Book Title: Manne Shant Rakho
Author(s): Nautambhai R Vakil
Publisher: Shrutsar Trust

View full book text
Previous | Next

Page 89
________________ રાગના આઠ સ્વરૂપ બતાવી શકાય – (૧) ઇચ્છા, (૨) મૂર્છા, (૩) કામ, (૪) સ્નેહ, (૫) ગાર્ધ્ય, (૬) મમતા, (૭) અભિનન્દન, (૮) અભિલાષા. આમ દ્વેષના પણ આઠ સ્વરૂપ બતાવી શકાય : (૧) ઇર્ષા, (૨) રોષ, (૩) દોષ, (૪) પરિવાદ, (૫) મત્સર, (૬) અસૂયા, (૭) વેર, (૮) પ્રચંડતા. રાગ એટલે શું ? કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વાતાવરણ પ્રત્યે લગાવ, રૂચિ, આસક્તિ, રતિ, ગમો, લાગણી, બંધનનો ભાવ, આત્મીયતા, ખેંચાણ, ઢાળ એ રાગ છે. આ રાગનાં કામ-રાગ સ્નેહ રાગ અને દષ્ટિ રાગ એમ૩પ્રકાર છે. રાગ. (૧) કામરાગ - કામભોગની લાગણીથી ઉત્પન્ન થતો રાગ. (૨) સ્નેહરાગ-સ્નેહનાં રાગથી પેદા થતો રાગ. (૩) દૃષ્ટિ-રાગ - એટલે મિથ્યા માન્યતા, મિથ્યા-મત ઉપરનો કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે કામ-રાગ અને સ્નેહ-રાગને દૂર કરવાં હજુ સહેલાં છે પરંતુ દૃષ્ટિરાગ તો સંતોને માટે પણ દૂર કરવો અઘરો છે. બાહ્યદૃષ્ટિએ સારાં દેખાતાં હોવાં છતાં પણ પોતાની સારીછાપનો ઉપયોગ કરીને દૃષ્ટિ-રાગવાળાં અનેક જીવોને ઉન્માર્ગે લઈ જઈને એમની જીંદગી ખુવાર કરે એવું 89

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112