________________
૫૫, પુણ્ય અને સંયમ મારી પુત્રી સેનામાં કોઈ દોષ ન હોવા છતાં, તેની યુવાવસ્થામાં તેને તજી સાધુ થ છે. માટે લાવ તેનું વેર લઉં.” એમ વિચારી તેણે ચારે તરફ નજર કરીને, ભીની માટી હાથમાં લીધી; પછી ગજસુકુમાર પાસે જઈ, તેમના માથા ઉપર તે માટીની પાળી બાંધી દીધી. પછી સળગતી ચિતામાથી ફૂલેલાં કેસૂડાં સમાન લાલચોળ અંગારા કલાડામાં લઈ, ગજસુકુમારના માથા ઉપર ભર્યા; અને પછી આજુબાજુ જોતો, ડરતા ડરતો ત્યાંથી જલદી ભાગી ગયો
ગજસુકુમારના માથા ઉપર પેલા સળગતા અંગારા પડતાં જ તેમના શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ. પરંતુ
મિલ બ્રાહ્મણ તરફ જરા પણ મન બગાડ્યા વિના તેમણે તે વેદના પ્રસન્ન ચિત્તે, તથા શુભ ચિંતનપૂર્વક સહી લીધી. તેની સાથે જ આવરણ કરનારાં કર્મોનો ક્ષય થતાં, તેમને અપૂર્વકરણ નામનું (આઠમું) ગુણસ્થાન પ્રાપ્ત થયું, જેનાથી કર્મ રજ સારી પેઠે ખંખેરાઈ જાય છે. ત્યાર બાદ તેમને
૧. મૂળમાં “ખેરના લાકડાના અંગારા” છે.
૨. “ ગુણ’ એટલે આત્માની સ્વભાવભૂત ચારિત્ર્ય, વીર્ય આદિ શક્તિઓ; અને “સ્થાન” એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાઓ. આત્માના સહજ ગુણ ઉપરથી આવરણે એાછાં થતાં તે સહજ ગુણે પોતાને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે એ શુદ્ધિનાં ૧૪ પગથિયાં વિચારવામાં આવ્યાં છે. આઠમા ગુણસ્થાને પૂર્વે કદી નહિ અનુભવેલો આત્મશુદ્ધિના અનુભવ થાય છે, અને અપૂર્વ વીલાસ પ્રગટે છે, તેથી તેને અપૂર્વકરણ” કહે છે. વિશેષ વિગતે માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ “પુસ્તક પા. ૧૭૨–૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org