Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ જેનદર્શન અને સુપાત્રદાન લેખકઃ આચાર્ય મહારાજ શ્રી વિજ્યપધસૂરિજી શ્રી જૈન દર્શન એ અનાદિ અનત છે, એટલે તેની અમુક કાલે શરૂઆત થઈ કે અમુક કાલે તેને નાશ થશે, એમ ન જ કહી શકાય. તેમજ તે તમામ પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાયની સત્ય અને સંપૂર્ણ બીના જણાવવા સમર્થ છે. લગારપણું પક્ષપાત રાખ્યા સિવાય બધાં દર્શનને ઘટતે ન્યાય જૈન દર્શન આપી શકે છે. આથી જ તે નિષ્પક્ષપાતી દર્શન તરીકે પ્રસિદ્ધિને પામ્યું છે. દરેક પદાર્થને પૂરેપૂરે તરવ બેધ મેળવવાને માટે જેમ બીજા સાધનની જરૂર પડે છે, તેવી જ રીતે અપેક્ષા જ્ઞાનને તેથી પણ વધારે જરૂરિયાત જણાય છે. આવી તમામ અપેક્ષાઓની તરફ લય રાખીને વરસ્તુતત્વને સમજાવનારું એક જનેન્દ્ર દર્શન જ છે. માટે તે સ્યાદ્વાદર્શન આવા નામથી પણ ઓળખાયું છે. બીજાઓની જેમ જૈન દર્શન આ વસ્તુનું સ્વરૂપ આમ જ છે,' એમ નથી કહેતું, આથી આને અનેકાંતદર્શન એમ પણ કહી શકાય. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી. હેમચંદ્રસૂરિજીએ મહાવીર દેવની સ્તુતિ કરતાં અડચંપતિપક્ષમાવવું, જા રે મારા પ્રકાર છે नयानशेषानविशेषमिच्छन् , न पक्षपाती समयस्तथा ते ॥१॥ સ્પષ્ટાર્થ-હે પ્રભે, બીજાં દર્શને એક બીજાને મતનું ખંડન કરવામાં બહાદુરી માની રહ્યાં છે. અને એકએક નયના વિચારને વ્યાજબી ગણીને જુદા જુદા નામને ધારણ કરે છે. અહીં દષ્ટાંત તરીકે સમજવું કે એકલા જુસૂત્ર નય નામના ચોથા નયને વિચારને આધારે બૌદ્ધદર્શન પ્રગટ થયું. બીજા સંગ્રહ નવમાંથી વેદાંતિઓને મત પ્રકટ થયે. સાને ગમત અને વૈશેષિક મત પહેલા નગમ નવમાંથી પ્રકટ થયો શબ્દબ્રહ્મજ્ઞાનિને. મત શબ્દ નયમાંથી પ્રકટ થયેલ છે. પરંતુ જૈનદર્શન એ સર્વ નથી ગુંથાએલું છે. એટલે તમામ નોને ભેગા કરીને નિર્દોષ સ્પષ્ટ સ્વરૂપ જણાવે છે માટે જ તે બધાં દર્શનેમાં ઘણું શ્રેષ્ઠ છે, એમ સાક્ષાત્ દેખાય છે. બીજાં દર્શને “મારું એ સાચું' એ કહેવત પ્રમાણે ખેટા વિચારને પણ સાચા ઠરાવવા ખૂબ મહેનત કરે છે, અને છેવટે પૂર્ણ સમજણના અભાવે વસ્તુતત્વને યથાર્થ નિર્ણય ન થવાથી તેઓ બીજા તરફ ઈષ્યભાવ ધારણ કરે છે. આ બધામાં જૈનદર્શન ન્યાયાધીશની જેમ પક્ષત રાખ્યા વગર સત્ય ભૂલ સમજાવીને બધાને સન્માર્ગમાં દોરે છે. આ પ્રસંગે એ પણ જરૂર યાદ રાખવા જેવું છે કે-જેવી રીતે એક પૈડાથી રથ ચલાવાય જ નહિ, તેમ તમામ વ્ય ગુણ- પર્યાનો સાચે બેધ એકએક નયના આ ધારે કોઈ દિવસ થઈ શકે જ નહિ. આવા આવા પુષ્કલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાચાર્ય ભગવંતિએ જૈનદર્શનને સમુદ્રની જેવું કહ્યું છે, અને બીજા દર્શનેને નદીની જેવાં કહ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44