Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધ્યાનનું સ્વરૂપ
સંગ્રાહક—પૂ. મુનિમહારાજ શ્રી દક્ષવિજયજી
જ્ઞાન-દર્શન સ્વભાવવાળા આત્મા હમેશાં કાઈ ને કાઈ પ્રકારની વિચારણા તા કરે જ છે. કાઈ વખત આ વિચારણાના પ્રવાહ શુભ એટલે આત્માને હિતકારી હાય છે અને કાઈ વખતે એ પ્રવાહ અશુભ–આત્માને નુકસાન કરનાર હેાય છે. આ વિચારણાના પ્રવાહને આપણે ધ્યાન તરીકે ઓળખીએ છીએ.
જૈનદર્શનમાં ધ્યાનના ચાર પ્રકાર વર્ણવ્યા છે: (૧) આર્ત્ત ધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મ ધ્યાન અને (૪) શુકલધ્યાન. આ ચાર ધ્યાન પૈકી પહેલાં એ–આર્ત્ત અને રૌદ્ર–ધ્યાન અશુભ એટલે આત્માનું અહિત કરનાર અને સંસારવર્ધક હાવાથી ત્યાજ્ય છે, અને છેલ્લાં બે-ધર્મ અને શુકલ-ધ્યાન શુભ એટલે આત્માનું હિત કરનારાં અને મેક્ષપ્રાપ્તિનાં કારણ હાવાથી આરાધ્ય છે. આ ધ્યાનના ચાર પ્રકાર ન્યાયાચાર્ય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજ વિરચિત ‘અધ્યાત્મસાર’માં નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યા છે—
आ रौद्रं च धर्म्य च शुक्लं चेति चतुर्विधम् । तत्स्याद् भेदावि द्वौ द्वौ कारणं भवमोक्षयोः ॥ ८६ ॥ प्रबंन्ध ५ । (૧) આત ધ્યાનનું સ્વરૂપ
राज्योपभोगशयनासन वाहनेषु ।
श्रीगन्धमाल्य मणिरत्नविभूषणेषु ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इच्छाभिलाषमतिमात्रमुपैति मोहादू
ध्यानं तदार्त्तमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥
—ીનતારાવલી, પુ॰ ૨૭, ×જ઼ોર ૮ર્
અર્થ-રાજ્યના ઉપભેગા (રાજિસ મેાજશાખા), સૂવાનાં ઉત્તમ સાધના, આસના, વાહના, શ્રીઆ, ગન્ધા (અત્તર, તેલ, ફુલેલ આદિ) મણિ, રત્ન અને (અનેકવિધ નાહર) અલકારાને વિષે, માહને લીધે અત્યન્ત તીવ્ર ઇચ્છા તેમજ અતિ તીવ્ર અભિલાષર રાખવા, તે આર્ત્ત ધ્યાન (કહેવાય) છે. એ પ્રમાણે ધ્યાનનું સ્વરૂપ જાણનારાઆએ પ્રતિપાદન કર્યું છે.
૧. પ્રાપ્ત થયેલ પ્રિય વસ્તુના વિયાગ ન થાય, એવી જે વિચારણા તે દચ્છા કહેવાય છે, ૨. અને અપ્રાપ્ત ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિની જે જંખના તે અભિલાષ કહેવાય છે,
For Private And Personal Use Only