________________
307
અંતર્મુખી સાધના
વશી કહો જેનું મન પોતાના વશમાં હોય, કારણ કે મનના વશ થયા વિના તે ધ્યાનમાં કેવી રીતે લાગે? પાંચમો સ્થિર હોય, શરીરના સાંગોપાંગ આસનમાં દઢ હોય, કારણ કે કાયા ચલાયમાન રહેવાથી ધ્યાનની સિદ્ધિ થતી નથી. છઠ્ઠો જિતાક્ષ (જીતેન્દ્રિય) હોય, કારણ કે ઇંદ્રિયોને જીત્યા વિના તે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે અને ધ્યાનની સિદ્ધિ થઈ શકતી નથી. સાતમો સંવૃત કહી સંવરયુક્ત હોય. કારણ કે ખાનપાનાદિમાં વ્યાકુળ થઈ જાય તો, ધ્યાનમાં ચિત્ત કેવી રીતે સ્થિર થાય? આલ્મો ધીર હોય. ઉપસર્ગ (વિજ્ઞ)આવતાં ધ્યાનથી ચુત ન થાય. ત્યારે ધ્યાનની સિદ્ધિ થાય છે. આવા આઠ ગુણ સહિત ધ્યાતાના ધ્યાનની સિદ્ધિ થઈ શકે છે, અન્યની થતી નથી.85 જ્ઞાનાવમાં પછી કહેવામાં આવ્યું છેઃ
જે મુનિ (સાધકોનું ચિત્ત કામ ભોગોમાં વિરક્ત થઈને અને શરીરમાં સ્પૃહાને છોડીને સ્થિરીભૂત થયું છે, નિશ્ચય કરીને તેને જ ધ્યાતા કહ્યો છે. તે જ પ્રશંસનીય ધ્યાતા છે.86
મોક્ષની ચાહ રાખનારા ધ્યાતાએ ઉપર્યુકત ગુણોને પોતાની અંદર વસાવવાનો ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ.
અહીં એ પ્રશ્ન ઉઠાવી શકાય છે કે ધ્યાન કરવાનો અધિકાર માત્ર સાધુ કે મુનિને જ છે કે ગૃહસ્થ પણ ધ્યાન કરી શકે છે. કેટલાક લોકોની એ ધારણા છે કે ધ્યાન માત્ર ગૃહત્યાગી સાધુ-સંન્યાસી કે મુનિ જ કરી શકે છે. ગૃહસ્થ ધ્યાનની સાધના કરી શકતા નથી.
એ ઠીક છે કે ગૃહસ્થ પ્રાયઃ અનેક પ્રકારના ગૃહકાર્યોમાં ફસાયેલા રહે છે. એટલા માટે તેમને ધ્યાન માટે અધિક સમય કાઢવામાં કઠિનાઈ થાય છે. આ કઠિનાઈથી બચવા માટે પ્રાચીન કાળમાં કેટલાક ઉત્સાહી મનુષ્યોએ ઘર-બારને છોડી જંગલ કે સૂમસામ જગ્યાઓમાં જઈને સાધના કરવાનો નિર્ણય લીધો. પછી ધીરે-ધીરે ઘર-બાર ત્યાગીને સાધના કરવાની એક પરંપરા બની ગઈ. આ જ પરંપરા અનુસાર મહાવીર અને બુદ્ધ પણ ગૃહત્યાગ કરીને સત્યની