________________
જીવ, બંધન અને મોક્ષ
શુભ ભાવોથી પુણ્યાસવ અને પુણ્યબંધ થાય છે. અશુભ ભાવોથી પાપાસ્રવ અને પાપબંધ થાય છે. બંધ ભલે પુણ્યનું હોય કે પાપનું, તે છે તો આખરે બંધ જ. તેનાથી આત્મા બંધાય જ છે, મુક્ત તો થતી નથી. પુણ્યને સોનાની બેડી અને પાપને લોઢાની બેડી બતાવી છે.9
83
બંધનની અવસ્થામાં જીવ અને પુદ્ગલ એક-બીજા સાથે તેવી જ રીતે એકમેક (હળી-મળીને એક) થઈ જાય છે જેવી રીતે દૂધ અને પાણી આપસમાં મળીને એકમેક થઈ જાય છે; અથવા જેવી રીતે તપેલા લાલ અંગારામાં કોલસો અને આગ કે તપેલા લાલ લોઢામાં લોઢું અને આગ-બન્ને એકમેક થઈ જાય છે. પાણીમાં મળેલા દૂધના કોઈપણ બુંદમાં દૂધ અને પાણી ભળેલા જ રહે છે. એવી જ રીતે તપેલા અંગારા કે તપેલા લોઢાના પ્રત્યેક ભાગમાં ક્રમશઃ કોલસો અને આગ તથા લોઢું અને આગ મળેલાં જ જોવા મળે છે. એવી જ રીતે સજીવ શરીરના પ્રત્યેક ભાગમાં પુદ્ગલ અને ચૈતન્ય (જે જીવનું લક્ષણ છે) મળેલા જોવા મળે છે.
જ્યારે ઉચિત વિધિથી પાણીમાં ભળેલા દૂધને ઉકાળવામાં આવે છે, ત્યારે જ દૂધને પાણીથી અલગ કરી શકાય છે. તેવી રીતે જ્યારે કોલસા અને તપ્ત લોઢાને ઠંડા કરવામાં આવે છે, ત્યારે કોલસો અને લોઢું આગથી અલગ થાય છે. તેવી જ રીતે જયારે ઉચિત વિધિથી જીવ પોતાને કર્મોથી અલગ કરી લે છે કે કર્મોને મિટાવી દે છે, ત્યારે તે કર્મોથી છુટકારો પામી મોક્ષની પ્રાપ્તિ કરી લે છે.
હવે આપણે મોક્ષ-પ્રાપ્તિની પ્રક્રિયા અને સાધન પર વિચાર કરીશું.
મોક્ષ
બંધનથી મુક્ત થવાની પ્રક્રિયા આપણે જોઈ ચૂક્યા છીએ કે જીવનો પુદ્ગલો સાથે સંયોગ થવો તે જ બંધન છે. એટલા માટે જીવનું પુદ્ગલો સાથે વિયોગ થવો તે જ મોક્ષ છે. જીવનો પુદ્ગલો સાથે