Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text
________________
વાચક મેઘરાજકૃત નલદવદંતી ચરિત ઃ ૧૭ નળનો ભાઈ કૂબર નળને ધૃતમાં હરાવે છે અને દવદંતીને પણ જીતી લે છે એ વખતે જ્યારે તે દવદંતીને પોતાના અંતઃપુરમાં રહેવા કહે છે ત્યારે મંત્રીઓ એને સમજાવે છે :
છાંડે પોતાની પ્રિયા, નીચ રસે પરદાર, સરોવર મૂકી સિર થકો, બોટે કાગ ગમાર. નિરવાહક છે આપણો, પર નહીં આવે કાળ, કાજળ ઊઠી જાયચ્ચે, લોચન રહેશે તમ. રાન, સરોવર, રાજઘર, પરદારાનો સંગ,
વસિંભ વેગે પરિહરે, રહી ન કીજે રંગ. ઘત રમતાં રાજય ધર્યા પછી નળ-દવદંતી વનમાં ગયાં છે. એ વખતે દવદંતી પોતાના પિતા ભીમ રાજાને ત્યાં જઈને રહેવા માટે નળને કહે છે. પરંતુ નળનું મન માનતું નથી. દવદંતી સૂતી છે તે વખતે નળ વિચાર કરે છે :
જેહ જમાઈ સાસરે, માંડે ચિર વિશ્રામ, નામ ગમાડે બાપનું, તિમ પોતાની મામ. જે થોડો તિહાં વાહલો, પ્રાહુણો રંગરેલ, ઘણું રહેતાં પ્રીસિયે, ઘીને ઠામે તેલ, નિજ થાનક નર પૂજીએ, પરઘર નહુ પોસાય.
સૂરજને ઘર આવીઓ, શિહર ઝાંખો થાય. વનમાં અગ્નિમાંથી બચાવેલો સાપ કરડવાથી નળનો દેહ કદરૂપ બની જાય છે. એ વખતે નળ એ સાપને દર્શન ધારીને બોલે છે:
વેશ, કુનારી, ચોરટો, રાજા નીર અધાહ, જેગી પાવક પાળીઓ, દુર્જન છેહ દે દાહ. દુર્જનનો વિશ્વાસ, કરતાં હોયે હાણ, વાયસ જે ઘર રાખિયો ઘુઅડ બલ્યા નિરવાણ. દુર્જન જતને પાળિયો, એ તું મ કરે ઘાંખ, હંસે રાખ્યો બૂડતાં ઉંદરે કરડી પાંખ. મિત્ર અને કુમિત્રને રખે કરે વિશ્વાસ, બાળે બેહુ કોયા થકી, જિમ દવ બાળે ઘાસ. દુર્જન તે દુર્જન સહી, સીંચી જે અમિણ,
અંબ ન હોયે લિંબડો, જાતિ તણે ગુણેણ. નળ કૂબડો બની દધિપર્ણ રાજાને ત્યાં આવે છે એ વખતે તે પોતાનો પરિચય નળના સેવક તરીકે આપે છે. એ પ્રસંગે કવિ લખે છે :
સેવક કામે જાણવો, બંધવ કટે જાણ, ભાર્યા પણ નિરધનપણે, પરખીજે નિર્વાણ. સાહેલામાં સહુયે મળે, દોહિલે ન મળે કોય, વૃક્ષ ફળ્યાં દેખી કરી, પંખ આવ્યાં જોય.
સુર ૨૦ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org