Book Title: Mahavirnu Ahimsa Darshan
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 202
________________ આ પ્રશ્ન ઉદાસીનું વાતાવરણ નિર્મિત કર્યું. મહાવીરે એ સ્થિતિ જોઈ અને તેમને આમંત્રિત કરીને કહ્યું, ગૌતમ! તું લાંબા સમયથી મારી સાથે સ્નેહબંધને બંધાયેલો છે. ચિરકાળથી તું મારો પ્રશંસક બની રહ્યો છે. ઘણા વખતથી તારી મારી સાથે પરિચયછે. દીર્ઘકાળથી તું મારી સેવા કરી રહ્યો છે. ચિરકાળથી તું મારો અનુગામી રહ્યો છે. ચિરકાળથી તું મને અનુકૂળ વર્તન કરતો રહ્યો છે. હે ગૌતમ! પાથર્વવર્તી દેવ જન્મમાં તું મારો સાથી હતો. મનુષ્ય જન્મમાં પણ તું મારો સંબંધી રહ્યો છે. મારો અને તારો સંબંધ ચિર પ્રાચીન છે. હવે આગળ પણ, આ શરીરત્યાગ પછી આપણે બંને તુલ્ય બનીશું, એકાર્થ બનીશું. તારો અને મારો અર્થ અલગ નહિ હોય, પ્રયોજન અલગ નહિ હોય, ક્ષેત્ર પણ અભિન્ન જ હશે. ત્યાં આપણા બે વચ્ચે કોઈ તફાવત નહિ હોય. કોઈ જ જુદાપણું પણ નહિ હોય. ગૌતમ! આ બધું થોડાક જ સમયમાં થવાનું છે, તો પછી તું ખિન્ન શા માટે છે? જૈન આગમોમાં ભગવાન સાથે ગૌતમના સંવાદ અને પ્રશ્નોત્તરી વિશાળ પરિમાણમાં ઉપલબ્ધ છે. ભગવાને તેમને શ્રદ્ધાનું સંબળ તથા તર્કનું બળ બંને બળ આપ્યાં. જિજ્ઞાસાની જાગૃતિ માટે ભગવાને કહ્યું કે, જે વ્યક્તિ સંશયને જાણે છે તે સંસારને જાણે છે. જે વ્યક્તિ સંશયને નથી જાણતી તે સંસારને નથી જાણતી. એ જ પ્રેરણાના ફળ સ્વરૂપે તેમને જ્યારે જ્યારે સંશય થયો, કૂતુહલ જાગ્યું, શ્રદ્ધા થઈ કે તરત જ તેઓ ભગવાન પાસે પહોંચ્યા અને સમાધાન મેળવ્યું. તર્ક સાથે શ્રદ્ધાને સંતુલિત કરતાં ભગવાને કહ્યું – ગૌતમ! કેટલાક લોકો પ્રયાણ વખતે શ્રદ્ધાશીલ હોય છે અને અંત સુધી શ્રદ્ધાશીલ જ બની રહે છે. કેટલાક લોકો પ્રયાણ વખતે શ્રદ્ધાશીલ હોય છે, પરંતુ પછીથી સંદેહશીલ બની જાય છે. કેટલાક લોકો પ્રયાણ વખતે સંદેહશીલ હોય છે, પછીથી શ્રદ્ધાશીલ બની જાયછે. કેટલાક લોકો પ્રયાણ વખતે સંદેહશીલ હોય છે અને અંત સુધી સંદેહશીલ જ બની રહે છે. | મહાવીરનું અહિંસા-દર્શન - 201. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210