Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન-પ્રશ્નમાલા પ્રયાજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયપદ્મસૂરિજી,
[ ક્રમાંક ૮૨ થી શરૂઃ ગતાંકથી અલુ; આ અે સંપૂર્ણ ]
૯૩ પ્રશ્ન—૧ અતિક્રમ, ૨ વ્યતિક્રમ, ૩ અતિચાર અને ૪ અનાચારનું સ્વરૂપ શું ? ઉત્તર-૧ લીધેલા વ્રતાદિમાં કક દોષ લાગે એટલે વ્રતાદિની મર્યાદાનું કઇક અંશે ઉલ્લંધન કરવું તે અતિક્રમ, ૨ વ્યતિક્રમ એટલે તે ત્રાદિની મર્યાદાનું વિશેષ ઉલ્લંધન કરવું. અતિક્રમ કરતાં વ્યતિક્રમમાં વિશેષતા હેાય છે. ૩ અતિચાર મન વચનથી વ્રતાદિ વિરુદ્ધ કરવું, વગેરે પ્રકારે જેનું સ્વરૂપ છે, તે અતિચાર કહેવાય. ૪ અનાચાર–ત્રતાદિના મન વચન કાયાથી સ`પૂર્ણ રીતે ભંગ થવા તે અનાચાર કહેવાય. આ બાબત આધાકર્મી આહારના દૃષ્ટાંતે સમજી લેવી. તે દૃષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે જાણવું: ૧ એક ગૃહસ્થ મુનિરાજને આષાકર્મી આહાર વહેારાવવાની ભાવનાથી વિનંતિ કરે છે. તે મુનિ આ શ્રાવક આાધાકર્મી આહારને વહેારાવવા વિનતી કરવા આવ્યેા છે, એમ જાણુવા છતાં વિનંતી સ્વીકારે. તે વિનંતીના રવીકાર, એ અતિક્રમ કહેવાય. કારણકે આમાં સાક્રિયાનું ઉલ્લંધન થાય છે; જ્યારે આવું વચન સભળાય પણ નહિં તે પા વિનંતીના સ્વીકાર તે થઈ શકે જ નહિ. વિનંતીના સ્વીકાર કર્યો ત્યારથી માંડીને ઝાળી પાત્રા તૈયાર કરવા માંડે ત્યાં સુધી તે અતિક્રમ કહેવાય. પણુ ૨ ઝોળી પાત્રા તૈયાર કરીને મુનિ ચાલવા માંડે ત્યારે વ્યતિક્રમ કહેવાય. તે મુનિ ગૃહસ્થને ત્યાં જઈ ને વહેારવા માટે કેળીમાંથી પાત્રા બહાર કાઢે, નૈ દાયક ગૃહરથ વડેરાવવાને આહાર ચાટીમાંથી લખત હાથમાં લ્યે, અહીં સુધી વ્યતિક્રમ કહેવાય. ૩ પાત્રામાં આડાર લીધે, તે આહારનું લેવું, એ અતિચાર કહેવાય. ગેાચરી આલેવીને આડાર વાપરવા માટે પાત્રામાંથી હાથમાં લઈને માં આગળ રાખે અહીં સુધી અતિચાર કહેવાય. તે આહાર માંઢામાં મૂકી મુનિ ગળે ઉતારે, આ જે ગળે ઉતારવું, અનાચાર કડ઼ેવાય. અીં અપવાદ એ છે ક્રે-સાધુની આગાઢ માંદગી, અટવી વગેરે કારણે ગીતાર્થા િમહાપુરુષાની આજ્ઞાથી ગીતા શ્રાવક તેવા આહાર વહારાવે, છતાં તેને એકાંત નિરા શ્રી ભગવતી સૂત્ર નિશીથ સૂત્ર ભાષ્યાદિમાં કહી છે. વિશેષ ખીના આવશ્યક સૂત્રની માટી ટીકા વગેરેમાં જણાવી છે. ૯૩,
૯૪ પ્રશ્ન-પ`દર કમ ભૂમિમાં એવું કયું ક્ષેત્ર છે, જ્યાં કદાપિ તીર્થંકર દેવના અભાવ હાય જ નહિ ?
ઉત્તર—મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરદેવને વિરહકાલ હોય જ નહિ. પાંચ ભરતક્ષેત્ર અને પાંચ અરવ્રત ક્ષેત્રમાં તી કર દેવને કરકાલ હેય. ૯૪.
૯૫ પ્રશ્ન—હાલ મહાવિદેદુમાં વીસ તીર્થંકરા વિચરે છે. અહીં પૂછ્યાનું એ છે કે કાઈ કાલે વીસથી ઓછા તીર્થંકરા મહાવિદેહમાં હાય, એવું બને ખરું ?
ઉત્તર-જેમ ઉત્કૃષ્ટ કાળે ૧૭૯ તીર્થંકરા વિચરે છે, તેમ કાઈ કાલે એવું પણ તે છે કે મહાવિદેહમાં ૧૦ તીર્થંકરા વિચરતા હૈાય. વિશેષ બીના શ્રીઆચારાંગ અદ્ વૃત્તિ, પ્રવચનસારેાહાર અવૃત્તિ વગેરેમાં જણાવી છે. ૫.
૯૬ પ્રશ્ન-પૂર્વ જણાવ્યું કે ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થંકર દેવે વિચરે, એ કઈ રીતે?
For Private And Personal Use Only