Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 467
________________ અને છે માટે અનેક પુરાવાઓ આ પુસ્તકમાં મોજૂદ છે. પ્રાચીન ઇતિહાસ-અભ્યાસીઓએ આ પ્રકરણે ખાસ વાંચવા જેવાં છે સેંડ્રેકેટસ ચંદ્રગુપ્ત નહિ પણ તેને પત્ર અશોકવર્ધન હતું એ માટે લેખક મહાશયે જે અસલ લખાણને આધારે સેકેટસને ચંદ્રગુપ્ત તરીકે ઠરાવવામાં આવ્યો છે તે અસલ લખાણ રજુ કર્યું છે અને તેને જ આધાર લઈ , સૅકેટસ અશોકવર્ધન હતો એમ શબ્દોના અર્થ કરી અને બીજા પુરાવા આપી સાબિત કર્યું છે..ચંદ્રગુપ્તના રાજપુરોહિત ચાણક્ય અથવા કટિલ્યને જન્મકાળથી ન જ ઈતિહાસ પુરાવા સાથે રજુ કરી તેના જન્મ-મરણનાં સ્થાન તેમજ જીવન ઉપર અને પ્રકાશ અિતિહાસિક પુરાવા રજુ કરી પાડવામાં આવ્યો છે. આ પુસ્તક વાચતાં એક બાબત ખાસ તરી આવે છે તે એ કે પ્રાચીન ભારતવર્ષના રાજ્યકર્તાઓ “ધર્મના સિદ્ધાન્તો ઉપર ખાસ ધ્યાન આપતા હતા અને વારંવાર વૈદિક અને જૈન દર્શન વચ્ચે ઘર્ષણ થતું હતું. આવા એક સંશોધક અને નો પ્રકાશ પાડનાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકબાદી ઘટે છે. તા. ૩૦-પ-૩૬ મુંબઈ સમાચાર | (૨૪). લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલ શ્રમ અને નવાં વિધાન બાંધવા માટેની તેમની પર્યષક વૃત્તિ આ પુસ્તકમાં પણ પાને પાને જણાઈ આવે છે અને અમને લાગે છે કે પ્રાચીન ભારતને ઈતિહાસ બને તેટલા સુસંબંધ તેમજ વિસ્તૃત સ્વરૂપમાં, અંગ્રેજીમાં પણ એકસફર્ડ અને કેમ્બ્રીજ યુનિવર્સિટી તરફથી અનેક ગ્રંથોમાં બહાર પડેલા હિંદના ઈતિહાસ અને બીજા કેટલાક ગણતર ગ્રંથે બાદ કરીએ તે, આટલાં સાધન અને પ્રમશીલતા પૂર્વક અભ્યાસ કરીને લખાયેલાં પુસ્તકરૂપે ભાગ્યે જ જોવામાં આવશે. પ્રાચીન ભારતવર્ષના લેખકે બને ત્યાં સુધી છેલ્લામાં છેલ્લી માહિતીઓને ઉપયોગ કર્યો છે એ જણાઈ આવે છે અને તેમની એ ચીવટ ગુજરાતમાં તો શોધખોળના ક્ષેત્રમાં કામ કરતા ઘણુાકે ધડો લેવા જેવી છે. આ પુસ્તક દ્વારા ખાસ કરીને જન ઈતિહાસને ઉદ્ધાર થઈ રહ્યો છે. એમાં તે શક નથી. જૈન સાધનો ઉપયોગ પણ વિશેષ પ્રમાણમાં થએલે છે પરંતુ જૈન ઇતિહાસ સાથે સર્વ સામાન્ય ઇતિહાસને પણ પૂરતું મહત્તવ અપાશે તે તેને ઐતિહાસિક દષ્ટિએ લખાયેલા પુસ્તક તરીકનું મહત્તવ મળશે. તા. ૨૪-૬-૩૭ પ્રજાબંધુ (૨૫) સિક્કાને લગતી સચિત્ર માહિતી અને તે પરથી લેખકે તારવેલાં અનુમાને એ આ ભાગની વિશેષતા છે. તેમજ જૈનધર્મને બાદ્ધધર્મને અનુગામી બલકે તેના એક ફાંટારૂપ લેખવામાં આવે છે તે યથાર્થ નથી પણ એથી ઉલટું જ છે, ગ્રીક ઈતિહાસમાં વર્ણવાયલે ને પ્રચલિત ઈતિહાસમાં ચંદ્રગુપ્ત તરીકે મનાય સેકેટસ' એ ચંદ્રગુપ્ત નહિ પણ તેને પિત્ર અશકવર્ધન છે, ચાણક્ય અથવા કટિલ્યના નામથી ઓળખાતી અદ્દભૂત વ્યક્તિ ૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476