Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'ક ૮]
‘સિદ્ધસેનદિવકરાચાય ગચ્છના ઉલ્લેખ
(१) श्री नागेंद्रकुले
(૨) શ્રી સિદ્ધસેનલિયા [−] (૩) રાષાયા છે. [−] (४) म्माछुप्ताभ्यां कारिता
(૧) સંવત ૨૦૮૬ ।
આ પ્રમાણેનો, જેમાં સિદ્ધસેનદિવાકરાચાર્ય ગચ્છનો ઉલ્લેખ કરેલા હેાય એવા, પુરાવા હજુસુધી બીજે કાઈ ઠેકાણે ઉપલબ્ધ થયા હોય તેવું મારા જાણવામાં આવ્યું નથી. આ આ ઉપરથી આપણને એક નવા વિચાર પણ ઉદ્ભવે છે કે આવા તે કેટલાયે ગસ્કોનુ નામેાનિશાન કરાલ કાળના પંજામાં આવીને લુપ્ત થઈ ગયું હશે. બીજી સંવત ૧૦૮૬ સુધી તા સિદ્ધસેનદિવાકરાચાર્ય ગચ્છ હસ્તિમાં હતા તે વાત નિઃશંક રીતે નિશ્ચિત થાય છે. વળી સિદ્ધસેન દિવાકર નાગેદ્રકુલમાં થયા ડાવાને પુરાવા પણ આ લેખ પૂરા પાડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
[ ૪૩૫ ]
આ લેખવાળી મૂતિ જ્યારે મે જોઈ ત્યારે તેના ઉપર કાટના થનાયર નમી ગયા હતા. મને પેાતાને જો પ્રાચીન ધાતુ પ્રતિમાને અભ્યાસ ફરવાની આદત ન હાત હું માનું છું કે આ લેખ ખીન્ન... કેટલાંય વર્ષો સુધી અજ્ઞાત જ રહેત. મને જોતાંની સાથે જ જણાઈ આવ્યું કે આ પ્રતિમા પ્રાચીન છે અને તે લગભગ દસમા, અગિયારમા સૈકાની હોવી જોઇએ. આથી મે' પ્રતિમા ઉઠાવીને હાથમાં લીધી અને તેની પાછળ જોયું તે થાડા અસ્પષ્ટ અક્ષરો દેખાયા. આ અક્ષરે। દેખતાંની સાથે જ મારી સાથે જૈન ડીરેકટરીના કામકાજ માટે આવેલા મિ. મનસુખલાલ ભાયચંદભાઇને તેના અક્ષરા સાફ કરવા કહ્યું. લગભગ ત્રણ કલાકની મહેનત પછી તેના અક્ષરા વહેંચાવા લાગ્યા અને અક્ષરે વાંચતાંની સાથેજ મને પ્રાપ્ત થયેલા આ અમૂલ્ય લેખ માટે મને અનહદ આનંદ થયો. અંતમાં આશા રાખુ છું કે મારા આ લેખ જૈન ઇતિહાસના એક મહત્ત્વના અકાડા પૂરા પાડશે, અને જૈન શ્રમણ સ'સ્કૃતિના અભ્યાસીએ અને સંશોધકેા આગળ એક વિચારણીય મુદ્દો ઉપસ્થિત કરશે.
For Private And Personal Use Only
પ્રાન્ત-અહીં ખાસ કરીને પૂજ્ય મુનિમહારાન્તને એટલી વિનતી કરવી યોગ્ય ધારું છું કે તેઓશ્રી પોતાના વિહાર દરમ્યાન, જૈન સમાજ તરફથી મોટા ભાગે ઉપેક્ષિત થએલી, આવી ધાતુપ્રતિમાઓના લેખાની નોંધ કરે અને એમ કરીને જૈન ઇતિહાસના મહત્ત્વના અકાડાએ પૂરા પાડવાના મહત્ત્વના કાર્યને સંપાદન કરે !
૧ અહીં કૌંસમાં જે અા આપ્યા છે તે પ્રતિમાની ઉપરના લેખની તે તે પંક્તિને સૂચવે છે,