Book Title: Jain_Satyaprakash 1949 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ પકડે છે. પરંતુ એ વિચારસરણીનું મૂળ ક્યાં છે?—આટલી જ્યારે જિજ્ઞાસા થાય છે ત્યારે શંકરાચાર્યને નિર્દોષ માનવા માટે આપણી બુદ્ધિને પ્રથમ ઉપનિષદો સન્મુખ જ લંબાવવી પડે છે અને એ જોયા પછી એમ કહી શકાય છે કે ઉપનિષદ્દની કારિકાએ સ્યાદ્વાદના વિરોધમાં ચળવળ ચલાવી જ્યારે શંકરાચાર્ય વગેરેએ તેને પડો પાડે. સૂત્રકૃત, સુતક ૨, અ.૫, તથા ઉત્તરાધ્યયન સત્રમાં અસ્તિનું સ્વરૂપ સૂચવ્યું છે. અરિત, નાસ્તિ એ સપ્તભંગીના અંગો છે. ૧ અસ્તિ. ૨ નાસ્તિ. ૩ અસ્તિનાસ્તિ. ૪ અવ્યકતવ્ય, ૫ અસ્તિવિક્તવ્ય ૬ નાસ્તિવિકતવ્ય. ૭ અસ્તિનાસ્તિ અવક્તવ૫. એ સાતે ભાંગા દરેક વસ્તુમાં યથાર્થ ઘટી શકે છે. એ જ અસ્તિનાસ્તિના તપાઠને બેટે હરાવવા માટે માંડકોપનિષદ્દ, મૈપાદકારિકા પ્રકરણ ચેથામાં કહ્યું છે કે – स्वतो वा परतो वापि न किंचिद् वस्तु जायते । सदसत् सदसत् वापि न किंचिद् वस्तु जायते ॥ २२॥ અર્થ–વસ્તુ પોતાનાથી, પરથા કે ઉભયથી ઉત્પન્ન થતી નથી, તેમ સત અસત કે સદસત પણ ઉત્પન્ન થતું નથી. अस्ति नास्त्यस्तिनास्तीति नास्ति नास्तीति वा पुनः । चलस्थिरो भयाभावैरावृणोत्येव बालिशः ॥ ८३ ॥ ભાષ્યાર્થ–-પંડિતોને પણ અસ્તિ નાસ્તિ વગેરે સૂક્ષ્મ વિષયોની જાળ ગૂચવે છે. એટલે આ શબ્દ દ્વારા તેઓ પણ ગોથા ખાય છે. તે પછી ધૂલ બુદ્ધિવાળાની વાત જ ન કરવી? કોઈ કહે છે આત્મા છે. કોઈ કહે છે કે આત્મા નથી. સદસવાદી દિગ્યાસે કહે છે આત્મા ડારિત નત્તિ અર્ધ વૈનાશિક છે, અને શુન્યવાદીઓ માને છે કે આત્મા નારિત નાસિત સદંતર નથી જ, આ ચારે પ્રકારમાં ચળ, સ્થિર, ઉભય અને અભાવ સ્વરૂપની મુખ્યતા છે. આ દરેક સદસદ્દવાદીઓ પરમાર્થને જાણી શકતા નથી. માટે તેટલા મૂર્ણ છે. આ બન્ને ગાથાઓથી એ સ્પષ્ટ કહ્યું છે કે એક જ વસ્તુમાં બે વિરોધી ગુણનું અસ્તિત્વ સ્વીકારવું એ નરી મૂર્ખતા છે. પણ માટલું બોલીને આનંદ માનવો એ જ આ માથાનું ફળ છે. કેમકે અન્યનું શું કહેવું છે એ બરાબર સમજ્યા સિવાય પિતે ઘડી રાખેલ કલ્પનાને સાચી માની સામાને જૂઠો કહે એ જેટલું શોચનીય છે તેટલું જ હાસ્યાપદ છે. જુઓ કારિકામાં કહ્યું છે કે-વસ્તુ પિતાનાથી કે પરથી ઉત ન થતી નથી. આનો અર્થ શું ? પ્રકાશનું જ્ઞાન જેમ પ્રકાશથી થાય છે તેમ અંધકારથી પણ થાય છે. જે જગતમાં અંધારા જેવી કઈ વસ્તુ ન હેત તે પ્રકાશ જેવી વસ્તુ હેત કે નહિ એ સંશય છે. છતાં તે બને વસ્તુ એક નથી; ભિન્ન ભિન્ન છે. પ્રકાશ પ્રકાશ રૂપે “ છે' અંધારારૂપે “નથી.' અંધકાર સ્વરૂપે “છે” તેજ રૂપે “નથી” એટલે પ્રકાશનું જ્ઞાન અતઃ પ્રકાશથી સુલભ છે અને પરતઃ પ્રકાશ તિરિક્ત અંધકારથી પણ સુલભ છે. આ સાદી વાત હોવા છતાં પૂર્વોક્ત પ્રશ્ન કેમ થયો હશે? આ જ રીતે સદ્ અને સદ્દની ઉત્પત્તિની શંકા પણ નમૂળ છે. વળી ભાષ્યકાર અસ્તિ નાસ્તનો વિષય સામાન્ય બુદ્ધિગમ્ય નથી, આટલી કબૂલાત આપે છે, છતાં જેનો અસ્તિનાસ્તિને કઈ રીતે માને છે એ જાણવાની તસ્દી લીધા વિના જ અસ્તિનાસ્તિનો અર્થ અર્ધ વિનાશક કરે છે. ખરેખર, આ અર્થ અસ્તિનાસ્તિના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28