SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫, પુણ્ય અને સંયમ મારી પુત્રી સેનામાં કોઈ દોષ ન હોવા છતાં, તેની યુવાવસ્થામાં તેને તજી સાધુ થ છે. માટે લાવ તેનું વેર લઉં.” એમ વિચારી તેણે ચારે તરફ નજર કરીને, ભીની માટી હાથમાં લીધી; પછી ગજસુકુમાર પાસે જઈ, તેમના માથા ઉપર તે માટીની પાળી બાંધી દીધી. પછી સળગતી ચિતામાથી ફૂલેલાં કેસૂડાં સમાન લાલચોળ અંગારા કલાડામાં લઈ, ગજસુકુમારના માથા ઉપર ભર્યા; અને પછી આજુબાજુ જોતો, ડરતા ડરતો ત્યાંથી જલદી ભાગી ગયો ગજસુકુમારના માથા ઉપર પેલા સળગતા અંગારા પડતાં જ તેમના શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ. પરંતુ મિલ બ્રાહ્મણ તરફ જરા પણ મન બગાડ્યા વિના તેમણે તે વેદના પ્રસન્ન ચિત્તે, તથા શુભ ચિંતનપૂર્વક સહી લીધી. તેની સાથે જ આવરણ કરનારાં કર્મોનો ક્ષય થતાં, તેમને અપૂર્વકરણ નામનું (આઠમું) ગુણસ્થાન પ્રાપ્ત થયું, જેનાથી કર્મ રજ સારી પેઠે ખંખેરાઈ જાય છે. ત્યાર બાદ તેમને ૧. મૂળમાં “ખેરના લાકડાના અંગારા” છે. ૨. “ ગુણ’ એટલે આત્માની સ્વભાવભૂત ચારિત્ર્ય, વીર્ય આદિ શક્તિઓ; અને “સ્થાન” એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણ ઉપરથી આવરણે એાછાં થતાં તે સહજ ગુણે પોતાને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે એ શુદ્ધિનાં ૧૪ પગથિયાં વિચારવામાં આવ્યાં છે. આઠમા ગુણસ્થાને પૂર્વે કદી નહિ અનુભવેલો આત્મશુદ્ધિના અનુભવ થાય છે, અને અપૂર્વ વીલાસ પ્રગટે છે, તેથી તેને અપૂર્વકરણ” કહે છે. વિશેષ વિગતે માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ “પુસ્તક પા. ૧૭૨–૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy