) (૩.૪). હસ્તપ્રત પસંદગી : (૨.૧.૩)
પરિશિષ્ટ : ૫ ઉપયોગમાં લીધેલાં સંશોધનો. ગૌણ સંકેતો (અંગ્રેજી) :
AJP = American Journal of Philosophy. AKM = Abhandlungen für die Kunde des Morgenlandes, Lepiziylg. AS = Asiatische Studien, Peter Lang, Bonn. Berlin. etc. ASS = Anandāśrama Sanskrit Series, Poona. CWS = Complete Works of Sri Samkarācārya, Samata Books, Madras (Revised)
1983. Ed./ed. = Edition/editon. HHV = H.Haessel Verlag, Leipzig. IA = Indian Antiquary, ed.J.Burgess. 1872 onwards. Reprint : Indological
Book Reprint Corporation, Delhi 1971 onwards. IIJ
Indo-Iranian Journal, Leiden. ,
Journal of Indian Philosophy, Leiden. KS
Kleine Schriften, Wiesbaden. MB
Motilal Banarasidass, Delhi. OLZ
Orientalistische Literaturzeitung. OUP = Oxford University Press, Oxford. PHC = Philologisch-historische Classe : Berichte über die Verhandlungen der
ЛР
“પેન ત્રિહિત ગ્રન્થ યન પ્રતિપત્નિત "],
[૪૭
Page #29
--------------------------------------------------------------------------
________________
königlich-sächsischen Gesellschaft der Wissenschaften zu Leipzing. SBE
The Sacred Books of the East, ed. F. Max Müller, Oxford. SEBL = Societe d'Edition "Les Belles Lettres", Paris. ZDMG = Zeischrift der Deutschen Morgenländischen Gesellschaft, Wiesbaden.
WZKS = Wiener Zeitschrift für die Kunde Südasiens, Wien. (૧) મૂળ સંશોધન-સંકેતો (પ્રકાશન-વર્ષના ક્રમે) :
9 COE : 2235442 : Stenzler : Ed. Gautama Dharmasätras ... Leipzing (?) 1876 ૧૮૭૯ : માક્સ મ્યુલર : E. Max Muller : The Upanishads. Part 1 (Translation). SEE 1,
1879. (કુલ પાંચ ઉપનિષદો). પુનર્મુદ્રણ માટે જુઓ, ૧૯૮૧ 9618: 41524 2442 : F. Max Müller : The Upanishads. Part 2 (Translation). SBE
" 15, 1884, (કુલ સાત ઉપનિષદો), પુનર્મુદ્રણ માટે જુઓ, ૧૯૮૪. ૧૮૮૬ : વ્હિટની : D. Whitney : “On Upanisads and Manuscripts.: AJP 7, pp. 1-26,
1886 ૧૮૮૯૧ : બોહતલિંગ : Otto von Bohtlingk : Brhadarajnakopanishad in der ,
Madhjandina-Recension (Edition and Translation). Kaiserliche Akademie
der Wissenscaften. Saint Petersburg 1889. સમીક્ષા માટે જુઓ, ૧૮૯૦ સ. 9cc4/2: Giedlal : Otto von Böhtlingk : Khāndogjopanishad (Edition and
Translation). HHV 1889. સમીક્ષા માટે જુઓ, ૧૮૯૦ સ. 9CCO: Quedla : Otto von Böhtlingk : "Drei kritisch gesichtete und übersetzte
Upanishaden mit erklarenden Anmerkungen" (=Three Upanisads : critically examined and translated with explanatory annotations). PHC 42, pp. 127
197, 1890. [Katha-Aitareya- and Praśna-Upanişads). ૧૮૯૦ : વ્હિટની': D.Whitney : “Bohtlingk's Upanishads”. AJP 11, pp. 405-439,
1890. ૧૮૮૯/૧ અને ૧૮૮૯/ર પર સમીક્ષા. 9660 : 314747 : P. Deussen. Sechzig Upanishad's des Veda (=Sixty Vedic Upanisads.
Translation). F.A. Brockhaus, Leipzing 1897. અંગ્રેજી અનુવાદ માટે જુઓ, ૧૯૮૦;
વિવેચન માટે જુઓ, ૧૮૯૭/૧. ૧૮૯૭/૧ : વ્યોહતલિંગ : Otto von Bohtlingk : “Bemerkungen zu einigen Upanishaden”
( Remarks on some Upanisads). PHC 49, pp. 78-100, 1897. ડૉયસન પર
વિવેચન. ૧૮૯૨ : બોહતલિંગ : Otto von Bohtlingk : “Kritische Beiträge” (=Critical
Observations), PHs 49, pp. 127-138, 1897. 9609 : QuiealL : Otto von Böhtlingk. “Kritische Beitrage” (=Critical
Observations). PHS 53, pp. 7-17, 1901. 1909 : RUE : E.Senart : "Upās-upanişad”. Florilegium a Melchior de Vogue.
Imprimerie Nationale, Paris. pp. 575-587, 1909. 1909 : PLOT : R. Garbe : Otto Böhtlingk's Sanskrit-Christomathie, Leipzing 1909.
કઠ ઉપનિષદ : પાનાં ૪૬-૫૪; નોંધો : પાનાં ૩૯૮-૪00. ૧૯૧૨ : શ્રાડર : F.Otto Schrader : The Minor Upanisads. Critically edited.Vol. 1.
Samnyāsa Upanisads. The Adyar Library Bulletin. Madras 1912. (બાર ૪૮]
( [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩
Page #30
--------------------------------------------------------------------------
________________
Gufuel il rue). 9628 : SEA J.Hertel : Mundaka-Upanisad. Kritische Ausgabe mit Rodarneudruck
der Erstausgabe (Text und Kommentare) und Einleitung. (=MundakaUpanisad. Critical Edition with Rodar-new-print of the First-edition (Text and Commentaries and Introduction) Indo-Iranische Quellen und
Forschungen III, HHV 1924. 9620 : Lees : R.Hauschild : Die Svetāśvatara-Upanişad : Eine kritische Ausgabe
mit einer Übersetzung and einer Übersicht über ihre Lehren. (=The Śvetāśvatara Upanisad. A Critical Edition with a translation and a survey
of its doctrines.) AKM XVII.3, 1927. 962C: U-242 : J. Charpentier : “Kāthaka-Upanisad translated with an introduction
and notes." IA 58, pp. 201-207, 221-229, 1928. (contiuned): 9626: QUR:42: J. Charpentier : “Kāthaka-Upanisad translated with an introduction
and notes” (cont.) IA 59, pp. 1-5, 1929. 9630 : RULE : E.Senart : Chāndogya-Upanisad. (Edition and Translation). SEBL
1930. 9639 :844: R.E.Hume : The Thirteen Principal Upanişads. 2nd edition.
(Translation). Oxford University Press, Oxford 1931 (2nd revised ed.).
Reprint in India, Madras 1949; fifth impression 1962. 9638 : - : E.Senart : Bịhad-Aranyaka-Upanisad. (Edition and Translation).
SEBL 1934. 9649 : BACHLERS : L.Alsdorf : "Contribution to the Textual Criticism of the
Kathopanişad”. ZDMG 100, pp. 621-637, 1950-1951 (=KS 1974, pp. 1,
17). 9C4C : Hotely : W.Morgenroth : Chandogya-Upanisad. Versuch einer kritischen
Ausgabe mit einer Übersetzung und einer Übersicht über ihre Lehren. (=Chăndogya Upanişad. Attempt at a critical edition with a translation and a survey of its doctrines). Inaugural Dissertation : Friedrich Schiller
Universität, Jena (unpublished) 1958. 964C : 1440-U352 : V.P.Limaye and R.D. Vadekar : Eighteen Principal Upanisads.
(Edition). Vaidika Samsodhana Mandala, Poona, 1958. 9C46 : BHLRES : L.Alsdorf : "Antrittsrede" von Ludwig Alsdorf im Jahrbuch
1959. (=Acceptance Speech by Ludwig Alsdorf in the Year-Book 1959). Akademie der Wissenschaft und der Literaturd, Wiesbaden : Steiner in
Komm., pp. 89-90 (=KS 1974, pp. 900-901). 1960: R16 : W.Rau : “Bemerkungen zu Sankaras Brhadāranyakopanişadbhāsya"
(=Remarks on Sankara's Brhad-āranyaka-upanisad-bhāșya.) Mitteilungen zur Kulturkunde 7, pp. 115-121, Paideuma 1960. lyrid zuide Hiè qull,
2003?. ILEX : 0152: P.Hacker : “Zur Geschichte und Beurteilung des Hinduismus”. (=On
the History and Decision of the Hinduism). OLZ 59, pp. 231-245, 1964
(=KS 1978, pp. 476-483). "ament fafar te tuftere 11"]
[8
Page #31
--------------------------------------------------------------------------
________________
FLEX: 210 : W.Rau : “Versuch einer deutschen Übersetzung der Setāśvatara
Upanisad." (Attempt at a German translation of the Svetāśvatara-Upanişad).
AS 17, pp. 25-46, 1964. (Translation only). 966X: 0042: A.Weber : Satapatha-Brāhmaṇa. Madhyandina-Recension.
Chawkhambha Sanskrit Series 96, Banaras 1964. 2444-941&191Hİ LEER345
ઉપનિષદ છૂટી-છવાઈ સમાઈ જાય છે. qCf4 : ella : P. Thieme : "Isopanisad (=Vājasaneyi-Samhitā 40) 1-14."JAOS 85,
pp. 89-99, 1965 (=KS 1971, pp. 228-238). (Edition and Translation). 9684 : RLC :W.Rau: "Versuch einer deutschen Übersetzung der Mundaka
Upanisad." (=Attempt at a German translation of the Mundaka-Upanisad).
AS 18-19, pp. 216-226, 1965. (Translation only). 986 : $35 : A. Frenz : "Kausitaki Upanisad". IIJ 11, pp. 79-129, 1968-1969.
(Edition and Translation). 9604 : 216 : W.Rau : "Versuch einer deutschen Übersetzung der Kāthaka-Upanişad."
(=Attempt at a German translation of the Kāthaka-Upanisad). AS 25, pp.
158-174, 1971. (Translation only). acor : HLGRAT :D.Maue : Brhadāranyakopanisad 1 : Versuch einer kritischen Ausgabe
nach Akzentuierten Handschriften der Kāņva-Rezension mit einer Einleitung und Anmerkungen. (=Brhad-āranyaka-Upanişad Ch.1 : Attempt at a critical edition on the basis of accented manuscripts of the Kāņva-Recension, with an Introduction and Annotations). Inaugural Dissertation. Universität zu
Gießen (unpublished) 1976. 9660 : 0352-40ya : V.M.Bedekar and G.B.Palsule : Sixty Upanişads of the Veda.
Parts 1-2, MB 1980. 1987 : 3142-441 (ICCO) g344 US121-1-11 2129 247UE. 9069 : Reprint : F.Max Müller. The Upanishads. Part 1 : SBE 1, 1979; MB 1981.
1879 : H1524 2442-11 HSL814) 44/491. 9669 : 44: R.Salomon : "A Linguistic Analysis of the Mundaka Upanişad.
"WZKS 25, pp. 91-105, 1981. 96C8 : Reprint : F. Max Müller :The Upanishads. Part 2.SBE 15, 1884 : MB
1984. aCC889 H1521 2442-11 4$121-40 474591. 96CE : 824: J.Brereton : "Tat Tvam Asi : in Context". ZDMG 136, pp. 98-109,
1986. (az? Hiè gaul, 2009. 9669: 2 44 : R.Salomon : "A Linguistic Analysis of the Praśna Upanişad”.
WZKS 35, pp. 47-74, 1991. ans 9663 : 21413 : Madhav Deshpande : Shakrit & Prakrit : Sociolinguistic Issues.
MB 1993. 1994 : URO : C.A.Perez Coffie : Brhedāranyakopanisad II : Critical edition of the
second chapter of the Kaņva recension according to the accented manuscripts with a critical exegetical commentary. Inaugural Dissertation :
Harvard University, USA (unpublished) 1994. 9664 : 241642cllos : Th. Oberlies : "Die Svetāśvatara-Upanişad : Einleitung, Edition
(au 14:204-283642, 2003
401
Page #32
--------------------------------------------------------------------------
________________ und Ubersetzung von Adhyaya 1." (=The Svetasvatara-Upanisad : Introduction, Edition and Translation of Adhyaya 1).WZKS 39, pp. 61 102, 1905. 96 : laaa : P.Olivelle: Upanisads. (Translation). The World's Classics. OUP 1996. (Inrdocution : pp. XI-LVIII; Notes : pp. 291-487. Total: 12 Upanisads).વિસ્તૃત આવૃત્તિ માટે જુઓ, 1998/2. 1998/1 : ઓલિવેલ : POlivelle : "Unfaithful Transmitters. Philological Criticism and Critical Editions of the Upanisads." JIP 26.2, pp. 173-187, 1998. 1998/2 : ઓલિવેલ : P. Olivelle : The Early Upanisads (Scholar's Edition).Text and Translation. OUP 1998. 1996 :ની વિસ્તૃત આવૃત્તિ. 9666: R-4042: Oskar von Hinuber : Review of "An Encyclopaedic Dictionary of Sanskrit on Historical Principals." Vol. IV (Parts 1-3), Vol..V (Parts 1-3). General Editor : S.D.Joshi. Deccan College Postgraduate and Research Institute, Poona 1990-1997. In : IIJ 42, pp. 157-163, 1999. 2001 : બંસીધર ભટ્ટ : “વૈદિક વાયમાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.૧પ.૬.૮.૧૬)નું વિવેચન” સામીપ્ય. ભો.જે.રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ, 2000 2001, પાનાં 46-65. (1986 : બેરેટનના લેખનું વિસ્તૃત વિવેચન). 2003? : બંસીધર ભટ્ટ : “બૃહદારણ્યક ઉપનિષદ અને શાંકરભાષ્ય”, (1960 : રાઉના જર્મન લેખનું | ગુજરાતી ભાષાંતર : ટૂંક સમયમાં પ્રકાશિત). (2) મૂળ સંશોધન-સંકેતો (ગુજરાતી) : ઈશ ઉપ. : જુઓ, ૧૯૯૮/૨-ઓલિવેલે : મૂળ (405-411), નોંધો (611-613). ઉપ. : ઉપનિષદ xet : F.Edgerton : Buddhist Hybrid Sanskrit Dictionary Vol. 1: Grammar. New Haven 1953. Reprint : MB 1970. ઐતરેય ઉપ. : જુઓ, ૧૯૯૮/૨-ઓલિવેલે : મૂળ (314-323), નોંધો (પ૭૮-૫૮૧). કઠ ઉપ. : જુઓ, ૧૯૯૮/૨-ઓલિવેલે : મૂળ (372-473), નોંધો (599-611). કેન ઉપ. : જુઓ, ૧૯૯૮/ર ઓલિવેલે : મૂળ (363-371), નોંધો (596-599). કૌષીતકિ ઉપ. : જુઓ ૧૯૯૮/૨-ઓલિવેલે : મૂળ (324-361), નોંધો (581-596). " છા.ઉપ. : છાન્દોગ્ય ઉપનિષદ, જુઓ ૧૯૯૮/ર-ઓલિવેલે : મૂળ (166-287), નોંધો (532 - 571). પ્રશ્ન ઉપ. : જુઓ, ૧૯૯૮/૨-ઓલિવેલે : મૂળ (456-471), નોંધો (636-641). બ.ઉપ. : બૃહદારણ્યક ઉપનિષદ. જુઓ, 1998/2- ઓલિવેલે : મૂળ (29-165). નોંધો (487-532). મુંડક ઉપ. : જુઓ, ૧૯૯૮/૨-ઓલિવેલે : મૂળ (434-455), નોંધો (619-636), રંગરામાનુજ : રંગરામાનુજ; પ્રશ્ન ઉપ.-ભાષ્ય. ASS 62, 1947, પાનાં 106-131. શંકર : આદિશંકરાચાર્ય. જુઓ શાંકરભાષ્ય. શાંકરભાષ્ય : શાંકરભાષ્ય; છાન્દોગ્ય ઉપનિષદ : જુઓ CWS, VOL.7. શાંકરભાષ્ય; પ્રશ્ન ઉપનિષદ : જુઓ CWS, Vol. 8 શાંકરભાષ્ય; શ્વેતાશ્વતર ઉપનિષદ : જુઓ ASS 17, 1927. શ્વેતાશ્વતર ઉપ.: જુઓ, ૧૯૯૮/૨-ઓલિવેલે : મુળ (413-433), નોંધો (614-628). “Èન નિશ્વિતં યત્નન પ્રતિપાત ']. [ 51