Book Title: Karm Prakruti Part 03
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 421
________________ સત્તાપ્રકરણ - સારસંગ્રહ ૩૮૫ ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા :- ર૫ના ઉદયે વૈક્રિય અને આહારકનો ૧-૧ એમ ૨, ૨૭ના ઉદયે પણ એ પ્રમાણે ૨, ૨૮ તથા ૨૯ના ઉદયે ૨ આહારકના અને ૨ વક્રિયના એમ ૪-૪, ૩૦ના ઉદયે ૧ વક્રિયનો અને ૧ આહારકનો અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૬. આ પ્રમાણે પાંચે ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા ૧૫૮ હોય છે. સત્તાસ્થાન :- અહીં પણ સામાન્યથી ૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે. સંવેધ :- ૨૮ના બંધે ૨૫ આદિ ૫ ઉદયસ્થાનો અને ઉપર બતાવ્યા મુજબ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ અને ૮૮ એ બે અને પાંચ ઉદયસ્થાને ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૧૦ અને ઉદયભંગવાર વિચારીએ તો આહારકના સાતે ભાંગામાં આહારક ચતુષ્કની સત્તા અવશ્ય હોવાથી ૯૨નું ૧ અને શેષ ૧૫૧ ભાંગામાં ૯૨-૮૮ એમ બે-બે માટે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો આ પ્રમાણે ..... ૨૫ અને ૨૭ ના ૩-૩, ૨૮ અને ૨૯ ના ૬-૬ અને ૩૦ના ૨૯૧ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૩૦૯ થાય. ૨૯ના બંધે પણ આ પાંચે ઉદયસ્થાનો અને ઉદયસ્થાન વાર કુલ ઉદયભાંગા ઉપર પ્રમાણે જ હોય છે. સામાન્યથી અહીં ૯૩ અને ૮૯ આ ૨ અને ઉદયસ્થાન ગુણિત ૧૦ સત્તાસ્થાનો હોય છે. પરંતુ આહારકના સાતે ભાંગાઓમાં ૯૩નું ૧ જ સત્તાસ્થાન હોય છે. તેથી અહીં પણ ૨૮ના બંધની જેમ જ ઉદયસ્થાનવાર અને કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનોની સંખ્યા હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનક - બંધસ્થાન-બંધભાંગા - અહિં દેવ પ્રાયોગ્ય ૨૮ આદિ ચારે બંધસ્થાનો હોય છે. અસ્થિરદ્ધિક અને અયશનો બંધ અહીં ન હોવાથી દરેક બંધસ્થાનમાં ૧-૧ બંધમાંગો હોવાથી કુલ બંધ ભાંગા પણ ચાર હોય છે. ઉદયસ્થાન - ઉદયભાંગા - આ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક લબ્ધિ કોઇપણ ફોરવતા નથી. પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકે વૈક્રિય અથવા આહારક શરીર બનાવી, તે-તે શરીર સંબંધી સંપૂર્ણ પર્યાપ્તિઓ પૂર્ણ કરી, સાતમા ગુણસ્થાનકે પણ આવી શકે છે. માટે વૈક્રિય તથા આહારક શરીર આશ્રયી ૨૯ અને ૩૦ તેમજ સામાન્ય મનુષ્ય આશ્રયી ૩૦ આ બે ઉદયસ્થાનો હોય છે. ઉદયભાંગા :- સ્વર સહિત ૨૯ના ઉદયે ૧ આહારકનો અને ૧ વૈક્રિયનો એમ ૨ અને ઉદ્યોત સહિત ૩૦ના ઉદયના પણ આ -૨ તેમજ સામાન્ય મનુષ્યના ૧૪૪, એમ ૧૪૬ અને બન્ને ઉદયસ્થાનના મળી કુલ ૧૪૮ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાનકો - સામાન્યથી ૯૩ આદિ પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે. સંવેધ :- ૨૮ના બંધે ૨૯ આદિ બન્ને ઉદયસ્થાનો હોય છે. અને ૨૯ના ઉદયે વૈક્રિયનો ૧ અને ૩૦ના ઉદયે વક્રિયનો ૧ અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૫ કુલ ૧૪૬ ઉદયભાંગા હોય છે. આહારક શરીર બનાવી, સાતમે આવી શકે છે. પરંતુ આ ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તો આહારકનો બંધ પણ અવશ્ય હોય છે. અને સત્તા વિના આહારક શરીર બનાવી ન શકે, માટે અહીં તેમજ ૨૯ના બંધે આહારકના ભાંગા ઘટતા નથી. સામાન્યથી સત્તાસ્થાન૮૮નું ૧ અને બન્ને ઉદયસ્થાને ૧-૧હોવાથી તેમજ દરેક ભંગમાં પણ ૧-૧ જ હોવાથી ઉદયસ્થાન ગુણિત બે અને ઉદયભંગગુણિત ૧૪૬ સત્તાસ્થાન થાય છે. ૨૯ના બંધે પણ ૨૮ ના બંધની જેમ જ સંવેધ જાણવો. માત્ર ૮૮ ના બદલે અહીં સત્તાસ્થાન ૮૯નું સમજવું. ૩૦ના બંધે સામાન્યથી બતાવ્યા મુજબ ૨૯ અને ૩૦ એમ ૨ ઉદયસ્થાન અને તેના અનુક્રમે ૨ અને ૧૪૬ એમ કુલ ૧૪૮ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૯૨નું ૧ સત્તાસ્થાન અને ઉદયસ્થાન ગુણિત ૨ અને દરેક ભાગોમાં પણ આ ૧ જ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૯ ના ઉદયે ૨ અને ૩૦ ના ઉદયે ૧૪૬ અને સર્વ મળી ૧૪૮ હોય છે. ૩૧ ના બંધે પણ આજ પ્રમાણે સંવેધ સમજવો, પરંતુ સત્તાસ્થાન ૯૨ ના બદલે ૯૩નું જાણવું. અપૂર્વકરણ ગુણસ્થાનક :- બંધસ્થાન-બંધભાંગા :- અહીં છઠ્ઠા ભાગ સુધી અપ્રમત્તની જેમ ૨૮ આદિ ૪ અને ત્યારબાદ સાતમા ભાગે યશ-કીર્તિરૂપ ૧નું એમ ૫ બંધસ્થાનો હોય છે. દરેક બંધસ્થાનમાં ૧-૧ બંધભંગ હોવાથી કુલ બંધભાંગા પ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538