Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text
________________
મેઘરાજ :
મેધરાજ :
યાચક મેઘરાકૃત નલ-ઢવદંતી ચરિત : ૧૮૯ ભીમાદિક બાહિર મોકલી, કર ઝાલી હુંકિ કેલી,
સા બાલા બોલઈ સુણિ વાત, કે કેતલા તુઝ અવદાત.
X
X
X
કીડી ઉપરિ સી કટક, કીહાં દયા તમ્ડ કરી ગઈ, નયા કરૂ મઝ ઉપર ધણી, પગિ લાગૂં કિંકરિ તહુ તણી.
રાસના છેલ્લા, કનકવતી અને વસુદેવના પ્રસંગનું નિરૂપણ પણ મેધરાજે ઋષિવર્ધનના રાસને અનુસરીને કર્યું હોય એવું સ્પષ્ટ લાગે છે. સરખાવો બંનેની થોડીક પંક્તિઓ :
ઋષિવર્ધન :
Jain Education International
મોકલિયાં માહેર માય તાય, હુંડક કર તવ ભીમી સાહ્ય; વળવળતી ભીની ઈમ ભાષઁ, પ્રાણનાથ છેહ ઈમ કાં દાખે.
×
×
×
કીડી ઉપર કટકી કહેવી? અબળા ઉપર મહેર કરેવી; હું કિંકર છું રાજન તેરી, પિડા ચિંત કરો અબ મેરી.
દેવી ચ્યવી હુઈ પેઢાલહ, પુરપતિ હરિચંદ ભૂમિપાલહ, એટી કનકવતી ફૂંઅરિ;
રાઈ તસ સંવર મંડાવિલે, ધનદ લોકપતિ પણિ તિહાં આવિ, પરિવરિઉ અમરી અરિ.
તિહિં પરણી વસુદેવ મનોહર, યાદવ ભોગવä સુખ સુરવિર, ખારવઈ નગરી જઈએ.
તે દેવી તિહાંથી ચવી, પુર પેઢાલ નિવાસ; હરિચંદ રાજા રાજીઓ, પૂરે પ્રજાની આશ. તે નૃપ ઘર બેટી હુઈ, કનકવતી તસ નામ; અન્યદા તિણ રામે રચ્યો, સ્વયંવર અતિ અભિરામ. ધનઃ લોકપતિ આવીઓ, ધરતો પ્રીતિ અપાર; કનવતીને પરણિયો, યદુ વસુદેવ કુમાર, ખારવતી નગરી જઈ, વિલસે સુખ્ખુ અશેષ.
આમ, આરંભથી તે અંત સુધી, એક નળ અને કૂબરના અંતિમ યુદ્ધના પ્રસંગ સિવાય, દરેક પ્રસંગનું આલેખન કવિ મેધરાજે, કવિ ઋષિવર્ધનને અનુસરીને જ કર્યું છે. મેધરાજે ઋષિવર્ધનના રાસમાંથી કેટલીક પંક્તિઓ અથવા પંકિતખંડો સીધેસીધાં લઈ લીધાં છે, કેટલીક પંકિતઓ થોડાક શાબ્દિક ફેરફાર સાથે લીધી છે, અને કેટલીક વાર મેધરાજે ઘણુંખરું પોતાના જ શબ્દોમાં, પણ ઋષિવર્ધનની પંકિતઓ લક્ષમાં રાખીને જ પોતાની પંક્તિઓ લખી હોય એમ જણાય છે. જ્યાં જ્યાં ઋષિવર્ધનને કંઈક નવું ઉમેર્યું કે કંઈક છોડી દીધું છે ત્યાં ત્યાં એને અનુસરીને વાચક મેધરાજે પણ તેમ કર્યું છે. આમ, રાસના આરંભથી તે અંત સુધી મૈધરાજે આ પ્રમાણે કર્યું છે, તો પછી એક યુદ્ધનો પ્રસંગ કવિએ પોતાની કલ્પના વડે કેમ ઉમેર્યું હશે એવો પ્રશ્ન આપણને થશે. એની ચર્ચા આગળ આપણે કરી છે. પરંતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org