________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિતજી સાથેના પ્રાર. पंडितजी साथेना प्रश्नोत्तरः
પંડિત બહેચરદાસને તા. ર૬-૫-૧૯ ની રાત્રે શ્રી જે. ધ. પ્ર. સભાની - ફીસમાં બોલાવવામાં આવ્યા હતા. તે પ્રસંગે માંગરોળ સભામાં આપેલા અને જેને રીવ્યુના અંક ૧૦-૧૧ માં પ્રકટ થયેલાને આધારે જેનપત્રમાં પ્રસિદ્ધ થયેલા ભાષણ પરત્વે કેટલાક ખુલાસા પૂછવામાં આવ્યા હતા, તે જાણવા મેગ્ય હોવાથી આ નીચે પ્રકટ કરવામાં આવ્યા છે.
તંત્રી–પંડિતજી! આપે ૪૫ આગમ પંચાંગી સમેત વાંચ્યા છે? -
પંડિત–મેં ૧૧ અંગ સારી રીત અભ્યાસપૂર્વક વાંચ્યા છે. તેને જ હું પ્રાચીન ગણું છું, જો કે તેમાં પણ કેટલુંક મિશ્રણ થયેલું છે, પણ બીજા આગમો કરતાં ઓછું થયેલ છે. અન્ય આગમમાંથી જરૂર પડતા સ્થળો જોયાં છે. સાત પંચાંગી સહિત વાંચ્યા નથી.
તંત્રી—તમે જે હકીકત આગમોમાં નથી એમ કહે તે ૧૧ અંગમાં જ નથી એમ માનવું કે ૪૫ આગમમાં નથી એમ માનવું ?
પંડિત—અગ્યાર અંગમાં નથી એમ માનવું.
તંત્રી—–છ છેદ સૂત્ર તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા જે જે લય છે. તે સહિત સાવંત વાંચ્યા છે ?
પંડિત—તેમાંનો બહુ અલ્પ ભાગ પ્રસંગોપાત જ છે.
તરી–જેને સાહિત્ય પિકી કથાઓમાંની ૯૫ ટકા જેટલી કથાઓ તે તદ્દન જ કપિત છે એમ આપે કહ્યું છે તે કલ્પિત એટલે શું ?
પંડિત—કપિત એટલે હું અલંકારિક કહું છું--અસત્ય નહીં-જ્યાં સુધી એતિહાસિક દષ્ટિએ કોઈ પણ કથા સિદ્ધ ન થાય ત્યાંસુધી હું તેને ય માત્ર માનું છું. ઐતિહાસિક દ્રષ્ટિએ સિદ્ધ થાય તેને જ સત્ય માનું છું.
તેવી–આપને ૫ ટકા કલ્પિત લાગી તે હિસાબ મૂકતાં બરાબર ૯૫ ટકા આવ્યા કે અનુમાનથી આપે કહ્યા છે?
પંડિત—અનુંમાનથી કહ્યા છે.'
તંત્રી—અનુમાનથી કહ્યા છતાં તેમાં મોટો ફેર પડે કે બે-પાંચ ટકા જેટલું જ ફેર પડે એમ કહે છે ?
પંડિત–મો ફેર ન પડે એમ મારૂં ધારવું છે.
તંત્રી—૯૫ ટકા બાદ કરતાં બાકીની ૫ ટકાવાળી સત્ય કથાઓ કઈ કઈ છે તે કહેવા કૃપા કરશે?
For Private And Personal Use Only