Book Title: Kalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Author(s): Hiralal R Kapadia
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

Previous | Next

Page 8
________________ [ ૧૪૪]>bh bachchhhhhhhhh બે ખાખત દર્શાવાઈ છે. નવમા પદ્યમાં એમના ધાર્મિક જ્ઞાનની પ્રશ'સા કરાઈ છે. દેશમા પદ્યમાં એમને કામદેવને જીતવામાં શંકરના સમાન અને એમનું મુખ ચંદ્ર કરતાં ચઢિયાતું છે એવા નિર્દેશ છે; અગિયારમાં પદ્યમાં તેએ કેવળજ્ઞાનીઓના સમૂહના સ્વામી છે એ વાત જણાવાઈ છે. ખારમા પદ્યમાં એમનું રૂપ અનુપમ છે એ વિગત અપાઈ છે. સાથે સાથે કર્તાએ પેાતાના નામનું ‘કુશળસાગર ’ રૂપે સૂચન કર્યું` છે કેમ કે કલ્યાણના અ કુશળ છે. તેરમા પદ્યમાં આ સ્તોત્રોનું નિત્ય પઠન કરનાર સપત્તિ પામે છે એમ કહ્યું છે. ' • એ પણ સાતમા પદ્યમાં ‘સિન્ધુર ' શબ્દ હાથી અને સિહ એમ બે અર્થાંમાં વપરાયા છે. એવી રીતે આઠમા પદ્યમાં સુવર્ણ શબ્દ ચેાજયા છે. આ શબ્દ ‘ કુશળસાગર શબ્દવૈવિધ્યના દ્યોતક છે. કર્તાએ આ સ્તવનને અતિમ પદ્યમાં સ્તોત્ર કહ્યું હાવાથી અમે પણ તેને સ્તાત્ર કહ્યું છે. ( ૬-૫) શ્રી શાંતિનાથ સ્તવન : આ કૃતિમાં ૧૯ પદ્યો છે. ૧૮ મા પદ્યમાં એના સ્તોત્ર તરીકે અને ૧૯ માં સ્તવન તરીકે નિર્દેશ કરાયા છે. પહેલાં ત્રણ પદ્યો દ્વારા વિશેષક બનેલ છે, પદ્ય ચાર અને પાંચ મળીને યુગ્ય થાય છે. સાતમા પદ્યના સંબંધ કોની સાથે છે તે વિચારવુ' બાકી છે. પદ્ય આઠ અને નવ યુગ્મરૂપે છે. આ સ્તવનમાં નિમ્નલિખિત ૧૯ છંદોનાં અનુક્રમે દર્શીન થાય છેઃ ધરા, તોટક, ભુજગપ્રયાત, હરિણી, ઇન્દ્રયશા, શાલિની, ધૃતવિલ`ખિત, ઇન્દ્રવજ્રા, રથાદ્ધતા, ઉપેન્દ્રવજ્રા, માલિની, શિખરિણી, વિદ્યુન્માલા, વસંતતિલકા, દોધક, નારાચ, વંશસ્થ, મંદાક્રાન્તા અને શા લવિક્રીડિત. આમ, પ્રત્યેક શ્લોક ભિન્ન ભિન્ન છંદમાં છે. આ સ્તવનની એ વિશિષ્ટતા ગણાય. પદ્ય એકમાં શાંતિ ' નામ છે. એ તીથંકરના દેહના વણું ઉત્તમ સુવર્ણ જેવા છે. એમની આકૃતિ મનેાહર છે અને એમણે મારિ ( મરકી )નું નિવારણ કર્યું' છે, એમ ત્રણ ખાખતા દર્શાવાઈ છે. ચતુર્થ પદ્યમાં એમનુ' મુખ કમળ જેવું છે અને એમની ચાલ ગજેંદ્ર જેવી છે એમ એ વિગતે રજૂ કરાઇ છે પાંચમા પદ્યમાં એમના દેહ, છત્ર વગેરે લક્ષણેાથી લક્ષિત કહ્યો છે. પદ્ય ૮ માં શાંતિનાથના હાથમાં ચક્રનુ` ચિહ્ન છે એમ કહ્યું છે. પદ્ય ૧૧ માં એ ખાખતા જણાવાઇ છે (૧) શાંતિનાથે હરણને શરણ આપ્યુ. અને (૨) તેએ વિશ્વસેનના પુત્ર છે. પદ્ય ૧૫ માં શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20