Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસઉપરથી નીકળતો સાર. 18 કયાં મારું રાજ્ય, કયાં તે રાણી, ક્યાં મનુષ્યપણે રહેવું ને કયાં તિચપણે ભેગ વવું ! મારા દુ:ખનો પાર નથી. તારો પતિ પરદેશ ગયેલ છે તે કાલે આવશે ને તને મળશે, પરંતુ મારા વિ છેહનો મેળો તેં થશે કે નહિ તે પણ કે જાણે ? માટે હે બહેન ! મારા જેવું તારે દુ:ખ નથી. મારા ને તારા દુ:ખમાં રાઈને પર્વત જેટલું અંતર છે. વળી મારી સ્ત્રી જેવી દુઃખિયું છે તેના પ્રમાણમાં તું અસંખ્ય ગુણ સુખિણી છે. તે એક ક્ષણના પતિના વિરહમાં દુઃખી થઈ ગઈ તો મારી રાણીને કેમ થતું હશે તેને વિચાર કર. તેના દુઃખના પ્રવાહમાં તું તે તણાઈ જાય તેમ છે.” આ પ્રમાણેના કુર્કટનાં વચનથી લીલાવતી કાંઈક ખુશી થઈ–તેને પિતાનું દુઃખ અ૫ લાગ્યું–તેણે વિચાર્યું કે- આતે સરખે સરખી જેડ મળી છે.” પછી, તેણે ચંદરાજાને કહ્યું કે-“હે ચંદરાજા ! તમે દુઃખ બહ ધરાવશો નહીં, ડા, વખતમાં તમને તમારી ત્રાદ્ધિ ને રમણી વિગેરે બધું પ્રાપ્ત થશે. તમે મારા મનને માન્ય ભાઈ છે ને હું તમારી બહેન છું. વિધાતાએજ આ સગપણ કરી દીધું છે. હવે તમે જયારે મનુષ્ય થાઓ ત્યારે જરૂર મને મળજે. મેં જે કાંઈ વગર વિચાર્યું તમને કહ્યું હોય તેની ક્ષમા કરજો અને હે વીરા! તમારી આશા ફળીભૂત થજે, મને વહેલા આવીને મળજો અને મને ભૂલી જશો નહીં. મેં તો તમને જેઈને જન્મારો સફળ કર્યો છે. ” આ પ્રમાણે કુર્કટ સાથે વાતચિત કરીને નટને તે પાછો સે એટલે મંત્રીપુત્ર પણ ઘરે આવ્યું. - હવે નટ ત્યાંથી નીકળી અનેક ગામ અને શહેરો ફર્યા ઘણી જગ્યાએ કુર્કટને માટે લડવું પણ પડ્યું. નટની કળા અદ્દભુત હોવાથી તેને તે ગમી ગયા. એમ ફરતા ફરતા તેઓ અનુક્રમે વિમળાપુરીએ આવ્યા અને જ્યાં માતા, વીરમતીએ આંબે રાખ્યા હતા ત્યાંજ ડેરા તબુ નાંખીને પડાવ, કર્યો. કુકેટે તે જમીન ઓળખી. તેને પૂર્વને પ્રેમ યાદ આવે. પ્રેમલાલચ્છીને ભાડે પરણ્યાનું પણ મરણ થયું. તેણે ધાર્યું કે “જરૂર આ તેજ નગરી છે કે જેના કારણથી હું પંખી થયે છું. હવે પાછો ફરતે ફરતે ત્યાંજ આવ્યો છું તે મારૂં દુઃખ નાશ પામવા સંભવ છે. ક્યાં આભાપુરી ને ક્યાં વિમળપુરી? તેને મેળે સુગમ નથી પરંતુ પંડિત કહે છે કે તે મનુષ્ય મેળે પામે તે વાત ખરેખરી છે. મને અહીં આવવાની હોંશ ઘણી હતી પણ આવી શકે તેમ નહોતું, તે કારણેજ વિધાતાએ મને પંખી બનાવી પાંખ આપી જણાય છે. એ પ્રમાણે કુકટ વિચાર કરે છે ને નટે ત્યાં આનંદથી રહે છે. હવે અહીં મિલાલચ્છી પોતાના મહેલમાં સખીઓ સાથે બેઠો છે તેવામાં તેનું ડાબું નેત્ર ફરકયું એટલે તે ખુશી થઈને સખીઓને કહેવા લાગી કે- આજ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33