Book Title: Mantri Vimalshah Mahamantri Udayan
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ મહામંત્રી ઉદયન . . . . . . એટલે સંસારમાં રહે તો મંત્રી થાય; ને જો કોઈ મતનો સ્વીકાર કરે તો યુગપ્રધાન થાય; કળિયુગમાં સત્યયુગ લાવે.” એ બાળકની સાચવણીનો ભાર ગુરુજીએ ઉદયન ઉપર નાખ્યો. થોડે દિવસે ચાંગનો પિતા ધસમસતો આવી પહોંચ્યો. એણે આચાર્ય પાસે પોતાનો પુત્ર માગ્યો. આચાર્ય શાંતિથી કહ્યું: ‘તમારો બાળક મંત્રી રાજના ઘેર સલામત છે. તમારી જ વાટ હતી.” ચાંગનો પિતા પારકા છોકરાને જતિ કરનાર ઉદયન મંત્રી ઉપર ક્રોધ વરસાવી રહ્યો. ઉદયન મંત્રી ચાંગના પિતાને ઘેર લઈ ગયો. રમતા પુત્રને લાવીને પિતાના ખોળામાં બેસાડ્યો, સાથે પંચાંગ પુરસ્કાર સાથે ત્રણ કીમતી પોશાક અને ત્રણ લાખ રૂપિયા ભેટ કર્યા અને કહ્યું : “મન માને તો પુત્રની દેશને ખાતર ભેટ ચઢાવો ! ઘેર રાખશો તો ઘર અજવાળશે; બહાર કાઢશો તો દુનિયા અજવાળશે. માત્ર પોતાનો સ્વાર્થ ન જોશો.' ચાંગનો પિતા ખુશ થઈ ભેટી પડ્યો. એ બોલ્યોઃ મંત્રીરાજ, મારો પુત્ર તમને અર્પણ છે. મારો પુત્રપ્રેમ ઉત્કટ છે, પણ એથીય તમારો ધર્મ-પ્રેમ વધુ ઉત્કટ છે. મારે એક કોડી પણ ન ખપે!” એ વેળા ઉદયન મંત્રીએ કહ્યું : “ભાઈ ! આ બાળક મને અર્પણ કરવાથી તો એ મદારીના માંકડાની જેમ નબળાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36