Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 8
________________ ૧૮૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ દેવદંતી પોતાના પિતાને ત્યાં જાય છે, એનાં દુ:ખની વાત સાંભાળીને માતાપિતાને ઘણું દુ:ખ થાય છે. પરંતુ તેઓ સીતા, અંજના, ઋષિદત્તા વગેરેનાં દૃષ્ટાન્ત આપી દવદંતીને આશ્વાસન આપે છે, અને આ બધું કર્મને કારણે છે એમ સમજાવે છે. ઉત્તમ સંગતિ કરવા જાય, નીચ થકો પણ તે પૂજાય; ગંગા કર્દમ આદર વડે, ગોપીચંદન મસ્તકે ચડે, ચાર હત્યા જેણે નર કીધ, સ્ત્રીમસ્તક છેદી કર લીધ; એહવા પણ પુહતા સદગતિ, જાણો સાધુ તણી સંગતિ. કાઢીવાહ મુનીસર તિમે, ચોથું વ્રત પાળે પૂનમે; તેહથી મનવંછિત તસ થાય, રાજ તણો પામ્યો સુપસાય. ઉત્તમ સરસી સંગતિ કરે, પડિત ગોષ્ટિ હિયડે ધરે; નિરલોભાણું મૈત્રિ યદા, તે નર નહું સીદાએ કદા. આ ખંડની ચોથી ઢાલથી કવિ વદંતીનો ત્યાગ કરીને ગયેલા નળના પ્રસંગો વર્ણવે છે. નળે અગ્નિમાંથી સાપ બચાવ્યો એ પ્રસંગનું વર્ણન કવિએ ઋષિવર્ધનને અનુસરીને કર્યું હોય એમ લાગે છે. સુસમારપુર નગરમાં નળ ગાંડા હાથીને વશ કરે છે તે પ્રસંગે કવિ લખે છે : દધિપણું રાજાને ત્યાં થયું છે એવી કલ્પિત વાત નળ દધિપણું રાજાને ત્યાં રહે છે, રાજા એની પાસે સુર્યપાક રસોઈ કરાવે છે, દવદંતીની વિનંતિથી ભીમ રાજા નળની ભાળ કઢાવે છે અને પછી બનાવટી સ્વયંવરની યોજના કરે છે, દધિપણું રાજા હુંક (નળ) સાથે નિપુર આવે છે ત્યાદિ ધટનાઓનું નિરૂપણ કવિએ પાંચમાં ખંડમાં કર્યું છે. ખંડને અંતે કવિ કહે છે : Jain Education International તતક્ષણ ગજ શિખ્યા કરી, ચડી જઈ ગુજકુંભ; અંકુશ શિરે પ્રહારીને, લેઈ ખાંધ્યો ગજથંભ. હુંડક આવ્યો કુંડનપરે, દધિપન સાથે પુહતો ધરે; સુનિ મેધરાજ એણી પરિ કહે, પંચમ ખંડ સમાપ્તિ લહે. નળ કૂબડા તરીકે આવે છે. તે દવદંતી સાથે વનમાં નીકળેલા નળનું અવસાન દધિપણુંને કહે છે. નૃપ રાજ ગમાયું તે નળ રાયૅ, નીકળ્યો ત્યજી આવાસો રે, વનંતીને સાથે લેઈ, એકલડો વનવાસો રે. લીલા લહરી પુર પ્રતાપી, ઇન્દ્ર સમો નળ હુઓ રે, દુઃખ દીઠું તિણે એકે વારે, તેણે કારણે વન મૂઓ રે. કોમળ પ્રાણી ટાઢ તડકે, થોડે ઘણું કમલાય જિમ હિમ પડતે માસ શિયાળે, કમલિની કરમાય રે. ૐ, X X × કૂબડ વયણે નળના જાણ્યા, મરણુ તા સમાચારો રે, દુઃખ ધરે તે દષિપણું રાજા, કરતો હાહાકારો રે. પ્રેતકાજ કરે સવિ નળનાં, મન વૈરાગે રહિયે ૨, પ્રેમી અથવા વેરી હોજો, ગુણવંતના ગુણ ગ્રહિયે રે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23