Book Title: Navkar Mantra ma Namo Padno Mahima Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ૧૮૬ જિનતત્ત્વ આવો એક પદનો જાપ થાય છે. હવે જો ત્યાં નો ૫૬ ન હોય તો જાપ અધૂરો રહેશે. એમાં ભાવ નહીં આવે. એટલે નવકારમંત્રમાં પાંચે પરમેષ્ઠિ સાથે નો પદ જોડાયું છે તે યોગ્ય જ છે. ક્યારેક પ્રશ્ન થાય છે કે નો પદ અને ળો પદ એ બેમાં કયું સાચું ? તેનો ઉત્ત૨ એ છે કે બંને પદ સાચાં છે. સંસ્કૃતમાં જ્યાં ન હોય ત્યાં પ્રાકૃતમાં જ થાય છે. પ્રાકૃત ભાષાના વૈયાકરણો એ પ્રમાણે મત દર્શાવે છે. ‘પ્રાકૃત પ્રકાશમાં કહ્યું છે : નો ૫ સર્વત્ર – એટલે જ્યાં ન હોય ત્યાં બધે જ થાય છે. આ સાચું છે અને નવકારમંત્ર પ્રાકૃતમાં હોવાથી એમાં ન નો ન થવો જોઈએ. પરંતુ આ નિયમમાં અપવાદ પણ છે. અપવાદ એ છે કે શબ્દના આરંભમાં જો 7 વ્યંજન હોય તો ન નો ન વિકલ્પે થાય છે. એટલે કે 7 નો ન થાય અને ન પણ થાય. શ્રી હેમચંદ્રાચાર્યે ‘શબ્દાનુશાસન’ વ્યાકરણમાં ‘વૌ’ સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આદિમાં રહેલો અસંયુક્ત ન નો વિકલ્પે જ થાય છે. શબ્દમાં વચ્ચે કે છેલ્લે આવતો ન ઉચ્ચારવાનું એટલું કઠિન નથી, પરંતુ રૂ થી શરૂ થતો શબ્દ ઉચ્ચારવાનું બધાં માટે સહેલું નથી. ન દંત્ય વ્યંજન છે અને જ્ઞ મૂર્ધન્ય વ્યંજન છે. દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચા૨ણ કઠિન છે. એટલે જ ન અને ન વિકલ્પે છે. એટલે જ કેટલાયે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોમાં નમો અને નમો એમ બંને શબ્દો જોવામાં આવે છે. વળી, બે હજાર વર્ષ પૂર્વે ઓરિસ્સામાં ઉદયગિરિની હાથીગુફામાં મહારાજા ખારવેલે જે શિલાલેખ કોતરાવ્યો હતો તેમાં નમો અરિહંતન છે. તેવી જ રીતે મથુરાના પ્રાચીન સ્તુપમાં પણ નો શબ્દ છે. વળી, શ્રી સિદ્ધસેન દિવાકરે ‘નમસ્કાર માહાત્મ્ય'ની પ્રાકૃતમાં રચના કરી છે તેમાં ‘નમો’ પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ ‘ભગવતીસૂત્ર'માં મો રતાળું છે. આમ ઠેઠ પ્રાચીન કાળથી નમો અને નમો એ બંને પદો વિકલ્પે પ્રયોજાય છે, એટલે બંન્ને સાચાં છે. તેવી રીતે નમુવારો અને મુરો-ળમોવારો બંને સાચાં છે. નવકારમંત્રનાં પાંચે પદમાં પ્રત્યેકમાં પહેલો અક્ષર = અથવા ળ છે પરંતુ છેલ્લો અક્ષર તો નેં છે, એ અનુસ્વાર અથવા બિંદુયુક્ત છે. 5 અથવા ખ અનુનાસિક છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું નાદમાધુર્ય હોય છે. વળી સંગીતમાં રાગના આલાપ માટે નનું ગળામાં ઉચ્ચારણ આવશ્યક મનાયું છે. ગાયનમાં, તબલાં, વીણા વગેરેના વાદનમાં અને કથક વગેરે નૃત્યના પ્રકારોમાં ૬ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16