Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 177
________________ પાપ, પુણ્ય અને સમ પછી કૃષ્ણે પૂછ્યું : “ હે ભગવન્ ! મારા ભાઈ ને કમેાતે મારી નાખનાર એ પુરુષનું નામ શું છે?” ભગવાને કહ્યું. “ હે કૃષ્ણ ! તું તે પુરુષ પ્રત્યે વૈરવૃત્તિ ન કરીશ. કારણ કે તેણે તે વસ્તુતાએ ગજસુકુમારને મદદ કરી છે.” r C કૃષ્ણે પૂછ્યું : હે ભગવન્! તેણે મારા ભાઈ ને કેવી રીતે મદદ કરી છે?' ભગવાને કહ્યું : ‘હે કૃષ્ણ ! તું અત્યારે મારાં દર્શને આવતા હતા, તેવામાં રસ્તામાં પેલા ઈંટા ઊંચકનારને તે રીતે જેવી મદદ કરી છે, તેવી જ રીતે પેલા પુરુષે પણ ગજસુકુમારનાં અનેક જન્મનાં સચિત કર્માંને તેમના વખત પહેલાં ખ‘ખેરી નાખવામાં ગજસુકુમાર મુનિને સારી પેઠે મદદ કરી છે. ત્યાર બાદ કૃષ્ણે અરિષ્ટનેમિને પૂછ્યું, ‘ભગવન! એ પુરુષનું એધાણ શું છે?' ત્યારે અરિષ્ટનેમિએ કહ્યું : ‘ અત્યારે તને દ્વારકા નગરીમાં પેસતે। દેખતાં જ ત્યાં ઊભેલે જે માણુસ જમીન ઉપર તૂટી પઢી મરણ પામે, તે માણસને તું તારા ભાઈ ને ઘાતક જાણજે.' ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ અરષ્ટિમને વંદનાદિ કરી, હાથી ઉપર બેસી દ્વારકા તરફ પાછા ફર્યાં. આ તરફ સામિલ બ્રાહ્મણને સવારના પહેરમાં જ વિચાર આવ્યા કે, કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિનાં દર્શને ગયા છે; અરિષ્ટનેમિ માટે અપરાધ જરૂર જાણી ગયા હશે; અને કૃષ્ણને તે વિષે વાત કરશે. એટલે પાછા ક્રૂરતાં જ કૃષ્ણે મને જરૂર કમેાતે મરાવી નાખશે; માટે લાવ હું ભાગી જાઉં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218