Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ ૫૫, પુણ્ય અને સંયમ મારી પુત્રી સેનામાં કોઈ દોષ ન હોવા છતાં, તેની યુવાવસ્થામાં તેને તજી સાધુ થ છે. માટે લાવ તેનું વેર લઉં.” એમ વિચારી તેણે ચારે તરફ નજર કરીને, ભીની માટી હાથમાં લીધી; પછી ગજસુકુમાર પાસે જઈ, તેમના માથા ઉપર તે માટીની પાળી બાંધી દીધી. પછી સળગતી ચિતામાથી ફૂલેલાં કેસૂડાં સમાન લાલચોળ અંગારા કલાડામાં લઈ, ગજસુકુમારના માથા ઉપર ભર્યા; અને પછી આજુબાજુ જોતો, ડરતા ડરતો ત્યાંથી જલદી ભાગી ગયો ગજસુકુમારના માથા ઉપર પેલા સળગતા અંગારા પડતાં જ તેમના શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ. પરંતુ મિલ બ્રાહ્મણ તરફ જરા પણ મન બગાડ્યા વિના તેમણે તે વેદના પ્રસન્ન ચિત્તે, તથા શુભ ચિંતનપૂર્વક સહી લીધી. તેની સાથે જ આવરણ કરનારાં કર્મોનો ક્ષય થતાં, તેમને અપૂર્વકરણ નામનું (આઠમું) ગુણસ્થાન પ્રાપ્ત થયું, જેનાથી કર્મ રજ સારી પેઠે ખંખેરાઈ જાય છે. ત્યાર બાદ તેમને ૧. મૂળમાં “ખેરના લાકડાના અંગારા” છે. ૨. “ ગુણ’ એટલે આત્માની સ્વભાવભૂત ચારિત્ર્ય, વીર્ય આદિ શક્તિઓ; અને “સ્થાન” એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણ ઉપરથી આવરણે એાછાં થતાં તે સહજ ગુણે પોતાને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે એ શુદ્ધિનાં ૧૪ પગથિયાં વિચારવામાં આવ્યાં છે. આઠમા ગુણસ્થાને પૂર્વે કદી નહિ અનુભવેલો આત્મશુદ્ધિના અનુભવ થાય છે, અને અપૂર્વ વીલાસ પ્રગટે છે, તેથી તેને અપૂર્વકરણ” કહે છે. વિશેષ વિગતે માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ “પુસ્તક પા. ૧૭૨–૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218