Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 548
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ્રામહાવીરસૂક્તિ પ૦૭* પ્રકાશશે. સર્વ ખંડમાં આર્યખંડ ધર્મગુરુ અને જ્ઞાનતીર્થ તરીકે કાયમ રહેશે. આપનાં સર્વ વચનામૃતની એકવાક્યતા કરીને ગૃહસ્થો અને ત્યાગીઓ આપની આરાધના કરી મુકત અને પૂર્ણ સુખી. થશે. કલિયુગમાં જે જે આત્માઓ દ્રવ્યથી અને ભાવથી સંસારમાં. મહાવીરત્વ પ્રકટાવશે તે સુખી થશે. સનકુમારાદિ ઋષિઓ, નરનારાયણ ઋષિ, વેતકેતુવિશ્વામિત્ર, પરાશર વગેરે આપની સત્તાનું ધ્યાન અને સ્મરણ કરી દુઃખદધિ પાર પામ્યા છે. અનંત ભૂતકાળ, વર્તમાનકાળ અને અનંત ભવિષ્યકાળમાં સત્તાએ આપ એક અખંડ નિરવયવ પરમાત્મા છે. આપનામાં સર્વ વિશ્વ સૂત્રમાં મણિગણુની પેઠે પરવાયું છે. ત્રિગુણવેદરૂપ આપે છે અને ત્રિગુણવેદથી પેલી પાર પણ આપી છે. સ્થૂળ શરીરથી ઈન્દ્રિય સૂક્ષમ છે. તેથી દિવ્ય શરીર સૂક્ષ્મ છે. તેથી આહારકશરીર સૂક્ષમ છે. તેથી કાણુશરીર સૂક્ષમ છે.. તેથી વાસનાશરીર સૂક્ષમ છે. તેથી મન સૂક્ષમ છે. તેથી પર બુદ્ધિ છે. બુદ્ધિથી પર કર્યાવરણસહિત આત્મા છે. તેથી પર અન્તરાત્મા છે. તેથી પર આપ પરમાત્મા છે. “આપ પુરાણ, નિત્ય, પરમાત્મપુરુષ છે. જેમ જેમ સૂક્ષ્મ તેમ તેમ તેની વિશેષ શકિત છે. સર્વથી પર આપ વ્યાપક, સૂમ અને અરૂપી છે. તેથી આપની શકિતઓ વડે આપ મહાવીર છે. સર્વ આત્માઓ સર્વ શકિતઓના પ્રકાશ વડે મહાવીર બને છે. આપની આજ્ઞા મુજબ જે ગુરુ કરીને અને જેન બનીને ગુરુની આજ્ઞાપૂર્વક સંસારમાં પ્રવર્તશે, તેઓનાં હૃદયે ભક્તિથી ખીલી ઊઠશે, અને તેઓના શબ્દો મન્ટો બનશે. તેઓ સંસારમાં શત્રુએને જીતનારા થશે. આપને પરમ પરમેશ્વર માન્યા વિના ગમે. તેવા મહાત્માની શકિતઓ પણ છેવટે આ ભવાન્ત અગર પરભવમાં ક્ષય પામે છે. જેઓ આપના ભકત જેનો બન્યા નથી તેઓ થોડા સૈકાઓ સુધી રાજ્યાદિ પદે ભેળવીને ઊંચેથી એવા નીચે પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554