Book Title: Jain_Satyaprakash 1943 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક મહત્ત્વનાં ફરમાને
[ પ ] છે. પિતાની હિંદુ રૈયતને હેને ધર્મ, હેની મરજી મુજબ અબાધિત રીતે પાળવા દેવા માટે હેમાં દરેક રીતે કાળજી દર્શાવવામાં આવી છે. શેત્રુંજાની આસપાસ જાનવરોની કતલ કે હેને શિકાર ન થાય તથા ત્યાં માછલાં મારવાં કે પકડવાં નહિ, એવો કોઈ ફરમાનથી હુકમ થયે છે, તે કોઈ બીજા ફરમાનથી હિંદુઓની ધર્મની જગા પાસે કઈ એક મુસલમાન ફકીર ગેરકાયદે દરગાહ બનાવી બેઠે હતો હેને એકદમ ખસી જવાની આજ્ઞા થઈ છે. આ ફરમાનોની ભાષા ફારસી છે ને મજકુરમાં અપક્ષપાતપણું લીટીએ લીટીએ તરી આવે છે. ધર્મ સંબંધી છૂટ હેમાં વાકયે વાકયે દેખાઈ આવે છે. એ ફરમાનેમાંથી થોડાક નમૂનારૂપે આપ્યાં છે.
અ ( બીજું ફરમાન ) સેરઠ સરકાર હાલમાં કામ કરતા તથા ભવિષ્યમાં થનાર અમલદારે જેઓ સુતાનની મહેરબાનીની આશા રાખે છે, તથા તે મહેરબાનીને યોગ્ય ગણવા માગે છે હેમને માલુમ થાય કે ગૂÈ ઉલ અકરાન (એક ખેતાબ છે) શાંતિદાસ ઝવેરીએ, સ્વર્ગ સમાન અમારી દરબારમાં એક અરજદાર તરીકે, અરજ કરી જણાવ્યું કે સદરહુ સરકારના તાબાના પરગણુમાં મોજે પાલીતાણા નામે એક ગામ આવેલું છે હેમાં હિંદુઓની પૂજાનું એક સ્થાન જેને શેત્રુજે કહે છે તે આવેલું છે અને ત્યાં આસપાસના માણસોની તીર્થ માટે જાત્રા કરવા આવજાવ થયા કરે છે તેથી ઉંચા દરજજા અને ઉમદા પઠીવાલા (બાદશાહ)ને હુકમ કાઢવા તથા પ્રદર્શિત કરવામાં આવે છે કે પાનખર ઋતુની શરૂઆતથી (પીચાઈલ મહીનાથી) મજકુર મોજે (ગામ) ઉપર જણાવેલા ગૂÈ ઉલ્ અકરાનને હમે મહેરબાનીના રાહે ઈનામમાં આપીએ છીએ અને તેથી સૌની ફરજ છે કે, એ ઈનામ હેમણે કબૂલ રાખી કોઈ પગ રીતે તેને હરકત કરવી નહિ. અને આસપાસના માણસે ત્યાં નિશ્ચિતપણે તીર્થ કરવા આવે જાય, હેમને આ હુકમની રૂએ કઈ પણ રીતે હરકત હલ્લો કર નહિ. લખ્યું તા. ૨૯ મેહરમ ઉલ હરામ મહીને. ગાદીએ બેસવાનું વર્ષ ત્રીજું.
આ સનદના ઉપરના ભાગમાં શાહજહાન બાદશાહનાં મહેર ને સિક્કો છે, અને કોઈ અલીતકીખાન મારફત એ મેકલવામાં આવી છે એવું લખ્યું છે.
(બ) (ત્રીજું ફરમાન) આ ફરમાન પણું ગુજરાત (શહેર)ના હાકેમ તથા અમલદારોના ઉપર કાઢવામાં આવ્યું છે.
સદરહુ શહેરમાં રહેતા મહાજનોમાં લેકા નામની એક કોમ વસે છે. તે કોમ અમારા દરબારમાં આવી, ને હેણે અમારી મદદ માટે અરજ ગુજારી કે શાંતિદાસ, સૂરદાસ વગેરે મહાજને અમારી જોડે ખાનપાનને તથા સગપણનો વ્યવહાર રાખતા નથી. આ ઉપરથી આફતાબ જેવી પ્રકાશિત દરબારમાંથી એવો હુકમ કાઢવામાં આવે છે કે ઉંચા દરજજાના શરીઅત તથા દેદીપ્યમાન એવા (હમારા) ધર્મ પ્રમાણે પરસ્પર ખાવા પીવાને કે સગપણને વ્યવહાર રાખવે એ બંને પક્ષની રાજીખુસી તથા રઝામંદી (ઈચ્છા) ઉપર આધાર રાખે છે. તેથી જો એમની તે બાબતની ઈચ્છા હોય તો હેમણે એક બીજા જોડે સગપણનો વ્યવહાર બાંધો તથા પરસ્પર જમવા ખાવાની છૂટ રાખવી; પણ જે તેમ ઈચ્છા ન હોય તો કઈ પણ શખસે કોઈ બીજાને તે બાબત અડચણ કરવી નહિ અને એને સંબધે કોઈએ કાઈને હેરાન કરવું નહિ. તેમ છતાં જો કોઈ કાઈને હૈરાન કરશે
For Private And Personal Use Only