Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust
View full book text
________________
(અઢારમો સર્ગ) હવે સર્વજ્ઞ નેમિનાથે પાંડવોને પ્રતિબોધ આપવા માટે પાંચસો મુનિયુત ધર્મઘોષ મહામુનિને મોકલ્યા.
પછી નેમિનિના આદેશથી ક્ષીરસાગર જેવી મધુરી દેશનાના દાતા ધર્મઘોષ મુનિ પામ્યું મથુરાના ઉદ્યાનમાં આવ્યા.
ઉદ્યાનપાલક તે મુનિનું આગમન જાણીને યુધિષ્ઠિરને વધામણી આપવા માટે શીઘ આવ્યો. તે ઉદ્યાનપાલકની વધામણી સાંભળીને પરિવાર સાથે યુધિષ્ઠિર વંદન માટે નગરની બહાર નીકળ્યા. વનમાં જઈ યુધિષ્ઠિર, પાંચસો મુનિઓથી પરિવરેલા (સુવર્ણ સિંહાસન પર બેઠેલા) તપનો જ એક આશ્રમ જેવા વિદ્યાના પાનને પામેલા, સુવર્ણ સિંહાસન પર બેઠેલા મહામુનિ શ્રી ધર્મઘોષને દેવની, અસુરની, મનુષ્યની પર્ષદામાં ધર્મદેશના આપતા જોઈને જરાકુમારની સાથે નમીને અને સ્તુતિ કરીને યુધિષ્ઠિર આગળ બેઠા.
પછી ધર્મઘોષ મુનિએ અમૃત ઝરતી આદરપૂર્વક વૈરાગ્ય ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપવી શરૂ કરી.
જેમ કે નેહરાગમાં અનુરક્ત એવા પણ જે જીવોને સવારે જ્યાં જોયા હતા તેઓ પણ સાંજે ત્યાં નથી દેખાતા તેવા સંસારના વિચિત્રરૂપ ચરિત્રને ધિક્કાર હો.
ઊંઘો નહિ, જાગો, ભાગો, કેમ આરામ કરો છો ! ત્રણ જણા પાછળ પડ્યા છે. રોગ, જરા અને મૃત્યુ.
ભોગમાં રોગનો ભય, સુખમાં ક્ષયનો ભય, ધનમાં અગ્નિનો અને રાજાનો ભય, દાસપણામાં સ્વામિ (માલિક)નો ભય, વિજયમાં શત્રુનો ભય, વંશમાં કુમાર(સ્ત્રી)નો ભય, સ્નેહમાં વૈરનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438