Book Title: Jain Dharmnu Hard Author(s): Chandrahas Trivedi Publisher: Heena Publications View full book textPage 7
________________ અલગ પુસ્તકો લખ્યાં અને જૈન તત્ત્વવિચારને આ પુસ્તકમાં સમાવી લીધો. આ પુસ્તકમાં મેં જેને તત્ત્વદર્શનની બધી પાયાની વાતો લઈ લીધી છે. પણ જૈન આચારો જેવા કે છ આવશ્યક, પંચાચાર, બારવ્રત, કાયોત્સર્ગ (કાઉસ્સગ) વગેરે માટે તો વાચકે મારું ‘જૈન આચારમીમાંસા' જ જોવું રહ્યું. ‘જૈન આચારમીમાંસા'માં મેં જૈન ધ્યાન વિશે ૮૨ પાનાંમાં વિસ્તૃત ચર્ચા કરી છે જેનાથી તે પુસ્તક વિશિષ્ટ બની રહ્યું છે. મૃત્યુ વિશે પણ મેં ‘મૃત્યુવિજયને પંથે' શીર્ષક હેઠળ ગઈસાલ જ એક અલગ પુસ્તક બહાર પાડ્યું છે જેમાં જૈન ધર્મના મૃત્યુવિચારને આધ્યાત્મિક, સામાજિક તેમજ સાહિત્યિક સંદર્ભોમાં રજૂ કર્યો છે. વળી તેમાંથી જૈન પારિભાષિક શબ્દો ગાળી લેવાને કારણે તે સર્વભોગ્ય બની રહ્યું છે. આમ મેં કર્મવાદનાં રહસ્યો', ‘જૈન આચારમીમાંસા’, ‘મૃત્યુવિજયને પંથે' અને આ ‘જૈન ધર્મનું હાર્દ'માં જૈન ધર્મની બધી મહત્ત્વની બાબતોને સમાવી લીધી છે. આ ચારેય પુસ્તકો જૈન ધર્મને અનુલક્ષીને લખાયાં છે છતાંય દરેક પુસ્તક પોતાની રીતે સ્વતંત્ર બની રહ્યું છે. ‘જૈન ધર્મનું હાર્દ' એ તો મારું બારમું પુસ્તક છે. મારાં અન્ય પુસ્તકો જેવાં કે ‘બિંબ-પ્રતિબિંબ' તેમજ 'ઘટનાને ઘાટે’માં મેં તત્ત્વવિષયક વાતો કરી છે પણ તે હળવી શૈલીમાં. આ પુસ્તકોમાં મેં દેશ-પરદેશનાં કથાનકોને સહારે તત્ત્વનું નિરૂપણ કર્યું છે તેથી તેમને કથાચિંતનનાં પુસ્તકો ગણી શકાય. ‘તરંગોની ભીતરમાં’ મારું વિનોદ-વ્યંગનું પુસ્તક છે જેમાં હાસ્યના તરંગોની ભીતરમાં પણ તત્ત્વની વાત તો રહેલી જ છે. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 178