________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનધર્મ પ્રકાશ અવૈધવ્ય, ધન લાભ અને પુત્ર પ્રાપ્તિ વગેરે મત્રારાધનના ઘણા ફળ છે તેણુએ નઝરે જણાવ્યું.
એ સાંભળી તે ખુશી છે. મારે માટે એ સર્વે કરે છે એમ તેને લાગ્યું અને તેણીનું વચન કબુલ કર્યું. પછી તેઓ સુખે ત્યાં રહેવા લાગ્યા. ગુણસુંદરી ગૃહકાર્ય કરે, શાક પકવાન વગેરે ઉત્તમ રસવતી બનાવે અને ધૂત ખાંડ વગેરે નાંખી તેને જમાડે. થોડા દિવસમાં તેના મનમાં એવો વિશ્વાસ પાડી દીધું કે તે એમજ જાણવા લાગે કે આ સુંદરી પોતાના ચિત્તમાં મને જ પ્રિય જાણે છે. તે મહા સતી તેને એવા ભોજન જમાડે છે અને પોતે નિરંતર આચાન્સ અને ઉદરી તપ કરી શરીરને શેષે છે. સ્નાન, શૃંગાર, તાંબુલ્ય વગેરે તજી દીધા અને જેમ શરીર કૃશ થાય તેવા ઉપાય કરવા માંડ્યા. જ્યારે અવધિ પૂર્ણ થવા આવી ત્યારે એક દિવસ પાછલી રાત્રે તેણએ પિકાર કર્યો. તરતજ તસ્કર વિપ્ર ઘરમાં દાખલ થયો અને શું થાય છે એમ પુછયું. તેણીએ જણાવ્યું કે મને શૂળ નિકળે છે. અને તેથી અસહ્ય પીડા થાય છે. તે સાંભળી બ્રાહ્મણે અનેક ઉપાય કર્યા પરંતુ ફેર પડે નહિ. તે પણ પડતા આખડતા તેણીએ સર્વે ગૃહકાર્ય કર્યા અને પુનઃ રૂદન કરવા લાગી. બ્રાહ્મણને બોલાવી સજળ ને તે બોલી–હે સુભગ! હું દુર્ભાગ્યશાળી છું કે જ્યારે ગ્રહવાસને સમય આવ્યો ત્યારે આ વો વ્યાધિ ઉત્પન્ન થયો. મારા મસ્તકમાં વેદના થાય છે, મારું અંગ બળે છે, આંતરડા છેદાય છે અને સર્વે સાંધાઓ ત્રુટે છે પરંતું તેનું મને દુઃખ નથી, મારા ભારના કે ઘરના વિરહનું મને દુઃખ નથી પણ દુઃખમાં દુઃખ એટલું જ છે કે તમારી ઉપર ઉપકાર થયો નહિ. મારે માટે તમે ઘણું દુઃખ સહન કર્યો પણ તમને તેનું ફળ પ્રાપ્ત થયું નહિ. મેં પૂર્વે તમને વચન આપ્યું પણ મારે તે વચન પાળવાને સમય ન આવ્યો તેથી મારું શરીર કપે છે-મારા હૃદયમાં પીડા થાય છે અને હવે હું પ્રાણ ધારણ કરવાને શક્તિમાન નથી માટે હવે તમે મને કોણ લાવી આપે જેથી તમારી નજરે હું બળી મરૂં.'
તેણીને આ પ્રમાણે શૌચ કરતી જોઈ પાતકી દિજ ખેદ પામે, પાપીનું હૃદય પીંગળ્યું, દયા આવી અને નરમાશથી બોલ્ય–ભદ્ર ! મારા પ્રાણને પણ તુણુ સમાન ગણ તને સુખી કરીશ. દૈવ યોગે તને આવું દુઃખ પ્રાપ્ત થયું તેને શેચ નકર. તારી મરજીમાં આવે તો તું શ્રાવસ્તીમાં તા
For Private And Personal Use Only