Book Title: Kevali Prabhuno Sath Volume 05
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha
View full book text
________________
પરિશિષ્ટ ૧
પારિભાષિક શબ્દોનો કોષ
ૐ, અરૂપી - જેમાં માત્ર વેદન હોય, પણ શબ્દદેહ ન હોય તેવો ૐ નો અનુભવ.
ૐ આજ્ઞા - પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞા.
ૐ રૂપી મૌન - ૐની બાબતમાં રૂપી મૌન એટલે શબ્દોચ્ચાર વગરની સ્થિતિ.
ૐ ધ્વનિ - ૐકારનો અવાજ.
ૐૐ ધર્મ - પંચપરમેષ્ટિ પાળે છે તે ધર્મ.
ૐ નાદ - ૐકારનો સ્વર અવિરતપણે આવવો.
ૐ સિદ્ધિ - પ્રભુને પ્રગટેલી ૫૨મ સિદ્ધિ.
-
અખેદપણું ખેદ રહિત સ્થિતિ, જેમાં સ્થિર પરિણામ હોય.
-
અનેકાંતવાદ (અનેકાંત દૃષ્ટિ) - અનેકાંતવાદ એટલે જે વસ્તુ જે અપેક્ષાએ જેમ છે તે અપેક્ષાએ તેમ સમજવી. માત્ર એક જ અપેક્ષાનો સ્વીકાર ન કરતાં જુદી જુદી અપેક્ષાથી પદાર્થનો વિચાર કરવો.
અનુકંપાપ્રેરિત અનુકંપા - અનુકંપા એટલે દયા, કોમળતાવાળા ભાવ. દયાભાવથી પ્રેરાઈને કરેલો શાતા મળે એવો ભાવ.
૩૧૩
અનુકંપાપ્રેરિત આસ્થા - આસ્થા એટલે શ્રદ્ધા. દયાભાવ સહિતની શ્રદ્ધા.
અભયદાન - સહુ જીવો સંસારના દુઃખથી મુક્ત થાય એવા મુખ્ય ભાવ સાથેના કલ્યાણભાવના પરમાણુઓ આત્મપ્રદેશ પરથી છૂટવા.
અભયપણું, ધર્મનું - ધર્મના સાનિધ્યથી સંસારના ભયોથી મુક્ત થવાય તે.
અભેદતા - અભિન્નતા, એકપણું.
અરિહંતકવચ શ્રી અરિહંતપ્રભુનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. અરિહંતપણું - શ્રી તીર્થંકર પદ.
અલિપ્તતા નિસ્પૃહતા, પદાર્થોથી છૂટાપણું, અલગપણું અનુભવવું.
અલોક - લોકની બહારનો પ્રદેશ.
અષ્ટમહાસિદ્ધિ અણિમા, મહિમા, ગિરમા, લધીમા, વગેરે નામની આઠ મહાન સિદ્ધિઓ આત્માની શુદ્ધિ વધતાં પ્રગટ થાય છે તે.
-
આચાર્યકવચ શ્રી ગણધરપ્રભુ કે આચાર્યજીનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું
આજ્ઞાકવચ.
-

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370