Book Title: Jain Satyaprakash 1935 12 SrNo 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૧૮૫ એટલે ગુરૂ બોલ્યા કે–“એ સિદ્ધરસે મને આપવા માટે રસ બનાવ્યો? અહો ! તેને કેટલે બધે અપૂર્વ નેહ”! એમ કહેતાં તે (ગુરુ) જરા હસ્યા અને પાત્ર હાથમાં લઈ ભીતે પછાડી ભાંગીને તેને ભૂકે કરી નાખે. તે જોતાં આવેલ પુરૂષ મોટું વાંકું કરીને ખેદ પામ્યો. ત્યારે તેને કહ્યું કે હે ભદ્ર! તું ખેદ ન પામ તને શ્રાવકો પાસેથી સારું (ભાજન અપાવીશ, એમ કહી તે પ્રમાણે કર્યું. જતી વખતે ગુરૂજીએ તે રસવાદીને મૂત્રથી ભરેલ કાચ પાત્ર (કાચનું બનાવેલું વાસણ ) આપ્યું. તેથી તે શિષ્ય વિચાર્યું કે–મારો ગુરૂ ખરેખર ભૂખ લાગે છે કે આની સાથે સ્નેહ કરવા ઈચ્છે છે. એમ વિચારી તે શિષ્ય નાગાર્જુનની પાસે આવ્યો. અને કહ્યું કે-“આપની સાથે તેની અદ્ભુત મૈત્રી છે.” એમ કહેતાં તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને આપ્યું. તેણે ખૂલ્લું કરી જતાં મૂત્રની દુર્ગધ આવી, જેથી જાણ્યું કે-“અહો તે સૂરિની નિર્લોભતા (મૂઢતા ઠીક લાગે છે. ) !” એમ ધારી ખેદ પામેલા નાગાર્જુને પણ તે કાચ પાત્રને પત્થર ઉપર પછાડી ભાંગી નાંખ્યું. એવામાં રસોઈ કરવા માટે દેવગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યો. તે વખતે અગ્નિનો યોગ થતાં તે મૂત્રથી પત્થર પણ સુવર્ણ બન્યા. આવી સુવર્ણસિદ્ધિને પ્રભાવ જોઈને શિષ્ય આશ્ચર્ય પામી ગુરૂને આ બીના જણાવી કહ્યું કે-જરૂર તે આચાર્ય મહારાજની પાસે અદભુત સિદ્ધિઓ છે, કે જેના મલમૂત્રાદિના સંબંધથી પત્થરે પણ સુવર્ણ (સોનું) રૂપ થાય છે. એ પ્રમાણે સાંભળતાં નાગાર્જુને આશ્ચર્ય પામી વિચાર્યું કે સૂરિજીની સિદ્ધિઓની આગલ મારી સિદ્ધિ શા હિસાબમાં છે ? ચિત્રાવેલી કયાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) કયાં? શાકંભરી (દુર્ગા)નું લવણ ક્યાં?–અને વજીકંદ જ્યાં? દર દેશમાં રહેતા અને વનસ્પતિ (ઔષધો)ને એકઠી કરતાં હંમેશાં ભિક્ષા ભજન કરવાથી મારો દેહ પ્લાન (નિસ્તેજ) થઈ ગયા છે. અને એ આચાર્ય તે બાળપણથી જ માંડીને લેકમાં પૂજાયા છે. અને આકાશ ગામિની વિદ્યાથી સાધ્ય સાધતાં તે હંમેશાં સુખમાં રહે છે–વળી તેમના શરીરના મલ મૂત્રાદિકના પ્રભાવે માટી અને પત્થર વિગેરે સો ટચના સુવર્ણ સ્વરૂપ બને છે. તે પૂજ્ય સૂરિજીનો પ્રભાવ વચનાતીત અને અપૂર્વ છે ! એમ ધારી પિતાના રસ-ઉપકરણ મૂકીને નાગાર્જુન આચાર્ય શ્રી પાદલિપ્ત પ્રભુની પાસે આવી નિરભિમાન બની કહેવા લાગ્યો કે હે નાથ ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપ પૂજ્યને જોવાથી મારો સિદ્ધિ ગર્વ સર્વથા ગળી ગયો છે. હું કાયમને માટે આપશ્રીના ચરણકમલની સેવાનો લાભ લેવા ચાહું છું. વ્યાજબી જ છે કે મિષ્ટાન્ન મળે તે તુચ્છ ભેજન કેને ભાવે? એમ પિતાને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44