Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 340
________________ ૩૨ મંત્રચિંતામણિ - -- -- -- - - -------------------- ------- -- --- - - -- દ્વારા મનુષ્ય પિતાના પ્રશ્નને યથાર્થ ઉત્તર મેળવી શકે છે. તે માટે મંત્રશાસ્ત્રમાં લગભગ ૧૫ થી ૨૦ પ્રકારના મંત્ર જોવામાં આવ્યા છે અને તેમાં ૩ થી માંડીને ૨૧ દિવસ સુધીમાં ઉત્તરે મળવાનું વિધાન દષ્ટિગોચર થયેલું છે. પરંતુ કેટલાંક વર્ષો પહેલાં એક મિત્ર ભારત જાણવામાં આવ્યું કે સ્વપ્નમાતંગીના મંત્રથી માત્ર ૨૪ કલાકમાં જ ધાયે ઉત્તર મળી શકે છે અને તે બાબતમાં તેમણે પ્રયોગ કરેલ છે. આથી અમારું કુતુહલ ખૂબ જ વધી ગયું અને તે મંત્ર જાણવાની પ્રબળ જિજ્ઞાસા થઈ ત્યારે તે મિત્રે કહ્યું કે “આ મંત્ર કેઈને ખરેખરી આપત્તિ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાની સૂચના છે, એટલે આવું કંઈ હોય ત્યારે કહેજે. ત્યાર બાદ થોડા જ વખતે એક ખાસ મિત્ર મુશીબતમાં આવી પડયા અને તેમને એ મુશીબતમાંથી બચાવી લેવાને અમે નિર્ણય કર્યો. ત્યારે અમે એ મંત્ર મેળવવાની કોશીશ કરી અને એ મંત્ર મળે, પણ તે માટે નીચેની શરતેનું પાલન કરવાનું હતું: (૧) જે વ્યક્તિને આ પ્રશ્નના ઉત્તરમાંથી કઈ પણ પ્રકારને લાભ મેળવવાને ન હોય, તે જ એની આરાધના કરી શકે અને તેને જ બરાબર ઉત્તર મળી શકે (૨) આ આરાધન કરનારે આગલા દિવસની સાંજથી ભેજન તથા પાણી છોડી દેવા જોઈએ અને બીજા દિવસના સવાર સુધી તે જ હાલતમાં રહેવું જોઈએ, એટલે કે ૩૬ કલાકને નિર્જળ ઉપવાસ કરે જોઈએ.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375