Book Title: Jain Dharm Sar Sandesh
Author(s): Kashinath Upadhyay
Publisher: Radha Swami Satsang Byas

View full book text
Previous | Next

Page 344
________________ આત્માથી પરમાત્મા 343 અભ્યાસ કરવા માટે અભ્યાસીએ એકાંત સ્થાનમાં બેસીને પોતાની ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી હટાવીને, ચિત્તને એકાગ્ર કરીને તથા આળસ, નિંદ્રા અને અસાવધાની (લાપરવાહી)ને દૂર કરીને પોતાના અંતરમાં ધ્યાન લગાવવું જોઈએ. જન્મ-જન્માંતર થી જે ધ્યાન બાહ્ય વિષયોમાં લાગેલું રહ્યું છે તેને ધીરેધીરે જ અંતરમાં લગાવી શકાય છે. એટલા માટે એમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. જેમ-જેમ ધ્યાન અંતરમાં લાગવા લાગે છે, તેમ-તેમ આંતરિક આનંદ મળવા લાગે છે અને સાંસારિક વિષયોનું સુખ ફીકું લાગવા લાગે છે. ત્યારે આત્માનુભવ અથવા આત્મસાક્ષાત્કાર જ અભ્યાસીના જીવનનું લક્ષ્ય બની જાય છે. તે સંસારના લોભામણા વિષયોથી આકૃષ્ટ (આસકત) અથવા પ્રભાવિત થતો નથી. તે આ સંસારમાં અનાસક્ત ભાવથી વ્યવહાર કરે છે અને એકમાત્ર પરમાત્મભાવની પ્રાપ્તિની જ અભિલાષા રાખે છે. આ વાતોને જૈનધર્મામૃત માં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે. જે · પુરુષ ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને સંવિતિ અર્થાત્ સ્વાનુભવથી સ્વ અને પરના અંતર-ભેદને જાણે છે તે જ પુરુષ નિરંતર મોક્ષસુખનો અનુભવ કરે છે.43 જૈન ધર્મ અનુસાર સાચા ગુરુ “જીન, શુદ્ધ, બુદ્ધ, નિરામય (રાગદ્વેષ વગેરે રોગોથી મુકત) સર્વજ્ઞ, સર્વદર્શી અને કેવલજ્ઞાનના ધારક અરહન્ન પરમેષ્ઠી કહેવાય છે. તે અંરહન્ત અવસ્થામાં રહેતાં તેઓ સર્વદેશોમાં વિહાર કરીને અને ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને અંતમાં ... સર્વ કર્મથી રહિત થઈને તેઓ અરહન્ત પરમેષ્ઠી નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે.’4 અભ્યાસ અને આત્મનુભવને જૈનધર્મામૃતમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છેઃ ચિત્ત-વિક્ષેપ (વ્યગ્રતાથી) રહિત થઈને અને એકાંત સ્થાનમાં બેસીને આત્માના વીતરાગ શુદ્ધ સ્વરૂપની ભાવના કરવાને અભ્યાસ કહે છે. જેના ચિત્તમાં રાગ-દ્વેષાદિરૂપ કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય, જે જન-સંપર્કથી રહિત એકાંત શાંત સ્થાન પર અવસ્થિત હોય અને

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402