Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર ] જેન સત્ય પ્રકાશ
| [ વર્ષ ૧૪ અરિહંતનું ધ્યાન કરતા હું અરિહંત છું, સિહનું ધ્યાન કરતા સિદ્ધ છું,' એમ હું અચાય છું, હું ઉપાધ્યાય છું, હું સાધુ છું, હું દર્શન છું, જ્ઞાન છું, ચારિત્ર છું, તપ છું,’ આ ચિતવણું પિતાના જીવનને પવિત્રતાથી ભરી દેવા માટે તથા જવાબદારીભર્યા
૫ ગુણમાં નિજાત્માને લાવવા માટે બહુ જ ઉપયોગી છે. તે સાધકે ખૂબ ખ્યાલધારી રીતે કરવી જોઈએ.
આ પાન સાધન આ લેક, પરલેક સમગ્ર દૃષ્ટિએ અચિંત્ય ફલ આપનારું છે એ નિઃશંદે છે. તે માટે શ્રીપાલ મયણું સુંદરીનાં દષ્ટાન્ત મૌજૂદ છે. છતાં આનાથી અમને પૈસા મળે, સ્ત્રી પુત્રાદિ મળે, રેગ જય, જય મળે' વગેરે કામનાઓ કરવી તે નરી અજ્ઞાનતા છે, આત્મા માલન કરનારી છે. તે કંઈ પણ મુમુક્ષુ વિવેકી આરાધકે કરવી ન જોઈએ.
હવે સુરતરુ સમ, સકભસંકટચૂરક, મનવછિતપૂરક, સસિદ્ધિદાયક, મહામંગલિક શ્રીનવપદજીનું ધ્યાન કરનાર યાતા કેવી લાયકાતવાળો હોવો જોઈએ તે વિચારીએ1 પૂણબ્રહામાન હોવો જોઈએ: ૨ ભકિતમાન હોવો જોઇએ: ૩ કાન્ત ક્ષમામાવી પોપશમવાળો હોવો જોઈએ; ૪ દાન્ત-દરિદ્ર અને મનને સાબુમાં રાખનાર હું જેએ; ૫ પરોપકારી અને સોનું ભલું ચાહનાર હોવો જોઇએ; ૬ પીરૂ નિપૂઢ-મેલી કામનાઓથી વતિ હેવો જોઈએ.
ઉત્તમ આરાધકની આરાધના ઉત્તમ પલને જ આપનારી બને તે દીવા જેવી હકીકત છે. શ્રીનવપદજીનું ધ્યાન કરનાર કદી અશુભ દુભગ ભને પામતો નથી, કોઈ દુશ્મન એનું ભૂંડું કરી શકતો નથી, કેઈ ભૂત, પ્રેત, વ્યંતર એને દલી શકતા નથી, એનું જ્યાં જાય ત્યાં લાલું થાય છે. એનાં પાપ ધોવાય છે, પુણ્ય વધે છે, યાવત સર્વ કમ નિર્જરીન તે સિદ્ધિ પદને વરે છે. આ સાધક કખમાં તે નથી અને સુખમાં રાચતી નથી. શુભાશુસ કર્મોની લીલા સમજીને તે મહાનુભાવ નથી કેઈ ઉપર રાગ કર કે નથી કે ઉપર ટૅપ કરો. આવી પાપભીરૂ કલ્યાણકામી ભદ્રમૂર્તિ એ જ વિશ્વનાં ઉત્તલ રત છે. તઓ જ સજજનતાના પૂર્ણાવતાર રૂપ હોય છે. આ શ્રીનવપદજીનું આરાધન કરનાર, તેની આરાધના, ઉપાસના, ધ્યાન, અમુક દિવસ પૂરતું જ ન સમજે, કિન્તુ તેને હંમેશા જીવનના શ્વાસોશ્વાસમાં વણી લે; એટલે સુધી કે તેના લેહીનું એકેએક બુંદ શ્રીનવપદજીની શુદ્ધ ભાવનામય બની જાય, આ માટે પ્રત્યેક સ્ત્રીપુરુષે મયણુ-શ્રીપાલને પિતાના જીવનમાં સંપૂર્ણ ઉતારી દેવાં રહ્યાં.
પ્રાન્ત, આ વાંચી-સાંભળી સૌ કોઈ શ્રીનવપછી કલ્યાણકારિણી પુણ્ય આરાધના કરવા ખચિત પ્રેરાશે જ એવી શુભેચ્છા રાખીને હું અને વિરમીશ. આ નશ્વર જગતમાં જે કાઈ ઉપાસ્ય હોય, સેવ્ય હોય, આરાધ્ય હેય, ધ્યાન કરવા યોગ્ય હોય તે તે એક શ્રીનવપદજી જ છે.
બેલો શ્રી સિદ્ધચક્ર મહારાજકી જય. સં. ૨૦૦૫, ફાગણ સુદ 8, ગુરુવાર. પાનસરતીર્થ.
For Private And Personal Use Only