Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 527
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૬ અધ્યાત્મ મહાવીર પ્રવૃત્તિઓની મલિનતા અને સંકુચિત દૃષ્ટિ વગેરે ને ખી પશ્ચાત્તાપ પામે છે. “જે કાળે જેને ક્ષેત્રકાલાનુસારે જેવા વિચારે પ્રગટે છે તે કઈ રીતે તેને ઉન્નતિ માટે થાય છે. સ્થિરપ્રજ્ઞાવાળા મનુ મારી ઉપદેશમાં સ્થિર રહી શકે છે. તેઓ નિઃશંક બની પ્રવૃત્તિ કરે છે. પિતાની ઈચ્છા વિરુદ્ધ યા કેઈની પ્રેરણાથી મનુષ્ય ઉચ્ચ દશાનાં કર્મો અને સંયમાનુષ્ઠાનો સેવવા જાય છે, પણ તે સાહજિક અધિકાર સિદ્ધ થયા વિના પાછે તે ત્યાંને ત્યાં આવીને ઊભા રહે છે. માટે મારો જૈનધર્મ અનેક ગરૂપ છે. તેમાંથી પિતાની સ્વતંત્ર ઈચ્છાથી યથાશક્તિ-ધર્મ કર્મો કરવાં. શરીર કરતાં વાણુનું, તે કરતાં મનનું અને તે કરતાં આત્માનું સુખ અનંતગણું નિત્ય છે. આત્મસુખને રસ આવ્યા વિના શારીરિક ઈન્દ્રિસુખના ભેગાને ત્યાગ કરવા છતાં વાસના હટતી નથી અને આત્મા પાછે ત્યાંને ત્યાં આવીને અટકે છે. શારીરિક અને માનસિક સુખની વાસના, જ્યારે પરિપૂર્ણ આત્મિક સુખને અનુભવ આવે છે ત્યારે ટળે છે. “જેને પિતાના સુખની દશા કરતાં ઉપરની દશાના સુખને અનુભવ ન થયો હોય, તે ત્યાં સુધી ચાલતી દશાના સુખને ત્યાગ કરી શકતો નથી, અને હઠથી ત્યાગ કરતાં આગળના સુખને અનુભવ ન આવતાં પાછા હતો ત્યાંના ત્યાં આવે છે, એમ મારા ભક્ત જેને જાણે છે. તેથી તેઓ સમ્યજ્ઞાનનો વિવેક ધારણ કરી પિતાની દશા પ્રમાણે વર્તવારૂપ જનધર્મને પાળ્યા કરે છે. વાસનાઓને નીતિપૂર્વક હદમાં રાખવી એવી જે પ્રવૃત્તિ તે જનધર્મ છે. શારીરિક અને વિષયના આનંદની પ્રવૃત્તિવાળા જી આત્માનંદને સત્ય જાણે છે, તે પણ આત્માનંદરસ ભેગવ્યા વિના વિષયાનંદના રાગથી સર્વથા પ્રકારે મુક્ત થતા નથી. કેટલાક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554