Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 546
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહામહાવીરસૂક્તિ ૫૫ વર્તમાનકાળ પહેલાંની આત્મા અને મનની જે પર્યાયસ્થિતિ તે પૂર્વભવ સ્થિતિ જાણવી. તે રીતે વર્તમાનકાળની આગળની આત્મા, મન, વાણી, કાયાદિના પર્યાયની જે સ્થિતિ તે ભવિષ્યને -ભવસ્થિતિ જાણવી. પૂર્વભવની સર્વ પર્યાયદશાવાળાના ફળરૂપ વર્તમાન દશારૂપ ભવ જાણ અને વર્તમાનના સર્વ વિચારે અને પ્રવૃત્તિઓના ફળરૂપ ભવિષ્યને ભવ જાણુ. ભૂતનું પ્રતિબિંબ વર્તમાન છે અને વર્તમાનનું પ્રતિબિંધ ભવિષ્ય છે. આત્મામાં, મનમાં, કાયામાં દરરોજ ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભવને જે અનુભવ કરે છે તે શુદ્ધાત્મમહાવીર એવા મને પ્રાપ્ત કરવામાં તીવ્ર પ્રેમથી લયલીન રહે છે. જે દરરોજ આત્મામાં, મનમાં, શરીરમાં જન્મમૃત્યુરૂપ વિચારો અને પ્રવૃત્તિઓને અનુભવ કરે છે તે જ્ઞાની જૈન બને છે. તે સર્વત્ર સર્વ પ્રકારના સંગમાં પ્રવૃત્તિમય જીવન ગાળવા છતાં ગૃહસ્થ અગર ત્યાગી દશામાં નિઃસંગ અને અલિપ્ત રહે છે. જે ક્ષણે ક્ષણે આવી ચિ-મરણને અનુભવે છે અને જાણે છે તે શરીર અને પ્રાણના વિયેગ કે સંગમાં અશક, નિર્ભય અને આનંદી રહે છે. જેણે જન્મ-મરણને આત્મરૂપ કરી લીધાં છે તે વિશ્વ માટે જ આયુષ્ય ગાળે છે. તે અગ્નિરૂપ, વાયુરૂપ, જળરૂપ, પૃથ્વીરૂપ અને આકાશરૂપ બને છે. તે અનુભવી જેને અને જિન બને છે. શરીરની સાત ધાતુઓમાં, ધમનીઓમાં, નસોમાં, નાભિની નીચેના અને ઉપરના ભાગમાં, મનમાં, પ્રાણમાં સર્વત્ર આત્મરૂપ મહાવીર શક્તિઓથી વિલસી રહ્યા છે–એમ જે મારે અનુભવ કરે છે તે વ્યક્તિની અપેક્ષાએ અને સત્તાએ પોતે મહાવીરદેવ છે, નિત્ય છે, અખંડ છે, તે પ્રકૃતિગુણ અને શુદ્ધાત્મગુણી છે–એમ જાણનાર મનુષ્ય વિશ્વમાં પિતે ઈશ્વરની શક્તિઓથી ખીલીને સર્વ વિશ્વને સત્યાત્મ જૈનભાવથી વ્યક્ત કરવા પ્રયત્નશીલ અને છે. “ષિઓ ! તમે પોતે અનંત શક્તિમય છે, તમારા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554