Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 231
________________ આવી લોભવૃત્તિએ આજે માણસને લાલચુ બનાવી દીધો છે. અને એ લાલચ એવી હાનિકારક છે કે જ્યાં માનવી એના આત્મગૌરવને કે ઈમાનદારીને હોડમાં મૂકતાં અચકાતો નથી. આથી પરમ પ્રત્યે ગતિ કરનારે. પહેલો ચોકીપહેરો તો લોભવૃત્તિ પર રાખવો પડે. લોભ પર ચોકીપહેરો આવશે એટલે આપોઆપ કેટલાંક અનિષ્ટોથી વ્યક્તિ દૂર રહેશે. પ્રપંચો એને નાપસંદ થશે અને એના હૃદયના ભાવોમાં પવિત્રતા જાગશે. - સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રારંભિક સાધનાના દિવસોમાં એક સગૃહસ્થ આવીને કહ્યું કે “મહારાજ, આપ મારા પર જરૂર પ્રસન્ન થશો, કારણ કે આપના માટે હું એક નવી લંગોટી લાવ્યો છું.” ત્યારે એના ઉત્તરમાં ભારતીય સંસ્કૃતિના મહાન ઉપાસક સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, “ભાઈ, તારી વાતથી હું પ્રસન્ન થયો નથી, પરંતુ અપ્રસન્ન થયો છું. આ એક જ લંગોટી ભારરૂપ છે, ત્યાં વળી નવી લંગોટીની નવી ઉપાધિ શા માટે ? તારી ઉમદા ભાવનાનો સ્વીકાર કરું છું, પરંતુ લંગોટીનો નહીં, જેવી એ લાવ્યો તેવી જ પાછી લઈ જા.” સંતોષની ભાવના એક અર્થમાં કહીએ તો લોભથી બચાવે છે. આને માટે કરવું શું જોઈએ ? આને માટે વ્યક્તિએ હિંમત કેળવવી જોઈએ કે, “મારે માટે આટલું બસ છે.” જે આટલું બસ છે એમ કહી શકે છે, એને કોઈના વશમાં રહેવું પડતું નથી કે કોઈની તાબેદારી સ્વીકારવી પડતી ૨૨૨ પરમનો સ્પર્શ નથી. RO

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257