Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text ________________
૧૯૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ ગ્રન્થ
ઘણી અનુકૂળ શીલસ્યું, વિદ્યા વય ધન દેહ, ગુણ સાતે જોઈ કરી, વર લીજે નિસંદેહ. એવો વર જોઈ કરી, માત પિતા દિયે ધૂમ, પાછે ધોરણ કર્મનું, ઈમ જંપે જગ સહુય. જે સુખણી થઈ એટડી, તો કહે કર્મ પ્રમાણ, ઊણી તો માવિત્રને ગાળ દિયે નિર્વાણુ.
સ્વયંવરમાં આવેલા રાજા કૃષ્ણરાજનું અભિમાન નળ ઉતારે છે એ પ્રસંગે કવિ લખે છે :
પર સંપત્તિ જિકો સહે, પરગુણ બોલે મી, વિષ્ણુ સ્વારથે ઉપગારી, તે મેં વિરલા દીઠ. થોડે પણ નિજ મહાજને, મનમાં વહે ગુમાન, ટીટોડીના પાઉ જિમ, ફોટિયું અભિમાન. ખળ અવિચારી આપણું, માંડે અધિક પરાણુ, મોટા સાથે માંડતા, નિશ્ચે મૂકે પ્રાણ. રાજા દુર્જન દરસણી, ધારાળુ મર્મ જાણુ, વૈદ્ય, ધની, અહિ યાચકો, મત કોપવસ્ત્રો જાણુ. નિખળ થિયું મંડે જિકે, અતિ મોટારાં આળ, ગર્દભ સિંહ શિયાળ જિમ, પામે મરણ અકાળ.
નિષધ રાજા પોતાની ગાદી નળને સોંપી સંયમ લેવાની ઇચ્છા કરે તે પ્રસંગે તેઓ જે વિચારે છે તે વિશે કવિ લખે છે :
તે સંયોગે ધર્મને, આળસ કરે ગમાર, કાણી કોડી કારણે, હારે સહસ દિનાર. વ્યાધિ ન પીડે જ્યાં લગે, જરા ન આવે અંગ, ઈન્દ્રીશક્તિ કુરંતડાં, કરવો ધર્મ સુયંગ. લાલચી લોભ ને લીલરી, લાલ વિશેષે થાય, ગરઢપણે આવેષડે, લક્ષણ દૂર પલાય. વચન ન માને છોકરાં નારી ન ધરે પ્રેમ, ખૂણે નાખી મેહલિયે, જો નહિ ગાંઠે હેમ. તપ, સંયમ, દાને કરી, વિદ્યા વિનય વિચાર, પ્રગટો ન થયો જેહ તે, શું આવ્યો સંસાર ?
કદંબ રાજા નળની આજ્ઞા માનતો નથી તે પ્રસંગે કવિ લખે છે :
તેજ હોય તો સહુ નમે, એહવો જગત સુભાવ, પાવક ઉપર કર ધરે, ભસમી ઉપર પાય. તેજે કરી સહુએ ખિહે, નામે ન બિહે કોય, સિંહ સર્પ ભીંતે લખ્યા, હાથ વાહીને જોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 18 19 20 21 22 23