Book Title: Maro Punjabno Pravas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 16
________________ દર્શન અને ચિંતન રેલવેના અનુભવ પ્રવાસ વખતે બદલવી પડતી જુદી જુદી ટ્રેનમાં મને જેવો અનુભવ ચ તેવો અનુભવ પ્રસ્થાન'ના વાચકોને ભાગ્યે જ ન થે હોય, છતાં તે અનુભવ અહીં ટૂંકમાં આપું છું. તે એવા હેતુથી કે પરિચિત વસ્તુના વર્ણનમાંથી માણસ ધારે તે ઘણી વાર વધારે અને સ્પષ્ટ બોધ મેળવી શકે. રેલવેની મુસાફરીમાં સૌથી પહેલું દર્શન રદેશનનું. સ્ટેશન એટલે વિવિધરંગી મેદની અથવા પિલીસ, મજુર અને સ્ટેશનમાસ્તરોની સ્વતંત્ર રાજધાની. તેથી પણ સ્પષ્ટ વ્યાખ્યા કરવી હોય તે એમ કહી શકાય કે સ્ટેશન એટલે સ્વતંત્રતા અને પરતંત્રતાનું મિશ્રિત સ્થાન. જેને લાગવગ, પિસા અને જ્ઞાન હોય તે ત્યાં તેટલે અંશે સ્વતંત્ર અને જેને તેમનું કાંઈ હોય તે ત્યાં કાં તો પરતંત્ર, કાં તે પશુ. અમદાવાદથી ગુજરાનવાલા સુધીની સળંગ ટિકિટ સ્ટેશનમાસ્તરે જાણે મેટી મહેરબાની કરી હોય તે રીતે આપી તે ખરી. પણ નોટમાંથી ટિકિટના પૈસા કાપતાં વધારાના પૈસા પાછા આપતાં એક રૂપિયો ઓછો આ. મારા સહચારી શિક્ષિત હતા, તેથી પૈસા ગણી જોતાં જ્યારે એક રૂપિયે ઓછો છે ત્યારે તરત જ એ ગિરદીમાં રૂપિયા પાછા મેળવવા દિવ્યા. તેમણે પૂછ્યું : “માસ્તર સાહેબ, એક રૂપિયો ઓછા કેમ આપ્યો? જવાબમાં તેઓએ કહ્યું: “આવડી લાંબી ટિકિટ અહીંથી મલી ગઈ છે તે શું ભૂલી ગયા ? ' સાથીએ કહ્યું: “તેમાં શું ? તે તો તમારી ફરજ છે.' માસ્તર સમજી ગયા કે આ કોઈ ભેટ નથી એટલે બહારથી પ્રસન્ન પણ અંદરથી ઉદાસીન ચહેરે રૂપિયો પાછો ફેંકયો. સ્ટેશનમાસ્તર ઘણા ટિકિટ લેનારાઓને આપે છે, એ વાત જાણીતી છે. પેસેંજર અજાણ હોય અગર ગાડીને ટાઈમ ભરાઈ ગયો હોય અગર નિર્ભય ન હોય ત્યારે સ્ટેશનમાસ્તરને ઘીકેળાં. ઘણી વાર વધારે પૈસા લઈ લીધા બદલ વૃદ્ધ કે તરુણ સ્ત્રી-પુરુષો રેલવેમાં માસ્તરને ઉગ્ર આશીર્વાદ આપતા ની નજરે નહિ પડ્યા હોય ? ખંધા પેસેંજરે પેસેંજરોમાં પણ એક વર્ગ એવો હોય છે જે ટિકિટ લેવાની પણ નથી રાખતો. આ વર્ગમાં હિંદુ બાવા-બાવીએ કે મુસલમાન ફકીરને જ માત્ર સમાવેશ નથી થતો. પણ તેમાં કેટલાક ખંધાઓ પણ આવે છે. તે ખંધાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25