Book Title: Paramno Sparsh
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 226
________________ હકીકતમાં ધનપ્રાપ્તિ એ એક પુરુષાર્થ છે, તો ધનનો સદ્ભય એ મહાપુરુષાર્થ છે. અંતિમ સમયે માનવીએ બેંકની ડિપૉઝિટનો નહીં, પરંતુ આ ધરતી પરનાં સત્કાર્યોની ડિપૉઝિટનો વિચાર કરવો જોઈએ. એ વિચારે કે એણે એના જીવનને કેવી સરસ રીતે સાર્થક કર્યું ! એ ગણતરી કરે છે કે કેવાં કેવાં સત્કાર્યો એના હાથે થયાં ! આ બધાંનો સંતોષ અને પ્રસન્નતા એના ચહેરા પર હોય છે અને તેથી જ આ પૃથ્વી પર સત્કર્મોની એટલી થાપણ તો મૂકતા જવી જોઈએ કે જેથી વ્યક્તિની અનુપસ્થિતિ લોકોને દુઃખદાયી લાગતી હોય. આપણી હયાતી એ બીજાને માટે આનંદનો વિષય બનવી જોઈએ. આપણે હયાત ન હોઈએ ત્યારે આપણી ગેરહાજરીથી બીજા દુઃખ પામે તેમ થવું જોઈએ. પરમનો સ્પર્શ ૨૧૭ પરમનો સ્પર્શ ૨૧૭ જ |

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257