Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 348
________________ परिशिष्टम्-७ ७ / १ गुरूपदेशानुसारेण આગમશાસ્ત્રોના ઐદમ્પર્યાર્થ રહસ્યાર્થને જાણનાર તથા જિનાજ્ઞાનુસાર અનુષ્ઠાનની આરાધનામાં તત્પર એવા આચાર્ય ભગવન્તની સુવિહિત પરંપરાથી પ્રાપ્ત વચનને અનુસારે થતી આરાધના. ३०७ ७. जिनवंदनविधि पञ्चाशकम् ૭/૬ મુળરતઃ - પુણ્યાનુબંધી પુણ્ય તથા સમકિતાદિ ગુણો પોતાનામાં લાવીને જિનભવનને કરાવતો શ્રાવક. ७/२१ दृष्टादृष्टफलम् અધિક વેતન મળવાથી ખુશ થયેલા કારીગરો પહેલા કરતાં અધિક કામ કરે છે. આ દૃષ્ટ આ ભવમાં મળનાર ફળ થયું. પરલોકમાં તે કારીગરોને સમ્યગ્દર્શન ભદ્ર પરિણામ પ્રમુખ ગુણોની પ્રાપ્તિ થાય. આ અદૃષ્ટ ફળ થયું. શોભન આશય - શુભ પરિણામ - કુશલ પરિણામની -७/३२ तदधिकदोषनिवारणी यतना જ્યારે વ્યક્તિ ધર્મ પામેલ નથી ત્યારે કદાચ તે ધર્મસ્થાનમાં યતનાપૂર્વક પ્રવૃત્તિ કરે, પરંતુ અન્ય કાળે કે અન્ય ક્ષેત્રમાં સ્વાભિપ્રેત જ સ્વેચ્છાપૂર્વક વર્તે, પરંતુ ધર્મ પામેલ વ્યક્તિ સર્વ કાળે અને સર્વક્ષેત્રોમાં ધર્મનો પક્ષપાતી હોવાથી યતનાપૂર્વક જ વર્તે. - — - ७/२५ स्वाशय वृद्धिः વૃદ્ધિ - વિવેકગુણની વૃદ્ધિ. ૭/રૂપ વધ્રુવોષનિવારળત્વન નિર્દોષમ્ – ઉંચા-નીચા કાંટાઓની શાખાના મર્દનથી બાળકને પીડા થતી હોવા છતાં માતાનો જેમ હિતકારી પરિણામ છે. એ જ પ્રમાણે અધિક દોષોથી પ્રાણીઓનું રક્ષણ કરતા ભગવાનનો પણ હિતકારી પરિણામ છે. ७/३७ यथोचितं प्रजान्रक्षतो भगवतः कथं भवेद्दोष: ? સામાન્યથી સંસારી જીવો આરંભાદિ દોષોમાં પ્રવૃત્તિ કરે છે. પોતાની જાતે જ સંસારી જીવો દોષોને આચરનારા છે તેમાં ભગવાન નિમિત્તભૂત નથી. પોતાની જાતે જ ખરેખર સંસારી પ્રાણીઓ શરીરાદિને જાળવવા દુઃખોને દૂર કરવા ભોજનાદિ વિષયોમાં પ્રવૃત્તિ કરતા હોય છે. મહાજ્ઞાની આદિકુમાર રાજ્યાવસ્થામાં રાજા તરીકે પોતાના ઔચિત્યને જાણીને કાંઇક ઉપદેશ આપે છે. તે અપેક્ષાએ પ્રાણીઓ ભગવાનનો ઉપકાર માને છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન આદિનાથ ધર્મમાં પ્રવૃત્ત થવાનો અને પાપમાંથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ આપે છે. માટે રાજ્યાવસ્થામાં શ્રી ઋષભ રાજાએ કરેલ શિલ્પાદિવિધાન નિર્દોષ છે.

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362