________________
330
જૈન ધર્મ સાર સંદેશ છે અને આ જ્ઞાનના થતાં જ અન્ય પદાર્થોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે પારમાર્થિક દૃષ્ટિથી અંતરાત્માના જ્ઞાન વિના અન્ય બધાં જ્ઞાનને નિરર્થક કહેવામાં આવ્યાં છે. અનેક જૈન ગ્રંથોમાં આ વાતો તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે. ઉદાહરણ માટે, જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
જે શુદ્ધાત્મ- સ્વરૂપની પ્રાપ્તિ ન થવાથી હું અત્યાર સુધી મોહનિદ્રામાં સૂતો રહ્યો અને જે શુદ્ધાત્મ- સ્વરૂપની પ્રાપ્તિ થતાં હું જાગૃત થયો છું, અર્થાત્ યથાવત્ વસ્તુ સ્વરૂપને જાણવા લાગ્યો છું તે શુદ્ધાત્મ- સ્વરૂપ અતીન્દ્રિય છે અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) નથી અને અનિર્દેશ્ય છે અર્થાત્ વચનાદિને પણ અગોચર છે. તે તો માત્ર પોતાના દ્વારા પોતે જ અનુભવ કરવા યોગ્ય છે, તે જ રૂપ હું છું.”
આત્મજ્ઞાન વિના અન્ય પદાર્થોના જ્ઞાનને મિથ્યાજ્ઞાન અથવા અજ્ઞાન બતાવતાં શ્રાવણક પ્રતિકમણસારમાં કહેવામાં આવ્યું છે.
જે પોતાના આત્માના સ્વરૂપને જાણતાં જાણતાં અન્ય પદાર્થોના સ્વરૂપને જાણે છે તે જ સમ્યજ્ઞાન કહેવાય છે, જે જ્ઞાન પોતાના આત્માના સ્વરૂપને જાણતું નથી તે અન્ય પદાર્થોના સ્વરૂપને યથાર્થ રીતે જાણી શકતું નથી. આ જ કારણ છે કે આત્મજ્ઞાન વિના જેટલું જ્ઞાન છે તે બધું મિથ્યા-જ્ઞાન અથવા અજ્ઞાન કહેવાય છે.20
બધા ધાર્મિક પ્રયત્નોનું લક્ષ્ય પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ જ છે. એટલા માટે જે ધાર્મિક કાર્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક ન હોય, તેને નિરર્થક જ સમજવું જોઈએ. તે બતાવતાં કે પોતાના આત્માની અનુભૂતિ (અનુભવ) વિના બધા ધાર્મિક પ્રયત્નો નિરર્થક છે, હુકમચંદ ભારિલ્લ પોતાના પુસ્તક તીર્થકર હાવીર ઔર ઉનકા સર્વોદય તીર્થમાં કહે છે?
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે અનિવાર્ય શરત છે આત્માનુભૂતિનું પ્રાપ્ત થવું. આત્માનુભૂતિ વિના સમસ્ત પ્રયત્નો નિરર્થક છે.... અંતિમરૂપથી