Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 71
________________ કોઈ કોઈનું હોતું નથી. યુવાન ન માન્યો એટલે સંન્યાસીએ પારખું કરવાં પ્રયોગ બતાવ્યો. સંન્યાસી એ પ્રાણાયામ શીખવાડ્યા. ૨-૩ કલાક શ્વાસ રોકી શકાય છે. નક્કી કર્યા પ્રમાણે યુવાન, યુવતી એકલી હતી ત્યારે છાતીમાં સ્ટેજ દુઃખાવો થાય છે એપ્લાન પ્રમાણે યુવકે વાત કરી અને ૨, ૩ મિનીટમાં ધબાક કરતો પડ્યો. પેલાએ પ્રાણાયામનો ખેલ ખેલીને શ્વાસ બંધ કરી દીધો. યુવતીએ ધબકારા જોયાં. છાતી પર હાથ મૂક્યો, પાકી ખાતરી થઈ કે આ મરી ગયો છે, હવે યુવતીએ ઘરનાં દરવાજા બંધ કરી દીધાં, દાગીના પૈસા ઠેકાણે મૂકી દીધાં. પછી વિચાર્યું કે એક બે દિવસ ભૂખ્યું રહેવું પડશે, એટલે ચોખ્ખા ઘીનો શીરો બનાવીને ખાઈ લીધો. હવે દરવાજા ખોલી, છાતી કૂટીને નાટક શરૂ કર્યું. પેલો યુવાન કાણી આંખે બધું જોઈ લેતો હતો. આમ વાત ઘણી આગળ વધી. ટૂંકમાં સંસાર આખો માયા જાળ છે. માતાપિતા-પરિવાર સૌ કોઈ સ્વાર્થના સગા છે. એનો તેને અનુભવ કરી લીધો. આવો જ એક બીજો લૌકિક દાખલો પણ જોઈએ. એક યુવાન હતો, તેને પોતાના ઘર ઉપર ખૂબ પ્રેમ હતો અને એમ માનતો હતો કે ઘરના સર્વે સભ્યોને પણ મારા પર ખુબ પ્રેમ છે મારા માટે ઘરનો કોઈ પણ સભ્ય પોતાના પ્રાણ ન્યોછાવર કરે તેવું યુવાન માનતો હતો. એવામાં તેને એક સંન્યાસી મળ્યા. સંન્યાસીને આ યુવાને વાત કરી કે ઘરના તમામ સભ્યોને મારા માટે ખૂબ પ્રેમ છે. પેલા સંન્યાસીએ કહ્યું કે આ બધી જગતની માયા છે. યુવાન ન માન્યો. સંન્યાસીએ પારખું બતાવવા તેને એક યોજના સમજાવી તે યોજના પ્રમાણે યુવાન માંદો પડ્યો. ઘરના માણસો ડોક્ટરો વૈદ્યો બધાને બોલાવી લાવ્યા. પણ યુવાનની તબિયત સુધરતી ન હતી. ઘરના

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112