Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 531
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ સાકાર મારું નામ તથા મારે જાપ જેએને સહેજે પ્રિય નથી, તથા માર ઉપદેશ પર જેએને પૂર્ણ શ્રદ્ધા કે પ્રેમ નથી એવા કલિયુગમાં કેટલાક છદ્મસ્થ, બુદુગ્રહિત અને મહાગ્રહી જૈન પ્રગટશે. તેઓ મારા વિશાળ વિચાર અને આચારમાં સંશયી બનીને બાહ્ય ત્રતાદિક કબ્દાનુષ્ઠાન કરવા છતાં પણ આગળ વધી શકશે નહિ. તેઓ જ બનવા છતાં પણ વંશપરંપરાએ અશક્ત બની રાજય વ્યાપાર, વંશ, પરિવાર વગેરેથી હીન, ગુલામ, પરતંત્ર બનશે. દેશ, કેમ, રાજ્યાદિકના જે નેતા હશે તેઓ જ્યારે પાછા પિતાની ભૂલો જેશે અને ગૃહસ્થાવાસમાં મેં આપેલા ગૃહસ્થગ્ય ઉપદેશને ગૃહસ્થદશામાં આચરણમાં મૂકશે, મત, પંથ અને સંપ્રદાયમાં રહ્યા છતાં કદાગ્રહરહિત થઈ વિશાળ દષ્ટિથી પ્રવર્તશે અને કલિયુગમાં પ્રવૃત્તિધર્મની મુખ્યતાએ નિસંશય ભક્ત બની તેમ જ મારા ઉપદેશને સત્ય માની પ્રવર્તાશે, ત્યારે તેઓ પાછા બાહા, આધ્યાત્મિક, સામાજિક, રાજ્યાદિક શકિતઓથી સંપન્ન થશે, તેમાં સંશય નથી. “વડના બીજમાંથી જેમ એક મહાન વૃક્ષ ફાલી નીકળે છે, તેમ મારા ભક્ત જૈન આર્યો પાછા વિશ્વમાં સર્વત્ર સર્વ શક્તિઓ વડે. વૃદ્ધિ પામશે. “ઋષિઓ ! મારા ઉપદેશોથી વિશ્વને ઉદ્ધાર થવાનું છે.. ત્યારે જ પ્રગતિચક્રમાં વિશ્વ વહેશે. પિતાને, દેશને, સમાજને, સંઘને જે અકલ્યાણકારી પાપકર્મો હોય તેને ત્યાગ કરવો જોઈએ. અને શુભ કાર્યો સદા આત્મભેગપૂર્વક કરવાં જોઈએ. સમાજદેશ અને રાજ્યના લેકેને પિતાનાં અંગ ગણવાં જોઈએ. હૃદયની શુદ્ધિ કરવી જોઈએ. વિશ્વનાં સકલ અંગે પોતપોતાની ફરજ બજાવે છે, તેમ પિતાની ફરજ બજાવવારૂપ જૈનધર્મમાં જીવન અને મરણને એકસરખાં ગણવાં. સંસારમાં રહીને જે જે કરવા ચોગ્ય હોય તે સર્વ કર્મો કરે, પણ મને મારામાં રાખે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554