Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 38
________________ દિવ્યા ભારતી, ફ્રેન્ડી પીસ વગેરે પાસે લખલૂટ ધન વગેરે ઘણા સુખ હતા. છતાં આપઘાત કર્યો ! વિદ્યાર્થીનીને ઓછા માર્ક આવવાથી માએ ઠપકો આપ્યો. એણે આત્મહત્યા કરી ! ઘણા માનવો દુઃખ આવતા પહેલાં જ ભાવિ ભયથી અને દુઃખ ગયા પછી પણ તેને યાદ કરી ભયંકર દુઃખી થાય છે. ભૂકંપના દુઃખોને અનુભવી ચુકેલા, જોયેલા લોકો આજે પણ ભયથી ફફડતા રહે છે ! દુઃખને ભોગવતા પણ ઘણા અનેકગણા દુઃખી થાય છે. જ્યારે તત્વજ્ઞાની તો દુઃખ સહેવાના અનેક ફાયદા વિચારી દુઃખ ભોગવતા પણ હસતો હોય છે. તેથી ઉપરની કોઈપણ પરિસ્થિતિમાં તે દુઃખી બનતો નથી. વળી દુઃખ આવતા ઘણા વિચારે છે કે Why Me? અર્થાત મને જ દુઃખ કેમ આવે છે? ઉત્તરમાં કહી શકાય બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ, સલૂણા કર્મસિદ્ધાંત જાણે તો એમને સમજ પડે કે જેને પાપનો ઉદય આવે એને દુઃખ આવે જ. ખૂબ ખાય એને ઝાડા થાય. પછી એ નકામી ચિંતા ન કરે. વળી એ પણ જાણવું અગત્યનું છે કે દુઃખમાં આપઘાત કરવાથી ઘણા ભવ ખૂબ દુઃખો વેઠવા પડે છે. કારણકે આત્મહત્યાથી ઘણા પાપ બંધાય છે. જેને દુઃખ ન જોઈએ તેણે તો પાપનો નાશ કરવો પડે. પાપનાશ સત્કાર્યો, ધર્મ વગેરેથી થાય. બીજી વાત કે આપણને ઘણી વાર સાંભળવા મળે છે. કે આપઘાત કરવાનો પ્રયત્ન કરવા છતાં બચી ગયેલ વ્યક્તિ થોડા સમય પછી ખૂબ સુખી પણ બનતી હોય છે. તેથી હકીકત એ છે કે જે આપઘાત કરે છે તે પોતાને મળનાર ભાવિ ઘણા સુખોને ગુમાવી દે છે. તેથી સુખની ઈચ્છાવાળાએ ગમે તેટલા દુઃખમાં આપઘાત વગેરેનો વિચાર કરવાને બદલે ધૈર્યથી દુઃખ સહવાના પ્રયત્ન કરે રાખવા. તો થોડા સમય પછી કદાચ ખૂબ સુખો પણ ભોગવવા મળે. ૨-૩ ધંધામાં ૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52