Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષે ૧૦ “ખુસી દૂઓ દિલ્હીપતિ ત્યારે, હીર સાચા નીરાગી.” કેવું સુંદર ચિત્ર છે ! રાસકાર પ્રથમ અહિંસાના ફરમાન માટે લખે છે કે પર્વ પજુસણ દિન એ આગલિ, કઈ જીવ રખ્યાય રે; પાંચ દિવસ ઢંઢરે ફિરે તો, હીર ખુશી બહુ થાય રે. તુરત ફરમાન કરીને દીધું, આવ્યું આમરી માંહિ રે; લઈ કોટવાલને રાતિ ફરત, પાપીનાં ઘર જ્યાંહિ રે. કેડિબંધ પ્રાણુ ઉગરીઆ, હીરનિં દ આસીસ રે; જય જયકાર હુજે રિખિ તુજને, જીવ કેડી વરીસ રે.” યદ્યપિ વિજય પ્રશસ્તિમાં આઠ દિવસનો ઉલ્લેખ છે છતાં અહીં પર્યુષણ પર્વમાં પહેલા પાંચ દિવસ અહિંસા પળાવ્યાનો ઉલ્લેખ છે એ જરૂર વિચારણુય છે. વારંવાર મુલાકાત થતાં પ્રસન્ન થઈ બાદશાહ સૂરિજી મહારાજને કહે છે. ફરી ફરી કહે શાહ અકબર, કછુ એક તુમ માં ગઈ; આઠ દિવસ તવ માંગિયા, ભલા ભૂપ મન બેઇ.” આઠ દિવસ દિયે સહી, મેરી વતી તુમ ચાર; હુકમ હુઆ જબ શાહકા, હાઈ ફરમાન સુસાર.” આનાં છ ફરમાને જુદા જુદા પ્રાંતોમાં મોકલ્યાં છે અને આ પ્રમાણે બાર દિવસ“શ્રાવણ વદી દસમી થકી, પળે દિવસ વળી બર; ભાદવા શુદિ છઠુિં લગી, ઉમરે જીવે અપાર.” આટલું આપ્યા પછી બાદશાહ કહે છે હજી વધુ કંઈક માંગો; સૂરિજી માંગે છે– બી કુછ માંગો હીરજી, માંગ્યું ડામર તલાવ; બાર ગાઉ તે ફરતું સહી, ભરીઉં મઇિ સાવ; ઓ ભી ની છેડો સહી, કેઈ ન ડારે જાવ.” (હીરસૂરિ રાસ પૃ ૧૨૮). હજી બાદશાહ કહે છે કે માંગો. સૂરિજી માગે છે. પણ બાદશાહ જે જવાબ આપે છે તે વાંચતાં આ કવિરાજની સત્યપ્રિયતા ટપકી રહી છે. “સસલે સસતે છોડુંગા, ક્યું સબકું સુખ થાય.” અર્થાત એકદમ માંસાહાર ત્યાગ, શિકાર બંધ નથી કરતા, પણ ધીમે ધીમે આપનું વચન પાળીશ. બાદશાહ સૂરિજી મહારાજના ગુણ ગાતાં કહે છે-- “સબ જુઠે હૈં એક તુમ સાચ, તુહ્ય નગીના ઓર સબ કાચ.” છેવટે સમ્રાટુ સૂરિજીના ગુણે ઉપર પ્રસન્ન થતાં બોલે છે: 'જમમાં સાચે જગગુરુ હીર.' કહિ અકબરશા સંયમી હુતો, પદમસુંદર તસ નામ; આર વજા ધરતે પસાલે, પંડિત અતિ અભિરામ. જ્યોતિષ વૈદ્યકમાં તે પૂર, સિદ્ધાંતી પરમાણુ અનેક ગ્રંથિ તેણેિ પોતે કીધા, છતી નહિ કે જાણે. કાલિ તે પંડિત પણ ગુદ (જ) ર્યો, અકબર કહિ દુઃખ થાઈ; ક્યા કર ન ચલે કહ્યુ હમકા, એ તો બાત ખુદાઈ.” –(શ્રીહરસુરિરાસ પૃ. ૧૨). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38