Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેસી
(ગતાંકથી ચાલુ)
રતનસિંગ ભંડારી રતનસિંગ ભંડારીને જન્મ પ્રસિદ્ધ ઓસવાલ વંશમાં થયો હતો. મારવાડને સરદાર અભયસિંગના સમયમાં એ ઊંચા હોદ્દા પર આવ્યું. એ સરદાર પ્રત્યે રતનસિંગની ભક્તિ પ્રશંસનીય હતી. પિતાની ફરજ અને પિતાના અધિકારનું જેને બરાબર ભાન હતું, એવો તે બુદ્ધિશાળી અને બહાદુર સરદાર થઈ ગયો.
ઈ. સન. ૧૭૩૦ માં મોગલ સત્તા તરફથી અભયસિંગ અજમેર અને ગુજરાતને સૂબો નિમાયે. ત્રણ વર્ષ સુધી એ પ્રદેશમાં રાજ્ય ચલાવી, પિતાની પાછળ રતનસિંહને મુકી તે દિલ્હી પાછો ફર્યો. આ પ્રમાણે ઉક્ત પ્રાંતિમાં ભંડારીએ કે જે છોટા સરસૂબા તરીકે ઓળખાત-સ. ૧૭૩૩ થી ૩૭ સુધી રાજ્ય કર્યું. જ્યારે રાજ્યની લગામ રતનસિગના હાથમાં આવી ત્યારે ગુજરાત પ્રાંતમાં મોગલેની સત્તા ઓસરવા લાગી હતી. એક તરફ મરાઠાઓના અને બીજી તરફ ખંડિયા એવા સૂબાઓના બળવા ચાલુ હતા. આ રીતે મંગલાચરણમાં જ રતનસિંગને ઉભય વર્ગો સામે કયાં લડીને અથવા તે સમજુતી કરીને પુનઃ સત્તાની જમાવટ કરવાની હતી. મધ્યસ્થ એવી મોગલ સત્તાની નબળાઈને લઈ એને બહુ સાવચેતી પૂર્વક કામ લેવાનું હતું.
સત્તાનાં સૂત્રો હાથમાં લીધાને માંડ મહિનાઓ વીત્યા ત્યાં તે મરાઠા સરદાર જાદવજી ડાભીડેએ ગુજરાત પર ચઢાઈ કરી. આ અણધાર્યા પ્રસંગથી બચવા સારૂ અને પ્રાંતને લૂંટફાટમાંથી બચાવવા સારૂ–મેટી રકમ આપીને એને મરાઠા નાયકને પાછો વાળવાની જરૂર પડી. વીરમગામનો સૂબ ભાવસિંગ રતનસિંગ સામે વારંવાર વિરોધ ઉઠાવતે. સન ૧૭૩૪ માં એની આડખીલી એટલી હદે વધી પડી કે એને પકડવા સારુ જવાંમર્દખાન પર રતનસિંગને હુકમ મોકલવો પડયો. ખાને વિરમગામ જઈ ભાવસિંગને તાબામાં લીધો પણ એના અનુયાયીઓના દબાણથી તેને છોડવાની ફરજ પડી.
આ સાલમાં ધ્યાન ખેંચે તેવો બીજો બનાવ તે મરાઠાઓએ પુનઃ વડોદરા લઈ લીધું એ હતો. વડોદરાને સૂબો શેરખાન બાબી, બાલાસીનેરની મુલાકાતે ગયો હતો અને રક્ષણને ભાર મહમદ અરબાઝના હાથમાં હતું. એ તકનો લાભ લઈ મહાદજી ગાયકવાડે વડોદરા પર છાપો માર્યો. આ વાતના સમાચાર શેરખાન બાબીને પહોંચતાં તે જલદીથી પાછો ફર્યો. શહેરમાં ઘેરાયેલા સૈન્ય બહાદુરીથી ટકાવ કર્યા. દરમિયાન બાબીએ રતનસિંગને સર્વ વાત જણાવી તેની મદદ માંગી. રતનસિંગે ખંભાતના સૂબા મોમીનખાનને બબીની મદે જવાનું ફરમાવ્યું. આ રીતે સૈન્યની જમાવટ થાય તે પૂર્વે તે જાદવજીએ શહેર
For Private And Personal Use Only