Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 369
________________ ૩૫૦ ] નિયમસાર अत्रापि निरुपाधिस्वरूपलक्षणपरमात्मतत्त्वमुक्तम् । છે. अखिलदुरघवीरवैरिवरूथिनीसंभ्रमागोचरसहजज्ञानदुर्गनिलयत्वादव्याबाधम्, સર્વાત્મ प्रदेशभरितचिदानन्दमयत्वादतीन्द्रियम्, त्रिषु तत्त्वेषु विशिष्टत्वादनौपम्यम्, संसृति पुरंध्रिकासंभोगसंभवसुखदुःखाभावात्पुण्यपापनिर्मुक्तम्, पुनरागमनहेतुभूतप्रशस्ताप्रशस्तमोहरागद्वेषाभावात्पुनरागमनविरहितम्, नित्यमरणतद्भवमरणकारणकलेवरसंबन्धाभावान्नित्यम्, निजगुणपर्यायप्रच्यवनाभावादचलम्, परद्रव्यावलम्बनाभावादनालम्बमिति । तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः [ભગવાનશ્રીકુંદકુંદ રહિત, [નિત્યમ્] નિત્ય, [ગવતમ્] અચળ અને [ગનાનંવમૂ] નિરાલંબ છે. ટીકાઃ—અહીં પણ, નિરુપાધિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મતત્ત્વ કહ્યરું (પરમાત્મતત્ત્વ આવું છે :-) સમસ્ત દુષ્ટ અઘરૂપી વીર શત્રુઓની સેનાના ધાંધલને અગોચર એવા સહજજ્ઞાનરૂપી કિલ્લામાં રહેઠાણ હોવાને લીધે અવ્યાબાધ (નિર્વિઘ્ન) છે; સર્વ આત્મપ્રદેશે ભરેલા ચિદાનંદમયપણાને લીધે અતદ્રિય છે; ત્રણ તત્ત્વોમાં વિશિષ્ટ હોવાને લીધે (બહિરાત્મતત્ત્વ, અંતરાત્મતત્ત્વ અને પરમાત્મતત્ત્વ એ ત્રણેમાં વિશિષ્ટ—ખાસ પ્રકારનું—ઉત્તમ હોવાને લીધે) અનુપમ છે; સંસારરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતાં સુખદુઃખનો અભાવ હોવાને લીધે પુણ્યપાપ વિનાનું છે; પુનરાગમનના હેતુભૂત પ્રશસ્તઅપ્રશસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાને લીધે પુનરાગમન રહિત છે; નિત્ય મરણના અને તે ભવ સંબંધી મરણના કારણભૂત કલેવરના (શરીરના) સંબંધનો અભાવ હોવાને લીધે નિત્ય છે; નિજ ગુણો અને પર્યાયોથી વ્યુત નહિ થતું હોવાને લીધે અચળ છે; પરદ્રવ્યના અવલંબનનો અભાવ હોવાને લીધે નિરાલંબ છે. એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૮મા શ્લોક દ્વારા) કહ્યાં છે કે : -: ૧. અધ્યાત્મશાસ્ત્રોમાંઘણાંસ્થળેપાપતેમજપુણ્યબન્નેને ‘અઘ’અથવા‘પાપ’કહેવામાંઆવેછે. ૨. પુનરાગમન = (ચાર ગતિમાંની કોઈ ગતિમાં) પાછા આવવું તે; ફરીને જન્મવું તે. ૩. નિત્ય મરણ = સમયે સમયે થતો આયુકર્મના નિષેકોનો ક્ષય

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393