Book Title: Jain Dharmni Samaj Part 01 to 03
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 50
________________ જ્યારે મોહદષ્ટિથી દુઃખ વધતુ જાય. દષ્ટિકોણ બદલવો એ આપણા જ હાથની વાત છે. સામાન્યથી સુખમાં કે સામાન્ય દુઃખમાં પણ જીવ મૂંઝાઈ જાય છે. તોપણ સુખની પ્રબળ ઈચ્છાવાળા માનવ આખી જીંદગી પોતાને જોઈતા સુખ મેળવવા સતત જોરદાર પુરૂષાર્થ કરે જ છે. તમે તો અધ્યાત્મ દષ્ટિથી ખૂબ સુંદર પુણ્યના સ્વામિ છો. અનંત કાળે તમને જે આ સુંદર તક મળી ગઈ છે તેને તમે ઓળખો. શાશ્વત અને સાચા સુખ જે હવે હાથવેંતમાં છે એનો ખૂબ દીર્ઘ વિચાર કરી પૂરી શક્તિ આત્મહિતમાં વાપરો. સંસારી દરેક જીવ માટે અતિ મહત્ત્વના આ સુખદુઃખ વિષયની આ બધી વિચારણાનો હવે સાર કહુ છું. સંસારી જીવો અઢળક સુખમાં પણ દુઃખી હોય છે. જ્ઞાની દુઃખમાં પણ મસ્ત હોય છે. સુખ અને દુઃખમાં કેમ જીવવું એ જ્ઞાનીઓ પાસેથી જાણવું. બુદ્ધિથી વિચારવું. તત્ત્વનો નિર્ણય કરવો. હિતકર સાધના કરવાનો દઢ સંકલપ કરવો. સદા માટે એ જ ધ્યેય બનાવી સતત આત્મહિત માટે મોહ સામે ઝઝૂમ્યા કરવું. શાશ્વત સુખ, શાંતિ વગેરે બધું જ આપણને જરૂર મળશે જ. અનંત અરિહંતોના તમારા જેવા સર્વ ભવ્ય જીવોને અંતરના આશીર્વાદ પણ મળ્યા છે. એમાં પૂરી શ્રદ્ધા લાવી આ સચોટ ઉપાયની સાધના તમે કરો. એના અચિંત્ય ફળ મળશે ત્યારે તમારા આનંદની અવધિ નહીં રહે. સર્વે જીવોના સાચા સુખને માટે સદા તત્પર એવા શ્રી અરિહંત ભગવંતોની કલ્યાણકારી આજ્ઞાઓને જાણી, એને આરાધી તમે શાશ્વત સુખને શીધ્ર મેળવો એ જ એક માત્ર અંતરના આશીર્વાદ. 'જૈન ધર્મની સમજ ભાગ ૩ સંપૂર્ણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52